શોધખોળ કરો

દોષિતોને માફ કરવાની વરિષ્ઠ વકિલની અપીલ પર નિર્ભયાની માતાએ કહ્યું- આવી સલાહ આપનાર ઇન્દિરા જયસિંહ છે કોણ?

દિલ્હીમાં વર્ષ 2012માં થયેલા બહુચર્ચિત નિર્ભયા ગેંગરેપ કેસના દોષિતોને ફાંસીમાં વિલંબને લઈ દિલ્હીમાં રાજકારણ પણ ખેલાવવાનું શરૂ થઈ ગયું છે.

નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપના દોષિતોની ફાંસીની સજા માફ કરવાની વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહની અપીલ પર નિર્ભયાની માતા આશા દેવીએ આકરી પ્રતિક્રિયા આપી છે. આશા દેવીએ મીડિયા સાથેની વાતચીતમાં આ નિવેદનને લઈ કહ્યું કે, સમગ્ર દેશ ઈચ્છે છે કે નિર્ભયાના દોષિતોને વહેલી તકે ફાંસી પર લટકાવી દેવા જોઈએ, એવામાં ઈન્દિરા જયસિંહ આવી સલાહ આપનારાં કોણ છે. આશા દેવીએ નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, તેઓ મહિલા થઈને એક મહિલાનું દર્દ નથી સમજી શકતા. આવા લોકોને સમગ્ર દેશની માફી માંગવી જોઈએ. નિર્ભયાની માતાએ કહ્યું કે, હું એ વિચારી પણ નથી શકતી કે ઈન્દિરા જયસિંહએ કેવી રીતે નિર્ભયાના દોષિતોને માફ કરવાની અપીલ કરી. હું સુપ્રીમ કોર્ટમાં તેમને અનેકવાર મળી છું, પરંતુ એકવાર પણ તેમણે આ વિશે મારી સાથે વાત નથી કરી અને આજે તેઓ દોષિતોને માફ કરવાની વાત કરી રહ્યાં છે. હું હેરાન છું. વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહે ટ્વિટ કરીને કહ્યું હતું કે, હું આશા દેવીનું દર્દ પૂરી રીતે સમજું છું. તેમ છતાંય હું તેમને અપીલ કરું છું કે તેઓ સોનિયા ગાંધીના ઉદાહરણનું અનુકરણ કરે, જેઓએ નલિનીને માફ કરી દીધી અને કહ્યું કે તેઓ તેમના માટે મૃત્યુદંડ નથી ઈચ્છતા. અમે આપની સાથે છીએ, પરંતુ મૃત્યુદંડની વિરદ્ધ છીએ. સીનિયર વકીલ ઈન્દિરા જયસિંહની સલાહ પર હવે નિર્ભયાની મમ્મીએ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, “મને સલાહ આપવાવાળા ઈન્દિરા જયસિંહ છે કોણ? આખો દેશ દોષિતોને ફાંસી મળે તેમ ઈચ્છે છે. આવા લોકોના કારણે જ રેપ પીડિતાઓ સાથે ન્યાય થઈ શકતો નથી.” નિર્ભયાની માતાએ આગળ કહ્યું, હું ક્યારેય આ નરાધમોને માફ નહીં કરું. ભગવાન નીચે આવીને કહે કે, આશા આ નરાધમોને માફ કરી દે તો પણ માફી નહીં આપું. વિશ્વાસ નથી થતો કે, ઈન્દિરા જયસિંહ મને આવી સલાહ આપવાની હિંમત કેવી રીતે કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં વર્ષ 2012માં થયેલા બહુચર્ચિત નિર્ભયા ગેંગરેપ કેસના દોષિતોને ફાંસીમાં વિલંબને લઈ દિલ્હીમાં રાજકારણ પણ ખેલાવવાનું શરૂ થઈ ગયું છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા ગેંગરેપના ચારેય દોષિતો વિરુદ્ધ નવું ડેથ વોરંટ જાહેર કર્યું છે. આ ગુનેગારોને હવે 1 ફેબ્રુઆરીએ સવારે 6 વાગ્યે ફાંસીના માંચડે લટકાવવામાં આવશે. આ ચારેયને અગાઉ 22 જાન્યુઆરીએ ફાંસીની સજા થવાની હતી પરંતુ એક દોષિતે દયા અરજી દાખલ કરી હતી. દયા અરજી નામંજૂર થયા બાદ નવું ડેથ વોરંટ જાહેર કરવું પડે છે. એવામાં ફાંસીની તારીખ આગળ ઠેલાઈ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."

વિડિઓઝ

Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન
Mehsana Digital Arrest : મહેસાણાના બહુચરાજીના એક તબીબ ડિજિટલ એરેસ્ટનો બન્યા શિકાર
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
"હું બુરખાની વિરુદ્ધ... પરંતુ નીતિશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ," હિજાબ વિવાદ પર જાવેદ અખ્તરે રોકડું પરખાવ્યું
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
Embed widget