શોધખોળ કરો
Advertisement
જમ્મુ-કાશ્મીર: અંતરરાષ્ટ્રીય સરહદ પાસે વિસ્ફોટથી એકનું મોત, છ ઘાયલ
જમ્મુ: જમ્મુ જિલ્લાના અરનિયા સેક્ટરમાં અંતરરાષ્ટ્રીય સરહદ પાસે એક જૂના મોર્ટારમાં વિસ્ફોટ થવાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 6 અન્ય લોકો ઘાયલ થયા છે. પોલીસના એક અધિકારીએ કહ્યું કેટલાક મજૂર સરહદ વિસ્તારમાં કામ કરી રહ્યા હતા, તે દરમિયાન આ વિસ્ફોટ થયો. તેમણે જણાવ્યું કે વિસ્ફોટમાં એક વ્યકિતનું મોત થયું છે જ્યારે અન્ય છ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગુરૂવારે જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકવાદીઓના ગ્રેનેડ હુમલામાં સીઆરપીએફના ચાર જવાન ઘાયલ થયા હતા. પોલીસ અધિકારીઓએ આ મામલે જણાવ્યું કે આતંકવાદીઓએ અનંતનાગ જિલ્લામાં બિજબેહરામાં સુરક્ષા દળો પર ગ્રેનેડ ફેક્યો. વિસ્ફોટમાં ચાર જવાન ઘાયલ થયા હતા. બાદમાં પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ વિસ્તારમાં બધી બાજુથી ઘેરી લેવામાં આવ્યો છે અને આતંવાદીઓની શોઘખોળમાં અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion