શોધખોળ કરો

Operation Ajay: ઇઝરાયલથી 212 ભારતીયોને લઇને પ્રથમ વિમાન દિલ્હી પહોંચ્યું, કેન્દ્રિય મંત્રીએ કર્યું સ્વાગત

Operation Ajay:ભારત સરકારે ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને ભારત પરત લાવવા ઓપરેશન અજય શરૂ કર્યું છે

Operation Ajay: હમાસે શનિવારે સવારે ઈઝરાયલ પર હુમલો કર્યો હતો, જે બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ હજુ પણ ચાલુ છે. હુમલામાં બંને પક્ષના લગભગ 2500 લોકોના મોત થયા છે. દરમિયાન, ભારત સરકારે ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને ભારત પરત લાવવા ઓપરેશન અજય શરૂ કર્યું છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધમાં ઘણા દેશોના નાગરિકો પણ મૃત્યુ પામ્યા છે. ઓપરેશન અજય હેઠળ ઇઝરાયલથી 212 ભારતીય નાગરિકો આજે સવારે ફ્લાઇટ AI1140 દ્વારા નવી દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા હતા. ઇઝરાયેલથી ભારત ઉડાન ભરેલા બે ભારતીય વિદ્યાર્થીઓએ ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે જો જરૂર પડશે તો એરફોર્સનો પણ ઉપયોગ કરવામાં આવશે. હાલ ચાર્ટર ફ્લાઈટ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, આજે સવારે લગભગ 212 લોકોને પરત લાવવામાં આવી રહ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે ઇઝરાયેલમાં રહેતા અમારા ભારતીય નાગરિકોને દૂતાવાસમાં જલ્દી રજીસ્ટ્રેશન કરાવવાની અપીલ કરીએ છીએ.

આ દરમિયાન કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર ઈઝરાયેલથી પોતાના દેશમાં પરત ફરી રહેલા મુસાફરોનું સ્વાગત કરવા એરપોર્ટ પર હાજર રહ્યા હતા. ઇઝરાયેલના યુદ્ધ વચ્ચે દેશ છોડવા માંગતા 212 ભારતીયોને લઇને પ્રથમ ચાર્ટર ફ્લાઇટે ગુરુવારે બેન ગુરિયન એરપોર્ટ પરથી ઉડાણ ભરી હતી.

ઈઝરાયેલમાં લગભગ 18 હજાર ભારતીયો છે

મળતી માહિતી મુજબ ઈઝરાયેલમાં લગભગ 18000 ભારતીયો છે. તેમાં વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે હજુ સુધી કોઈ ભારતીય જાનહાનિના સમાચાર નથી. અમે ઘાયલ થયેલા એક વ્યક્તિના સંપર્કમાં છીએ, હાલમાં તે હોસ્પિટલમાં છે.

વેસ્ટ બેન્ક અને ગાઝામાં પણ ભારતીયો ફસાયા

અરિંદમ બાગચીએ કહ્યું કે AFના C-17, C-230, IL-76 સ્ટેન્ડબાય મોડ પર છે. તેમણે એમ પણ કહ્યું કે વેસ્ટ બેન્કમાં લગભગ એક ડઝન ભારતીયો છે અને ગાઝામાં પણ 3-4 ભારતીયો છે, અમે તેમના સંપર્કમાં છીએ, તેમને પાછા લાવવામાં આવશે. તેમણે કહ્યું કે ભારતે પેલેસ્ટાઈન, બે રાજ્ય ઉકેલ પર તેની નીતિને દોહરાવી છે. બાગચીએ કહ્યું કે માનવતાવાદી કાયદાનું પાલન કરવું એ આંતરરાષ્ટ્રીય જવાબદારી છે. આ સાથે આંતરરાષ્ટ્રીય આતંકવાદ સામે લડવાની વૈશ્વિક જવાબદારી પણ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાત બોર્ડ-નિગમના કર્મચારીઓની
Hun To Bolish : હું તો બોલીશ : મગફળીને SMSથી ગ્રહણ!
Hun To Bolish : હું તો બોલીશ : નારી શક્તિ ઝિંદાબાદ
Morbi MLA : મોરબીમાં ધારાસભ્ય વરમોરા અને પંચાયતના સભ્ય વચ્ચે બોલાચાલી, MLAએ ચાલતી પકડી
Mehsana Protest :  બહુચરાજી હાઈવે પર ચક્કાજામ , પેપર મીલ સામે માંડ્યો મોરચો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
Embed widget