શોધખોળ કરો

Maha Kumbh 2025માં શ્રદ્ધાળુઓની સંખ્યાએ તોડ્યો રેકોર્ડ, 55 કરોડથી વધુ લોકોએ લગાવી આસ્થાની ડૂબકી

15 ફેબ્રુઆરીએ આ સંખ્યા 50 કરોડથી ઉપર પહોંચી ગઈ હતી અને હવે તે 55 કરોડની નવી ટોચને સ્પર્શી ગઈ છે

વિશ્વના સૌથી મોટા ધાર્મિક અને સાંસ્કૃતિક મેળાવડા મહાકુંભે હવે ઇતિહાસ રચ્યો છે. અત્યાર સુધીમાં 55 કરોડથી વધુ ભક્તોએ પવિત્ર ત્રિવેણીમાં પવિત્ર ડૂબકી લગાવીને ધાર્મિક અને સાંસ્કૃતિક એકતાનું અનોખું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. માનવ ઇતિહાસમાં આજ સુધી કોઈપણ ધાર્મિક, સાંસ્કૃતિક અથવા સામાજિક કાર્યક્રમમાં આ વિશાળ જાહેર શ્રદ્ધા સૌથી મોટી ભાગીદારી બની ગઈ છે.

26 ફેબ્રુઆરી મહાકુંભના છેલ્લા સ્નાન મહોત્સવ મહા શિવરાત્રિના રોજ આ સંખ્યા 60 કરોડને વટાવી શકે છે. વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂ, પ્યુ રિસર્ચ અનુસાર, ભારતની અંદાજિત વસ્તી 143 કરોડ (1.43 અબજ) છે. આમાં સનાતન ધર્મના અનુયાયીઓની સંખ્યા આશરે 110 કરોડ (1.10 અબજ) છે.

આ રીતે જો ભારતમાં સ્નાન કરનારાઓની સંખ્યાની સરખામણી સનાતનીઓની સંખ્યા સાથે કરવામાં આવે તો 5૦ ટકા લોકો ત્રિવેણી સંગમમાં સ્નાન કરી ચૂક્યા છે. જો દેશની કુલ વસ્તી સાથે સ્નાન કરનારાઓની સંખ્યાની સરખામણી કરવામાં આવે તો તે 38 ટકાથી વધુ થાય છે.

એટલે કે દેશની કુલ વસ્તીના 38 ટકાથી વધુ લોકોએ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું છે. જો આપણે પ્યુ રિસર્ચ 2024ના અહેવાલ પર વિશ્વાસ કરીએ તો સમગ્ર વિશ્વમાં 120 કરોડ (1.2 અબજ) વસ્તી સનાતન ધર્મનું પાલન કરે છે. આ મુજબ વિશ્વભરના 45 ટકાથી વધુ સનાતનીઓએ સંગમમાં ડૂબકી લગાવી છે.

સીએમ યોગીએ પહેલાથી જ આગાહી કરી હતી કે આ વખતે આયોજિત થઈ રહેલો ભવ્ય અને દિવ્ય મહાકુંભ સ્નાન કરનારાઓની સંખ્યામાં એક નવો રેકોર્ડ બનાવશે. શરૂઆતમાં જ તેમણે 45 કરોડ ભક્તોના આગમનની આગાહી કરી હતી. તેમનું મૂલ્યાંકન 11 ફેબ્રુઆરીએ જ સાચું સાબિત થયું હતું.

15 ફેબ્રુઆરીએ આ સંખ્યા 50 કરોડથી ઉપર પહોંચી ગઈ હતી અને હવે તે 55 કરોડની નવી ટોચને સ્પર્શી ગઈ છે. મહાકુંભના સમાપન માટે હજુ નવ દિવસ બાકી છે અને એક મહત્વપૂર્ણ સ્નાન મહોત્સવ બાકી છે. એવી અપેક્ષા છે કે સ્નાન કરનારાઓની સંખ્યા 60 કરોડથી વધુ થઈ શકે છે.

મૌની અમાવસ્યા પર આઠ કરોડ લોકો સ્નાન કરવા આવ્યા

અત્યાર સુધીમાં મૌની અમાવસ્યા પર સૌથી વધુ ભક્તોએ લગભગ 8 કરોડ લોકોએ મહાસ્નાન લીધું હતું, જ્યારે મકરસંક્રાંતિના પ્રસંગે 3.5 કરોડ ભક્તોએ અમૃત સ્નાન કર્યું હતું. 1 ફેબ્રુઆરી અને 30 જાન્યુઆરીના રોજ 2 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું હતું અને પોષ પૂર્ણિમાના દિવસે 1.7 કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું હતું. ઉપરાંત વસંત પંચમી પર 2.57 કરોડ ભક્તોએ ત્રિવેણીમાં ધાર્મિક ડૂબકી લગાવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાન યુદ્ધની ભારતમાં મોટી અસર: રોજિંદી દવાઓ થઈ શકે છે મોંઘી, ફાર્મા એસોસિએશને સરકારને લખ્યો ઈમરજન્સી પત્ર!
ઈરાન યુદ્ધની ભારતમાં મોટી અસર: રોજિંદી દવાઓ થઈ શકે છે મોંઘી, ફાર્મા એસોસિએશને સરકારને લખ્યો ઈમરજન્સી પત્ર!
આવતીકાલનું હવામાન: કાળઝાળ ગરમી વચ્ચે 21 રાજ્યોમાં તોફાન અને વરસાદની આગાહી, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: કાળઝાળ ગરમી વચ્ચે 21 રાજ્યોમાં તોફાન અને વરસાદની આગાહી, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
iran israel war: ઇરાન તણાવ વચ્ચે ભારતની તૈયારી, ગેસ સપ્લાયને લઇને 600 કરોડાના પ્લાનનો નિર્ણય
iran israel war: ઇરાન તણાવ વચ્ચે ભારતની તૈયારી, ગેસ સપ્લાયને લઇને 600 કરોડાના પ્લાનનો નિર્ણય
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયને લીલીઝંડી, BHAVYA યોજના-FCRA બિલને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયને લીલીઝંડી, BHAVYA યોજના-FCRA બિલને મંજૂરી

વિડિઓઝ

Chaudhary Samaj Meeting : દીકરી પરત લાવવાની માંગ સાથે ચૌધરી સમાજની વાવ-થરાદમાં બેઠક
Jamnagar Unseasonal Rain : જામનગરના લાલપુરમાં કરા સાથે પડ્યો બરબાદીનો વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : સર્વિસ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો છેતરાતા નહીં
Hun To Bolish : હું તો બોલીશ : કેમ દોડ્યા ધારાસભ્યો?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાળઝાળ ગરમી વચ્ચે 21 રાજ્યોમાં તોફાન અને વરસાદની આગાહી, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: કાળઝાળ ગરમી વચ્ચે 21 રાજ્યોમાં તોફાન અને વરસાદની આગાહી, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
ગુજરાત કેબિનેટ બેઠક: ધોલેરા-મેટ્રો પ્રોજેક્ટનો રિવ્યૂ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને UCC બિલ પર લેવાયા મોટા નિર્ણયો
ગુજરાત કેબિનેટ બેઠક: ધોલેરા-મેટ્રો પ્રોજેક્ટનો રિવ્યૂ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને UCC બિલ પર લેવાયા મોટા નિર્ણયો
ઈરાન યુદ્ધની ભારતમાં મોટી અસર: રોજિંદી દવાઓ થઈ શકે છે મોંઘી, ફાર્મા એસોસિએશને સરકારને લખ્યો ઈમરજન્સી પત્ર!
ઈરાન યુદ્ધની ભારતમાં મોટી અસર: રોજિંદી દવાઓ થઈ શકે છે મોંઘી, ફાર્મા એસોસિએશને સરકારને લખ્યો ઈમરજન્સી પત્ર!
ગુજરાતમાં વિધાનસભામાં UCC બિલ રજૂ: લગ્ન પછી 1 વર્ષ સુધી નહીં મળે છૂટાછેડા, જાણો કોને મળી મોટી મુક્તિ
ગુજરાતમાં વિધાનસભામાં UCC બિલ રજૂ: લગ્ન પછી 1 વર્ષ સુધી નહીં મળે છૂટાછેડા, જાણો કોને મળી મોટી મુક્તિ
અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં ભીષણ આગ: 30થી વધુ દુકાનો બળીને ખાખ, ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં ભીષણ આગ: 30થી વધુ દુકાનો બળીને ખાખ, ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
Gujarat Weather: આજથી 3 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં વરસશે કમોસમી વરસાદ
Gujarat Weather: આજથી 3 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં વરસશે કમોસમી વરસાદ
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયને લીલીઝંડી, BHAVYA યોજના-FCRA બિલને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયને લીલીઝંડી, BHAVYA યોજના-FCRA બિલને મંજૂરી
Bomb threat: અમદાવાદની શાંતિ એશિયાટિક સહિત આ શાળાને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી
Bomb threat: અમદાવાદની શાંતિ એશિયાટિક સહિત આ શાળાને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી
Embed widget