બિહારના પૂર્ણિયા બેઠકના સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જીવલેણ હુમલાનો પ્રયાસ થયો.
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
દિલ્હીમાં પપ્પુ યાદવની પ્રેસ કોન્ફરન્સમાં હાઈવોલ્ટેજ ડ્રામા; ચાકૂ લઈને આવેલા શખ્સને સમર્થકોએ ઝડપી લીધો, સુરક્ષા અને રામ મંદિરના મુદ્દે સરકાર પર આકરા પ્રહાર.

- પપ્પુ યાદવ પર દિલ્હીમાં જીવલેણ હુમલાનો પ્રયાસ થયો.
- સમર્થકોએ હુમલાવરને પકડ્યો, ઘટનાનો વીડિયો વાયરલ થયો.
- યાદવે ન ડરવાની વાત કહી, રામમંદિર ભંડોળ મુદ્દો ઉઠાવ્યો.
Pappu Yadav attack news: રાજકારણમાં ક્યારે શું થાય તે કહેવું મુશ્કેલ છે. તાજેતરમાં જ બિહારના પૂર્ણિયા બેઠકના સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં એક જીવલેણ હુમલાનો પ્રયાસ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને ચાલી રહેલી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ એક અજાણ્યા શખ્સે તેમના પર ચાકૂ વડે હુમલો કરવાની કોશિશ કરી હતી. જોકે, ત્યાં હાજર તેમના સમર્થકોએ સમયસૂચકતા વાપરીને હુમલાવરને પકડી લીધો હતો અને તેને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. આ ઘટના બાદ પપ્પુ યાદવે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેઓ આવા હુમલાઓથી ડરવાના નથી. સાથે જ તેમના સમર્થકોએ સરકાર પર સુરક્ષામાં ચૂકનો આરોપ લગાવ્યો છે. આ જ પ્રેસ કોન્ફરન્સમાં પપ્પુ યાદવે રામ મંદિર દાન ચોરીનો મુદ્દો ઉઠાવીને સરકાર પર આકરા પ્રહાર પણ કર્યા હતા.
વિડિઓમાં કેદ થયો લાઈવ ડ્રામા
આ સમગ્ર ઘટનાનો વિડિઓ પણ સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવ પોતાના નિવાસસ્થાને પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા, ત્યારે અચાનક જ ભારે હોબાળો મચી જાય છે. રિપોર્ટ્સ મુજબ, ભીડમાં ઘૂસી આવેલા એક વ્યક્તિએ સાંસદ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પપ્પુ યાદવના સમર્થકોએ તરત જ તેને પકડી લીધો હતો અને કેમેરાની સામે જ તેને જોરદાર માર મારવાનું શરૂ કરી દીધું હતું. વિડિઓમાં ખુદ સાંસદ પપ્પુ યાદવ પણ આરોપીને પકડી રાખતા જોવા મળે છે, અને ત્યારબાદ સુરક્ષા કર્મીઓ પણ વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરતા નજરે પડે છે. આ ઘટનાથી ત્યાં ભારે અફરાતફરી અને અરાજકતાનો માહોલ સર્જાયો હતો.
"અમે ડરીશું નહીં, જેને મારવા હોય તે મારી શકે છે" - પપ્પુ યાદવ
આ હુમલા બાદ પપ્પુ યાદવે મીડિયા સાથે વાત કરતા રોષપૂર્વક કહ્યું હતું કે, "તે વ્યક્તિ અમને મારવાના ઈરાદે જ છરી લઈને આવ્યો હતો. પરંતુ અમે આવા કોઈથી ડરીશું નહીં. જેને પણ અમને મારવા હોય તે ખુશીથી મારી શકે છે. તેણે તમારી (મીડિયાની) સામે જ અમારા પર હુમલો કર્યો. તો શું હવે આ ડરથી લોકો અમને મળવાનું બંધ કરી દેશે?"
#WATCH | The supporters of Independent MP from Purnea, Pappu Yadav, thrashed the person who allegedly tried to attack the MP while he was holding a press conference at his residence in Delhi. https://t.co/9rLRkBKL4V pic.twitter.com/DABmZMWsIS
— ANI (@ANI) August 2, 2026
સમર્થકોનો પોલીસ અને સરકાર પર ગંભીર આરોપ
આ ઘટના બાદ પપ્પુ યાદવના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓએ દિલ્હી પોલીસ અને સરકાર પર ગંભીર આક્ષેપો લગાવતા કહ્યું છે કે આ એક મોટું કાવતરું છે અને સાંસદની સુરક્ષાને જાણીજોઈને નજરઅંદાજ કરવામાં આવી રહી છે. જ્યારે પપ્પુ યાદવને પૂછવામાં આવ્યું કે શું તેઓ આ મામલે FIR દાખલ કરશે? ત્યારે તેમણે હળવાશથી કહ્યું કે, "અમે તો પહેલા પણ ઘણી વખત FIR નોંધાવી ચૂક્યા છીએ." આ અંગે તેમના વકીલે વધુ માહિતી આપતા જણાવ્યું કે, સાંસદને અગાઉ પણ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી ચૂકી છે અને અમે તેમની સુરક્ષા અંગે વારંવાર લેખિતમાં રજૂઆતો કરી રહ્યા છીએ.
VIDEO | Delhi: Reacting to a clash that erupted during a press conference, Independent MP Pappu Yadav's says, "Did these people beat the Shankaracharya? These people committed a theft. They stole two hundred kilos of gold."
— Press Trust of India (@PTI_News) August 2, 2026
(Full video available on PTI Videos -… pic.twitter.com/qiSDWj59US
રામ મંદિરના દાન મુદ્દે સરકારને લીધી આડેહાથ
આ જ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પપ્પુ યાદવે રામ મંદિરના દાનમાં થયેલી કથિત ચોરીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે સરકાર અને મંદિર ટ્રસ્ટ પર નિશાન સાધતા કહ્યું, "આમાં મારો ગુનો શું છે? અસલી ગુનો તો ચંપત રાયનો છે, અમારો શું વાંક? શું અમે કોઈ ચોરી કરી છે? આ લોકો શંકરાચાર્યો અને સંતોને મારે છે અને પોતે ચોરીઓ કરે છે. તેઓએ 200 કિલોગ્રામ સોનું ચોરી લીધું છે અને લોકોની પવિત્ર શ્રદ્ધા સાથે ખુલ્લેઆમ ખિલવાડ થઈ રહ્યો છે."
Before You Go
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Frequently Asked Questions
દિલ્હીમાં કયા રાજકીય નેતા પર હુમલાનો પ્રયાસ થયો?
પપ્પુ યાદવ પર હુમલો કરનાર શખ્સે કેવી રીતે પ્રયાસ કર્યો?
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક અજાણ્યા શખ્સે ચાકૂ વડે હુમલો કરવાની કોશિશ કરી. જોકે, ત્યાં હાજર સમર્થકોએ તેને તરત જ પકડી લીધો.
હુમલા બાદ પપ્પુ યાદવે શું પ્રતિક્રિયા આપી?
તેમણે કહ્યું કે તેઓ આવા હુમલાઓથી ડરવાના નથી અને જેને મારવા હોય તે મારી શકે છે. હુમલાખોર મારવાના ઈરાદે જ છરી લઈને આવ્યો હતો.
પપ્પુ યાદવના સમર્થકોએ શેનો આરોપ લગાવ્યો?
સમર્થકોએ દિલ્હી પોલીસ અને સરકાર પર સુરક્ષામાં ચૂક તથા સાંસદની સુરક્ષાને જાણીજોઈને નજરઅંદાજ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો.





















