શોધખોળ કરો

Budget session: આજથી શરૂ થશે બજેટ સત્ર, આક્રમક રહેશે વિપક્ષ, NDA સાંસદોની મહત્વની બેઠક

Budget session: મહાકુંભમાં થયેલી ભાગદોડ અંગે વિપક્ષી પક્ષોએ સ્પષ્ટપણે કહ્યું હતું કે સરકારે આ અંગે ચર્ચા કરવી જોઈએ

Budget session:  આજથી શરૂ થનાર બજેટ સત્ર ખૂબ જ તોફાની રહેવાની ધારણા છે. ખાસ કરીને બજેટ પછી સંસદમાં વધુ હંગામો જોવા મળી શકે છે. ગુરુવારે બોલાવાયેલી સર્વપક્ષીય બેઠકમાં તેના સંકેતો સ્પષ્ટપણે જોવા મળ્યા હતા.

મહાકુંભના અરાજકતા પર ચર્ચાની માંગ

સત્ર શરૂ થાય તે પહેલાં પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં થયેલી ભાગદોડ અંગે વિપક્ષી પક્ષોએ સ્પષ્ટપણે કહ્યું હતું કે સરકારે આ અંગે ચર્ચા કરવી જોઈએ. જોકે, સરકારે બેઠકમાં સ્પષ્ટ કર્યું છે કે આ રાજ્યનો વિષય છે અને તે તેના પર વિચાર કરી રહી છે. આમ છતાં જ્યારે વિપક્ષે વારંવાર મહાકુંભમા અવ્યવસ્થા પર ચર્ચાની માંગ કરી ત્યારે સરકારે કહ્યું કે આનો નિર્ણય બિઝનેસ સલાહકાર સમિતિ દ્વારા લેવામાં આવશે.

બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનથી થશે. આ પછી નાણામંત્રી નિર્મલા સીતારમણ બંને ગૃહોમાં આર્થિક સર્વે 2025 રજૂ કરશે. આ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જે દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિ અને દિશા જણાવે છે.

સીતારમણ 2025-26નું સામાન્ય બજેટ રજૂ કરશે

રાષ્ટ્રપતિના સંબોધન અને આર્થિક સર્વેક્ષણ એક દિવસ પછી રજૂ થનારા કેન્દ્રીય બજેટ વિશે કેટલાક મહત્વપૂર્ણ સૂચકાંકો પણ પ્રદાન કરે છે. નાણામંત્રી સીતારમણ શનિવારે (1 ફેબ્રુઆરી) 2025-26નું સામાન્ય બજેટ રજૂ કરશે. એવું માનવામાં આવે છે કે સામાન્ય બજેટ દેશના અર્થતંત્રમાં રહેલી મંદીને દૂર કરવા તેમજ સ્થાનિક અર્થતંત્રમાં માંગ અને રોજગાર વધારવાના પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરશે.

કિરન રિજિજુએ વિપક્ષી પક્ષો સાથે બેઠક યોજી

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં થયેલી આ સર્વપક્ષીય બેઠકમાં સરકારે કહ્યું કે તે બજેટ સત્ર દરમિયાન વક્ફ અને ઇમિગ્રેશન સહિત કુલ 16 બિલ રજૂ કરશે. આ બેઠકમાં 36 રાજકીય પક્ષોના લગભગ 52 નેતાઓએ ભાગ લીધો હતો. સંસદીય બાબતોના મંત્રી કિરન રિજિજુએ વિપક્ષી પક્ષો સાથેની આ બેઠકને રચનાત્મક ગણાવી અને ગૃહને શાંતિપૂર્ણ રીતે ચલાવવા માટે દરેક પાસેથી સહયોગ માંગ્યો હતો.

તેમણે કહ્યું કે બજેટ સત્ર રાષ્ટ્રપતિના અભિભાષણથી શરૂ થશે. આ સમયગાળા દરમિયાન સૌથી મહત્વપૂર્ણ કાર્ય કેન્દ્રીય બજેટ રજૂ કરવાનું રહેશે. સૂત્રોનું માનીએ તો જ્યારે વિપક્ષી પક્ષોએ બેઠકમાં મહાકુંભ ઘટના અને તેના ગેરવહીવટ પર ચર્ચા કરવાની માંગ કરી ત્યારે રાજનાથ સિંહે કહ્યું કે તે રાજ્ય સરકારનો મામલો છે. તે તેના સ્તરે તેને જોઈ રહી છે. જોકે, આ પછી પણ કોંગ્રેસ અને સપા આ મુદ્દા પર ચર્ચા કરવાની પોતાની માંગ પર અડગ રહ્યા હતા.

Budget 2025: બજેટમાં રેલવે મુસાફરો માટે થઇ શકે છે મોટી જાહેરાતો, જાણો શું સસ્તુ થશે ભાડુ?

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
IND vs SA: ગુવાહાટી ટેસ્ટમાં ભારતની 408 રને કારમી હાર, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઇટવોશ
IND vs SA: ગુવાહાટી ટેસ્ટમાં ભારતની 408 રને કારમી હાર, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઇટવોશ
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધતાં હવા ઝેરી બની, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધતાં હવા ઝેરી બની, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
'ગુજરાતમાં ઘરે-ઘરે ભુવા પેદા થઈ ગ્યા, જો તે ધારે તો...' - ગેનીબેન ઠાકોરનું અંધશ્રદ્ધા પર મોટું નિવેદન
'ગુજરાતમાં ઘરે-ઘરે ભુવા પેદા થઈ ગ્યા, જો તે ધારે તો...' - ગેનીબેન ઠાકોરનું અંધશ્રદ્ધા પર મોટું નિવેદન
Advertisement

વિડિઓઝ

Himmatnagar Accident News: હિંમતનગર ઓવરબ્રિજ પર  ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત
Geniben Thakor : ગુજરાતમાં ભુવાઓની સંખ્યા વધ્યાનો સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન
Ahmedabad Air Pollution: અમદાવાદમાં શ્વાસ લેવો પણ બન્યો મુશ્કેલ, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
Ahmedabad News: USAમાં દવા મોકલવાના બહાને ઠગાઈના કોલ સેન્ટરનો પર્દાફાશ
Jignesh Mevani Protest: ભાજપના ઇશારે થઈ રહ્યો છે વિરોધ, મેવાણીના સમર્થનમાં આવ્યા ગેનીબેન-ગુલાબસિંહ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
IND vs SA: ગુવાહાટી ટેસ્ટમાં ભારતની 408 રને કારમી હાર, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઇટવોશ
IND vs SA: ગુવાહાટી ટેસ્ટમાં ભારતની 408 રને કારમી હાર, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઇટવોશ
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધતાં હવા ઝેરી બની, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધતાં હવા ઝેરી બની, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
'ગુજરાતમાં ઘરે-ઘરે ભુવા પેદા થઈ ગ્યા, જો તે ધારે તો...' - ગેનીબેન ઠાકોરનું અંધશ્રદ્ધા પર મોટું નિવેદન
'ગુજરાતમાં ઘરે-ઘરે ભુવા પેદા થઈ ગ્યા, જો તે ધારે તો...' - ગેનીબેન ઠાકોરનું અંધશ્રદ્ધા પર મોટું નિવેદન
Accident: હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક અને રૉડ રૉલર વચ્ચે ટક્કર થતાં ચાર લોકોના મોત
Accident: હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક અને રૉડ રૉલર વચ્ચે ટક્કર થતાં ચાર લોકોના મોત
ઇથોપિયન જ્વાળામુખી વિસ્ફોટ પછી બાબા વાંગાની ભવિષ્યવાણીઓ ફરી વાયરલ, શું 2026 માં આવશે મોટી આફત
ઇથોપિયન જ્વાળામુખી વિસ્ફોટ પછી બાબા વાંગાની ભવિષ્યવાણીઓ ફરી વાયરલ, શું 2026 માં આવશે મોટી આફત
અમદાવાદમાં રોગચાળો વકર્યો, ઘરે-ઘરે મેલેરિયા-ડેન્ગ્યૂ-કમળાના દર્દીઓના ખાટલા, હૉસ્પિટલો ઉભરાઇ
અમદાવાદમાં રોગચાળો વકર્યો, ઘરે-ઘરે મેલેરિયા-ડેન્ગ્યૂ-કમળાના દર્દીઓના ખાટલા, હૉસ્પિટલો ઉભરાઇ
કેમ મુલતવી રાખવામાં આવ્યા પલાશ અને સ્મૃતિના લગ્ન ? સંગીતવાળી રાત્રિએ શું થયું હતું? મ્યુઝિશિયનની માતાએ કર્યો મોટો ખુલાસો
કેમ મુલતવી રાખવામાં આવ્યા પલાશ અને સ્મૃતિના લગ્ન ? સંગીતવાળી રાત્રિએ શું થયું હતું? મ્યુઝિશિયનની માતાએ કર્યો મોટો ખુલાસો
Embed widget