શોધખોળ કરો

Budget session: આજથી શરૂ થશે બજેટ સત્ર, આક્રમક રહેશે વિપક્ષ, NDA સાંસદોની મહત્વની બેઠક

Budget session: મહાકુંભમાં થયેલી ભાગદોડ અંગે વિપક્ષી પક્ષોએ સ્પષ્ટપણે કહ્યું હતું કે સરકારે આ અંગે ચર્ચા કરવી જોઈએ

Budget session:  આજથી શરૂ થનાર બજેટ સત્ર ખૂબ જ તોફાની રહેવાની ધારણા છે. ખાસ કરીને બજેટ પછી સંસદમાં વધુ હંગામો જોવા મળી શકે છે. ગુરુવારે બોલાવાયેલી સર્વપક્ષીય બેઠકમાં તેના સંકેતો સ્પષ્ટપણે જોવા મળ્યા હતા.

મહાકુંભના અરાજકતા પર ચર્ચાની માંગ

સત્ર શરૂ થાય તે પહેલાં પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં થયેલી ભાગદોડ અંગે વિપક્ષી પક્ષોએ સ્પષ્ટપણે કહ્યું હતું કે સરકારે આ અંગે ચર્ચા કરવી જોઈએ. જોકે, સરકારે બેઠકમાં સ્પષ્ટ કર્યું છે કે આ રાજ્યનો વિષય છે અને તે તેના પર વિચાર કરી રહી છે. આમ છતાં જ્યારે વિપક્ષે વારંવાર મહાકુંભમા અવ્યવસ્થા પર ચર્ચાની માંગ કરી ત્યારે સરકારે કહ્યું કે આનો નિર્ણય બિઝનેસ સલાહકાર સમિતિ દ્વારા લેવામાં આવશે.

બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનથી થશે. આ પછી નાણામંત્રી નિર્મલા સીતારમણ બંને ગૃહોમાં આર્થિક સર્વે 2025 રજૂ કરશે. આ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જે દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિ અને દિશા જણાવે છે.

સીતારમણ 2025-26નું સામાન્ય બજેટ રજૂ કરશે

રાષ્ટ્રપતિના સંબોધન અને આર્થિક સર્વેક્ષણ એક દિવસ પછી રજૂ થનારા કેન્દ્રીય બજેટ વિશે કેટલાક મહત્વપૂર્ણ સૂચકાંકો પણ પ્રદાન કરે છે. નાણામંત્રી સીતારમણ શનિવારે (1 ફેબ્રુઆરી) 2025-26નું સામાન્ય બજેટ રજૂ કરશે. એવું માનવામાં આવે છે કે સામાન્ય બજેટ દેશના અર્થતંત્રમાં રહેલી મંદીને દૂર કરવા તેમજ સ્થાનિક અર્થતંત્રમાં માંગ અને રોજગાર વધારવાના પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરશે.

કિરન રિજિજુએ વિપક્ષી પક્ષો સાથે બેઠક યોજી

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં થયેલી આ સર્વપક્ષીય બેઠકમાં સરકારે કહ્યું કે તે બજેટ સત્ર દરમિયાન વક્ફ અને ઇમિગ્રેશન સહિત કુલ 16 બિલ રજૂ કરશે. આ બેઠકમાં 36 રાજકીય પક્ષોના લગભગ 52 નેતાઓએ ભાગ લીધો હતો. સંસદીય બાબતોના મંત્રી કિરન રિજિજુએ વિપક્ષી પક્ષો સાથેની આ બેઠકને રચનાત્મક ગણાવી અને ગૃહને શાંતિપૂર્ણ રીતે ચલાવવા માટે દરેક પાસેથી સહયોગ માંગ્યો હતો.

તેમણે કહ્યું કે બજેટ સત્ર રાષ્ટ્રપતિના અભિભાષણથી શરૂ થશે. આ સમયગાળા દરમિયાન સૌથી મહત્વપૂર્ણ કાર્ય કેન્દ્રીય બજેટ રજૂ કરવાનું રહેશે. સૂત્રોનું માનીએ તો જ્યારે વિપક્ષી પક્ષોએ બેઠકમાં મહાકુંભ ઘટના અને તેના ગેરવહીવટ પર ચર્ચા કરવાની માંગ કરી ત્યારે રાજનાથ સિંહે કહ્યું કે તે રાજ્ય સરકારનો મામલો છે. તે તેના સ્તરે તેને જોઈ રહી છે. જોકે, આ પછી પણ કોંગ્રેસ અને સપા આ મુદ્દા પર ચર્ચા કરવાની પોતાની માંગ પર અડગ રહ્યા હતા.

Budget 2025: બજેટમાં રેલવે મુસાફરો માટે થઇ શકે છે મોટી જાહેરાતો, જાણો શું સસ્તુ થશે ભાડુ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Acharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજોArvind Kejriwal Call To Vikram Thakor:  વિક્રમ ઠાકોરને કેજરીવાલનો ફોન | શું કરી વાત?Thailand, Myanmar Earthquake: થાઇલેન્ડ અને મ્યાનમારમાં ભૂકંપથી તબાહી, અનેક લોકોના મોતGold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Embed widget