શોધખોળ કરો
કાશ્મીર પર તમામ પક્ષોનો નિર્ણય, અલગતાવાદીઓની મનમાની નહીં ચાલે

નવી દિલ્લી: સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે કાશ્મીર સમસ્યાને કાયમી સમાધાન કાઢવા માટે રાષ્ટ્રીય સાર્વભૌમત્વની સાથે કોઈ સમજૂતી કર્યા વગર હર્રિયત સહિત તમામ પક્ષો સાથે વાતચીત શરૂ કરવાની કેંદ્ર અને રાજ્ય સરકારને અપીલ કરી છે. જ્યારે પ્રતિનિધિમંડળે બેઠકમાં એ પણ કહ્યું છે કે રાષ્ટ્રીય સાર્વભૌમત્વના મુદ્દા પર કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં. ગૃહમંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં કાશ્મીર ઘાટીથી બે દિવસના પ્રવાસથી પાછા ફરેલા સર્વદળીય પ્રતિનિધિમંડળની આજે અહીં મળેલી બેઠકમાં ઘાટીમાં સ્થિતિ સામાન્ય બનાવવા માટે કેંદ્ર અને રાજ્ય સરકારને જરૂરી કદમ ઉઠાવવા માટે અનુરોધ કર્યો હતો. બેઠકમાં કોંગ્રેસે બે ફાર્મુલા રજૂ કરી હતી અને વામ પક્ષોએ પાંચ સૂચન કર્યા હતા. બેઠકમાં સર્વસંમતિથી એક પ્રસ્તાવ પાસ કર્યો હતો. જેમાં કાશ્મીરની હાલત પર ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું છે કે સભ્ય સમાજમાં હિંસા માટે કોઈ સ્થાન નથી અને રાષ્ટ્રીય સાર્વભૌમત્વની સાથે કોઈ સમજૂતી થઈ શકશે નહીં. પ્રતિનિધિમંડળે શાંતિ અને વાતચીત માટે અપીલ કરતા કહ્યું કે નાગરિક સમાજમાં હિંસાનું કોઈ સ્થાન નથી.
Before You Go
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક





















