શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
જેસલમેરઃ લોંગેવાલા પોસ્ટ પર જવાનો સાથે પીએમ મોદીએ ઉજવી દિવાળી, કહ્યું- તમે છો તો દેશ છે, દેશના તહેવાર છે
2014માં કાર્યભાર સંભાળ્યા બાદથી પીએમ દર વર્ષે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, જમ્મુ કાશ્મીરના વિસ્તારમાં જવાનો સાથે સમય વિતાવીને દિવાળીની ઉજવણી કરતા રહ્યા છે.
![જેસલમેરઃ લોંગેવાલા પોસ્ટ પર જવાનો સાથે પીએમ મોદીએ ઉજવી દિવાળી, કહ્યું- તમે છો તો દેશ છે, દેશના તહેવાર છે pm modi at jaisalmer, celebrate diwali with troops જેસલમેરઃ લોંગેવાલા પોસ્ટ પર જવાનો સાથે પીએમ મોદીએ ઉજવી દિવાળી, કહ્યું- તમે છો તો દેશ છે, દેશના તહેવાર છે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/14171753/modi-jaisalmer.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદી જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવા જેસલમેર પહોંચી ગયા છે. અહીં તેમણે બોર્ડરની લોંગેવાલા ચોકી પર દેશના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી છે. અહીં પીએમ મોદીએ જવાનોને સંબોધિત કરતાં કહ્યું કે, તમે બધા વીરોને મારા તરફથી 130 કરોડ દેશવાસિઓ તરફથી દિવાળીની શુભેચ્છા. પીએમએ કહ્યું કે, દેશની સરહદ પર હોય કે આકાશમાં હોય કે પછી સમુદ્રમાં રાષ્ટ્રની રક્ષામાં જોડાયેલ દેશની દીકરી અને દીકરા, દરેક સુરક્ષાદળ, બધાને દિવાળીના આ પાવન પર્વ પર નમન કરું છું.
પીએમ મોદીએ જવાનોને સંબોધિત કરતાં કહ્યું કે તમે છો તો દેશ છે. દેશના આ તહેવાર છે. પીએમે કહ્યું કે, હું તમારી વચ્ચે દરેક ભારતવાસીની શુભેચ્છાઓ લઈને આવ્યો છું. ભારતવાસીઓનો પ્રેમ લઈને આવ્યો છું. દરેક વરિષ્ઠ નાગરિકના આશીષ લઈને આવ્યો છું.
2014માં કાર્યભાર સંભાળ્યા બાદથી પીએમ દર વર્ષે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, જમ્મુ કાશ્મીરના વિસ્તારમાં જવાનો સાથે સમય વિતાવીને દિવાળીની ઉજવણી કરતા રહ્યા છે.
વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદીએ પહેલી દિવાળી સિયાચીનમાં મનાવી હતી. તો 2015માં પીએમ મોદીએ પંજાબ સરહદે જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. જ્યારે 2016માં તેઓએ હિમાચલ પ્રદેશનાં ઈન્ડો-તિબ્બત બોર્ડર પર જવાનો વચ્ચે પહોચ્યા હતા. તો 2017માં જમ્મુ કાશ્મીરનાનાં ગુરેજમાં જવાનો સાથે દિવાળી મનાવી હતી.
2018માં ભારત-ચીનની સરહદ નજીક સેના અને આઈટીબીપીના જવાનો સાથે દિપાવલી ઉજવી હતી જયારે 2019માં હર્ષિલમાં જવાનો સાથે આ પર્વની ઉજવણી કરી હતી. ત્યારે આ વર્ષે પણ આ પરંપરા જાળવી રાખતા વડાપ્રધાન પાકિસ્તાન સરહદે સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી સેનાના જવાનોનો ઉત્સાહ વધારશે.
પીએમ મોદીએ દિવાળીની પૂર્વ સંધ્યાએ દેશની જનતાને દેશની જનતાને આ દિવાળી પર એક દીપ સૈનિકોના નામ પર પ્રજ્વલિત કરવાની અપીલ કરી હતી.
પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે દિવાળી પર આવો એક દીપ સૈલ્યુટ ટુ સોલ્જરના નામ પર પ્રજ્વલિત કરીએ. સૈનિકોના અદભૂત સાહસને લઈને અમારા દિલમાં જે આભાર માનીએ તેને શબ્દોમાં ન વર્ણવી શકીએ. આપણે સીમા પર તૈનાત જવાનોના પરિવારજનોના પણ આભારી છીએ.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)