શોધખોળ કરો

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે PM મોદી આજે કરશે CCPA અને CCSની બેઠક, કેવી રીતે કામ કરે છે આ સમિતિ?

પહલગામ હુમલા પછી સશસ્ત્ર દળોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

PM Modi Cabinet Panel Meet Today 30 April: 22 એપ્રિલના રોજ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી કેન્દ્રીય કેબિનેટની પહેલી બેઠક આજે (બુધવાર, 30 એપ્રિલ) યોજાશે. પહલગામ આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. આજે સવારે 11 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક બેઠક બોલાવવામાં આવી છે. આ સાથે આજે સુરક્ષા બાબતોની સમિતિ CCS ની બેઠક પણ યોજાશે.

ગયા અઠવાડિયે કેન્દ્રીય મંત્રીમંડળની કોઈ બેઠક યોજાઇ નહોતી અને 23 એપ્રિલે ફક્ત સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) ની બેઠક મળી હતી જેમાં પહલગામ આતંકવાદી હુમલાની નિંદા કરવામાં આવી હતી. ગયા બુધવારે CCS ની બેઠક બાદ ભારતે પાકિસ્તાન સાથે રાજદ્વારી સંબંધો ઘટાડવા સહિત અનેક પગલાંની જાહેરાત કરી હતી.

પીએમ મોદીએ સેનાને છૂટ આપી

ગઈકાલે એટલે કે મંગળવારે (29 એપ્રિલ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે આતંકવાદ સામે 'જોરદાર પ્રહાર' કરવા માટે સેનાને છૂટ આપી છે. આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ તેમજ સેના, નેવી અને વાયુસેનાના વડાઓ પણ હાજર રહ્યા હતા.

પ્રધાનમંત્રી મોદીએ બેઠકમાં કહ્યું કે આતંકવાદ પર મજબૂત હુમલો એ આપણો રાષ્ટ્રીય સંકલ્પ છે. ભારતીય સશસ્ત્ર દળોની ક્ષમતામાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે તેમની પાસે "આપણી પ્રતિક્રિયાની પદ્ધતિ, લક્ષ્યો અને સમય નક્કી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. પીએમ મોદીએ પહેલેથી જ કહ્યું છે કે આતંકવાદીઓ અને તેમના સમર્થકોને એવા પરિણામોનો સામનો કરવો પડશે જેની તેમણે કલ્પના પણ નહીં કરી હોય."

પહલગામ હુમલા બાદ સેના હાઈ એલર્ટ પર

પહલગામ હુમલા પછી સશસ્ત્ર દળોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પરના ચોક્કસ એકમોને ઓપરેશનલ રેડીનેસ મોડમાં મૂકવામાં આવ્યા છે. ડ્રોન, સેટેલાઇટ છબીઓ અને ઇલેક્ટ્રોનિક ઇન્ટરસેપ્ટ્સ દ્વારા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં આતંકવાદી લોન્ચપેડ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

CCPAની ભૂમિકા શું છે?

રાજકીય બાબતોની કેબિનેટ સમિતિ (CCPA) દેશના રાજકીય અને આર્થિક મુદ્દાઓની સમીક્ષા કરે છે અને નિર્ણયો લે છે. જ્યારે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે પરસ્પર સંમતિ બનાવવાની જરૂર હોય ત્યારે CCPA ની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ સમિતિ આર્થિક નીતિઓ અને આંતરિક સુરક્ષા સંબંધિત બાબતો પર પણ વિચાર કરે છે જેનો સીધો રાજકીય પ્રભાવ પડે છે. આ ઉપરાંત, CCPA મંત્રાલયો અને વિદેશ નીતિ વચ્ચે સંકલન સંબંધિત મુદ્દાઓ પર પણ વિચાર કરે છે, ખાસ કરીને જ્યારે તેઓ દેશના રાજકારણ પર અસર કરી શકે છે.

CCPAમાં કોનો સમાવેશ થાય છે?

આ સમિતિના અધ્યક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. આમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ, વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ, આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા, નાગરિક ઉડ્ડયન પ્રધાન કે. રામ મોહન નાયડુ, એમએસએમઈ પ્રધાન જીતન રામ માંઝી, શિપિંગ પ્રધાન સર્બાનંદ સોનોવાલ, પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવ, મહિલા અને બાળ વિકાસ પ્રધાન અન્નપૂર્ણા દેવી, સંસદીય બાબતોના પ્રધાન કિરન રિજિજુ અને કોલસા પ્રધાન જી. કિશન રેડ્ડીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સહયોગી પક્ષોના કેટલાક કેબિનેટ મંત્રીઓને પણ આ સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ

વિડિઓઝ

આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
Embed widget