શોધખોળ કરો

PM Modi on Tokyo Olympics:ઓલિમ્પિકમાં ભાગ લેવા ગયેલા એથલિટને 15 ઓગસ્ટે લાલ કિલ્લા પર મળશે PM મોદી

Tokyo Olympics: ટોક્યો ઓલિમ્પિકમાં અત્યાર સુધીના સૌથી વધુ ભારતીય એથલિટ ભાગ લઈ રહ્યા છે.

Tokyo Olympics 2020: હાલ ટોક્યો ઓલિમ્પિક 2020 રમાઈ રહી છે. જેમાં ભારતમાંથી અત્યાર સુધીના સૌથી વધુ એથલિટ ભાગ લેવા ગયા છે. આ તમામ એથલિટને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે લાલ કિલ્લા પર  સ્પેશિયલ ગેસ્ટ તરીકે મળવા બોલાવ્યા છે.

ઓલિમ્પિકમાં ભારતના પ્રદર્શન પર શું કહ્યું પીએમ મોદીએ

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, આ વખતે ઓલિમ્પિકમાં ભારતના અત્યાર સુધીના સૌથી વધુ ખેલાડીઓએ ક્વોલિફાય કર્યુ છે. સો વર્ષની સૌથી મોટી આફત સામે ઝઝૂમીને આમ કર્યુ છે તે યાદ રહે. કેટલાક ખેલાડીઓ તો એવા છે જેમણે પ્રથમ વખત ક્વોલિફાય કર્યુ છે. માત્ર ક્વોલિફાય જ નથી કર્યુ પરંતુ ટક્કર પણ આપી છે. ભારતીય ખેલાડીઓનો જોશ, ઝનૂન આજે સર્વોચ્ચ સ્તર પર છે. જ્યારે યોગ્ય ટેલેન્ટની ઓળખ થાય અને તેમને પ્રોત્સાહન મળે ત્યારે આવો આત્મવિશ્વાસ આવે છે. જ્યારે વ્યવસ્થા બદલાય છે ત્યારે આત્મવિશ્વાસ આવે છે. આ નવો આત્મવિશ્વાસ ન્યૂ ઈન્ડિયાની ઓળખ બની રહી છે.

પુરુષ હોકી સેમિ ફાઇનલમાં ભારતની હાર બાદ પ્રધાનમંત્રી મોદીએ શું કહ્યું

ટોક્યો ઓલિમ્પિકમાં પુરુષ હોકીની સેમીફાઈનલમાં ભારતની હાર થઈ હતી. સેમી ફાઈનલમાં બેલ્જિયમે ભારતને 5-2થી હાર આપી હતી. આ સાથે જ હવે ભારતીય ટીમ બ્રોન્ઝ મેડલ માટે મેચ રમશે. આગામી 5 ઓગસ્ટના રોજ ભારતીય હોકી ટીમ હવે બ્રોન્ઝ મેડલ માટે રમશે. પ્રધાનમંત્રી મોદી પણ આ મુકાબલો નીહાળવા સવારે ટીવી સામે ગોઠવાઈ ગયા હતા અને આ અંગે ટ્વીટ કરીને ખુદ માહિતી આપી હતી. જોકે ભારતની હાર બાદ પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યુ હતું. મોદીએ ટ્વીટ કરીને લખ્યું, “હાર-જીત જીવનનો ભાગ છે. ટોક્યો 2020માં આપણી પુરુષ હોકી ટીમે પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું છે અને આ જ મહત્ત્વનું છે. ટીમને આગામી મેચ અને તેના ભવિષ્યના પ્રયત્નો માટે શુભકામનાઓ, ભારતને પોતાના ખેલાડીઓ પર ગર્વ છે.

આ પહેલા મુકાબલો શરૂ થયું પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, હું ભારત અને બેલ્જિયમની હોકી પુરુષ સેમીફાઈનલ જોઈ રહ્યો છું. અમને આપણી ટીમ અને તેની કુશળતા પર ગૌરવ છે. તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
Embed widget