શોધખોળ કરો

ટેરિફ વિવાદ વચ્ચે મોટો નિર્ણય, આ મહિને PM મોદી નહીં જાય અમેરિકા, એસ જયશંકર UNGA માં આપશે ભાષણ

Trump Tariff: રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ટ્રમ્પે ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ દંડ લાદ્યો છે. ટ્રમ્પ કહે છે કે ભારત રશિયન તેલ ખરીદીને વોર મશીનને ફ્યૂલ આપી રહ્યું છે.

Trump Tariff: વર્તમાન સમયમાં ભારત અને અમેરિકાના સંબંધોમાં કડવાસ આવી છે. તેનું મુખ્ય કારણ ટ્રમ્પની ટેરીફ નીતિ છે. આ દરમિયાન  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં ન્યૂયોર્કમાં યોજાનાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના સત્રમાં હાજરી આપશે નહીં. તેમના સ્થાને વિદેશ મંત્રી એસ. જયશંકર UNGA માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. પીએમ મોદીનો UNGA માં હાજરી ન આપવાનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર દંડ લાદ્યો છે, ત્યારબાદ ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈને તણાવ વધી ગયો છે. 

23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે સત્ર 

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલ વક્તાઓની યાદીમાં પ્રધાનમંત્રી મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ બંનેના નામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. UNGA ના 80મા સત્રમાં ઉચ્ચ સ્તરીય સામાન્ય ચર્ચા 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે, જેમાં પરંપરાગત રીતે બ્રાઝિલ સત્રની શરૂઆત કરશે, ત્યારબાદ અમેરિકા. પીએમ મોદીની સાથે, આ સત્રમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફનું નામ પણ સામેલ કરવામાં આવ્યું હતું.

ભારત મહાસભાને સંબોધિત કરશે

વક્તાઓની યાદી અનુસાર, ભારત 27 સપ્ટેમ્બરની સવારે મહાસભાને સંબોધિત કરશે. આ સત્રમાં, પ્રધાનમંત્રીના સ્થાને વિદેશ મંત્રી એસ. જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં વર્ષનું સૌથી વ્યસ્ત રાજદ્વારી સત્ર ગણાતું આ ઉચ્ચ સ્તરીય સત્ર દર વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ થાય છે. આ વર્ષે આ સત્ર ઇઝરાયલ-હમાસ સંઘર્ષ તેમજ યુક્રેન-રશિયા સંઘર્ષ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે તેને મહત્વપૂર્ણ બનાવે છે.

ભારત-અમેરિકા ટેરિફ તણાવ

આ વર્ષે ફેબ્રુઆરીમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી વ્હાઇટ હાઉસ ખાતે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય બેઠક માટે અમેરિકા ગયા હતા. મોદી અને ટ્રમ્પે દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) ના પ્રથમ ભાગ પર વાટાઘાટો કરવાની યોજના જાહેર કરી તે બેઠક પછી એક સંયુક્ત નિવેદન જારી કરવામાં આવ્યું હતું. જોકે, ટ્રમ્પે ગયા મહિને રશિયન તેલ ખરીદવા માટે ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લાદ્યો હતો, જેનાથી કુલ ટેરિફ 50 ટકા થઈ ગયો હતો.

ભારતના વિદેશ મંત્રાલયે ટ્રમ્પના આ પગલાને ખોટો અને અવિચારી નિર્ણય ગણાવ્યો હતો. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે કોઈપણ મુખ્ય અર્થતંત્રની જેમ, ભારત પણ તેના રાષ્ટ્રીય હિતો અને આર્થિક સુરક્ષાના રક્ષણ માટે તમામ જરૂરી પગલાં લેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જૂથ સામેલ થશે કે નહીં? જાણો શું છે મોટું અપડેટ?
ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જૂથ સામેલ થશે કે નહીં? જાણો શું છે મોટું અપડેટ?
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
દિલ્હી બેઠક પહેલા સંજય સિંહનો મોટો ધડાકો, ‘આપ હવે ઇન્ડિયા (INDIA) ગઠબંધનનો ભાગ નથી’
દિલ્હી બેઠક પહેલા સંજય સિંહનો મોટો ધડાકો, ‘આપ હવે ઇન્ડિયા (INDIA) ગઠબંધનનો ભાગ નથી’
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 11 રાજ્યોમાં તોફાની વરસાદ અને વીજળીનું એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 11 રાજ્યોમાં તોફાની વરસાદ અને વીજળીનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
Embed widget