શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીનું નિધન, 84 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીનું 84 વર્ષની ઉંમરે નિધન થયું છે.
![પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીનું નિધન, 84 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ Pranab Mukherjee Death Former President Pranab Mukherjee Passes Away પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીનું નિધન, 84 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/31232642/pranav-da.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીનું 84 વર્ષની ઉંમરે નિધન થયું છે. છેલ્લા ધણા સમયથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા.
આજે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીનું નિધન થયું છે. પ્રણવ મુખર્જીના દિકરા અભિજીત મુખર્જીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.
આ પહેલા ડૉક્ટરે જણાવ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી સ્વાસ્થ્ય વધારે ખરાબ થયું હતું કારણ કે ફેફસામાં સંક્રમણના કારણે તેમને સેપ્ટિક શોક લાગ્યો છે. જેમાં શરીરના અંગોને પર્યાપ્ત ઓક્સિજન નથી મળતો.
હોસ્પિટલમાં પ્રણબ મુખર્જીની સારવાર કરતા ડૉક્ટરે ક્હ્યું તેઓ કોમામાં હતા અને વેન્ટિલેટર પર હતા. પ્રણવ મુખર્જી 2012થી 2017 સુધી 13માં રાષ્ટ્રપતિ હતા.
ભારત સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીના નિધન પર સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. પ્રણવ મુખર્જીના નિધન પર સમગ્ર દેશમાં ભારત સરકાર દ્વારા 31 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
પ્રણવ મુખર્જીના નિધન પર પ્રધાનમંત્રી મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. પીએમ મોદીએ ટ્વિટ કરતા કહ્યું પ્રણવ મુખર્જીના નિધનથી આખો દેશ દુ:ખી છે, તેઓ સ્ટેટ્સમેન હતા. તેમણે રાજકીય ક્ષેત્ર અને સામાજિક ક્ષેત્રના દરેક વર્ગની સેવા કરી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ટેકનોલોજી
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)