શોધખોળ કરો

અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ વધુ એક પ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારી, જાણો ડિટેલ

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામનો દરબાર બનીને તૈયાર થઇ રહ્યો છે. આ દરબારને રામ દરબાર તરીકે સ્થાપિત કરવામાં આવશે. આ અભિષેક સમારોહને ભવ્ય બનાવવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

અયોધ્યામાં ભગવાન રામ લલ્લાના અભિષેકના લગભગ દોઢ વર્ષ બાદ હવે ભવ્ય રામ મંદિરમાં વધુ એક અભિષેક સમારોહની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. વાસ્તવમાં રામ મંદિરમાં ભગવાન શ્રી રામનો ભવ્ય દરબાર પણ બનાવવામાં આવ્યો છે. આ દરબાર મંદિરના પહેલા માળે બનેલ છે, જેને રામ દરબાર તરીકે સ્થાપિત કરવામાં આવશે.

ધ ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, આ અભિષેક સમારોહને ભવ્ય બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. તાજેતરમાં, શ્રી રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠકમાં, સમારોહની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી અને ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને અભિષેક સમારોહની તારીખ જાહેર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમારોહ 22 જાન્યુઆરી, 2024 ના રોજ આયોજિત ભવ્ય સમારોહ જેવો નહીં હોય, પરંતુ તેનું ફોર્મેટ ઘણું વ્યાપક હશે. રાજા રામનો અભિષેક સમારોહ પણ મંદિર નિર્માણનો એક પ્રકારનો પૂર્ણાહુતિ હશે, જે 2020માં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ શરૂ થયો હતો.  ઉલ્લેખનિય છે કે, મંદિર નિર્માણ સમિતિની અધ્યક્ષતા હાલમાં વડાપ્રધાન મોદીના પૂર્વ મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રા કરી રહ્યા છે.

જાણો ક્યારે પૂર્ણ થશે મંદિર પરિસરનું નિર્માણ કાર્ય

નૃપેન્દ્ર મિશ્રાએ તાજેતરમાં કહ્યું હતું કે મંદિર સંકુલનું નિર્માણ કાર્ય આ મહિનાના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે, જ્યારે પાર્કોટા  અથવા કમ્પાઉન્ડ વોલનું બાકીનું કામ આ વર્ષના અંત પહેલા પૂર્ણ થઈ જશે.

કેવો હશે રામ દરબાર?

રામ લલ્લાની 51 ઈંચ ઊંચી મૂર્તિ કર્ણાટકના કલાકાર અરુણ યોગીરાજ દ્વારા ભગવાન રામના બાળપણમાં તેમના રૂપ માં  બનાવવામાં આવી હતી, જ્યારે જયપુરમાં  શિલ્પકાર પ્રશાંત પાંડેની આગેવાની હેઠળ 20 કારીગરોની ટીમ દ્વારા સફેદ મકરાણા માર્બલથી રામ દરબાર માટે મૂર્તિ  બનાવવામાં આવી રહ્યી છે. રામાયણના સૌથી લોકપ્રિય સંસ્કરણ રામચરિતમાનસના લેખક સંત તુલસીદાસની વિશાળ પ્રતિમા પણ સંકુલમાં સ્થાપિત કરવામાં આવી રહી છે. કુદરત સાથે સુમેળ જળવાઈ રહે તે માટે 20 એકર જેટલી જમીનનું પણ બ્યુટીફીકેશન કરવામાં આવશે.                                                                     

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget