શોધખોળ કરો

સોનભદ્ર હત્યાકાંડ: પીડિત પરિવારને મળ્યાં પ્રિયંકા ગાંધી, મૃતકોના પરિવારને 10 લાખની સહાય કરશે કૉંગ્રેસ

ઉત્તર પ્રદેશના સોનભદ્રના મૂર્તિયા ગામમાં બુધવારે જમીન વિવાદને લઇને આદિવાસી પરિવારના 10 લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. આમાં 28 લોકો ઘાયલ પણ થયા હતા.

લખનઉઃ સોનભદ્ર હત્યાકાંડના પરિવારને મળ્યા બાદ કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ 26 કલાક બાદ ધરણા સમાપ્ત કર્યા છે. સાથે કૉંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી છે કે મૃતક પરિવારને 10 લાખ રૂપિયાની આર્થિદ મદદ કરવામાં આવશે. પ્રિયંકા ગાંધીએ પીડિત પરિવાર સાથે પ્રેસ કૉન્ફ્રેન્સ પણ કરી હતી. પત્રકાર પરિષદમાં પીડિત આદિવાસી પરિવારે સોનભદ્રની દુખદ ઘટના અંગે જણાવ્યું હતું. તેઓએ કહ્યું કે “17 તારીખે 11 વાગ્યે કેલાક લોકો બંદૂક-લાકડીઓ સાથે પહોંચી ગયા  હતા અને વિવાદિત જમીનની માપણી કરવા લાગ્યા હતા. અમે લોકોએ જ્યારે તેનો વિરોધ કર્યો ત્યારે અમને મારવા લાગ્યા હતા. અમારી માંગ છે કે ટ્રસ્ટની જમીન આદિવાસીઓ વચ્ચે વહેંચવામાં આવે.” સોનભદ્ર હત્યાકાંડ: પીડિત પરિવારને મળ્યાં પ્રિયંકા ગાંધી, મૃતકોના પરિવારને 10 લાખની સહાય કરશે કૉંગ્રેસ પીડિતોઓ વધુમાં જણાવ્યું કે જ્યારે અમને ખબર પડી કે પ્રિયંકા ગાંધીની અટકાયત કરવામાં આવી છે તો અમે પોતેજ અહીં આવવાનો નિર્ણય કર્યો હતો. બીએચયૂ ટ્રામા સેન્ટરમાં સારવાર માટે પૈસા માંગવામાં આવ્યા. અમારા પર ગુંડા એક્ટ પણ લગાવાયો. વહીવટી તંત્રને અમે મળ્યા નથી. તેઓ સમજૂતી કરાવવા માંગતા હતા. પરંતુ અમે કહ્યું કે આ મામલો કોર્ટમાં છે. તેઓએ આગળ જણાવ્યું કે તંત્રની સહમતી અને મીલીભગતથી આ ઘટના બની છે. ઘટનાના સવારે પોલીસે ફોન કરીને પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા. આશંકા વ્યક્ત કરી ત્યારે કહ્યું કે કંઈ નહીં થાય. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જે રીતે આ ઘટના બની છે તે ખૂબજ ભયાનક છે. ઘટનાસ્થળે 300 લોકો પહોંચ્યા હતા. જે ગોળીથી નથી મર્યા તેને લાકડીથી મારવામાં આવ્યા. મહિલાઓને ઈંટથી મારવામાં આવી. મદદ માટે તંત્ર પણ સમયપર ના પહોંચ્યું. મહિલાઓ પર ખોટા કેસ નોંધવામાં આવ્યા. પીડિત પરિવારોને 25 લાખ રૂપિયાની સહાય મળવી જોઈએ. જમીન પર તેમને માલિકી હક મળે. આ મામલો ફાસ્ટ ટ્રેક કરવામાં આવે. ખોટા કેસો ખતમ કરવામાં આવે. આ તમામની સુરક્ષા જરૂરી છે. પ્રિયંકાએ વધુમાં કહ્યું, આ મામલે તમામ જવાબદારી યોગી આદિત્યનાથ અને ભાજપની છે. શાસન જનતાની સેવા માટે હોય છે તેને પરેશાન કરવા જોઈએ નહીં, કૉંગ્રેસ પાર્ટી પીડિત પરિવારને દસ-દસ લાખ રૂપિયાની મદદ કરશે. પ્રિયંકાએ કહ્યું ભવિષ્યમાં પીડિતોના ગામની પણ મુલાકાત લઈશ. અમે કાયદાકીય સહાયતા પણ કરીશું. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધી ગઈ કાલથી પીડિત પરિવારને મળવા માટે ચુનાર ગેસ્ટ હાઉસમાં ઘરણા પર બેઠા હતા. શુક્રવારે વારાણસીથી સોનભદ્ર જઇ રહેલી પ્રિયંકા ગાંધીને મિર્જાપુરમાં અટકાયત કરવામાં આવી હતી, પ્રિયંકા અહીં કાર્યકર્તાઓ સાથે ધરણાં પર બેસી ગયા હતા. નોંધનીય છે કે, બુધવારે ઉત્તર પ્રદેશના સોનભદ્રના મૂર્તિયા ગામમાં જમીન વિવાદને લઇને આદિવાસી પરિવારના 10 લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. આમાં 28 લોકો ઘાયલ પણ થયા હતા. કહેવાઇ રહ્યુ છે કે, મૂર્તિયા ગામના બહારના વિસ્તારમાં સેંકડો વિઘા ખેતરો છે, જેના પર કેટલાક ગ્રામીણો પરંપરાગત-બાપદાદા વખતના ખેતી કરી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Embed widget