શોધખોળ કરો

AAP ના ધારાસભ્ય અનમોલ ગગન માને આપ્યું રાજીનામું, અચાનક રાજકારણ છોડવાની જાહેરાત 

આમ આદમી પાર્ટીના ખરડથી ધારાસભ્ય અને પૂર્વ મંત્રી અનમોલ ગગન માને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.

આમ આદમી પાર્ટીના ખરડથી ધારાસભ્ય અને પૂર્વ મંત્રી અનમોલ ગગન માને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. અનમોલ ગગન માને  પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું છે કે તેમનું દિલ ભારે છે પરંતુ તેમણે રાજકારણ છોડવાનો નિર્ણય લીધો છે. મારી શુભેચ્છાઓ પાર્ટી સાથે છે. મને આશા છે કે પંજાબ સરકાર લોકોની અપેક્ષાઓ પર ખરી ઉતરશે.

ગગન માનએ કહ્યું કે ધારાસભ્ય તરીકે તેમણે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપી દીધું છે. રાજીનામું સ્વીકારવામાં આવે. આશા છે કે પંજાબ સરકાર લોકોની અપેક્ષાઓ પર ખરી ઉતરશે. 

2020 માં પાર્ટીમાં જોડાયા

અનમોલ ગગન માન પંજાબ સરકારમાં પર્યટન મંત્રી રહી ચૂક્યા છે. પંજાબી ગાયિકાથી મંત્રી બનવા સુધીની અનમોલ ગગન માનની સફર ખૂબ જ રસપ્રદ છે. તેઓ 2020 માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે શિરોમણી અકાલી દળના ઉમેદવાર રણજીત સિંહ ગિલને લગભગ 37718 મતોથી હરાવ્યા હતા. તેઓ 2022 ની વિધાનસભા ચૂંટણી જીતનારા સૌથી યુવા નેતાઓમાંના એક છે. અનમોલ ગગન માન પાર્ટીના પ્રચાર ગીતની રચના પણ કરી હતી.

મોડેલિંગ અને ગાયકીમાં નામ બનાવ્યું

અનમોલ ગગન માનનો જન્મ 1990 માં માનસામાં થયો હતો. તેમણે ચંદીગઢમાં અભ્યાસ કર્યો હતો. આ પછી, તેમણે પહેલા મોડેલિંગ અને પછી ગાયનમાં કારકિર્દી બનાવી. ગયા વર્ષે જૂનમાં તેમના લગ્ન એડવોકેટ શાહબાઝ સોહી સાથે થયા હતા.

એક દિવસ પહેલા, શિરોમણી અકાલી દળના વરિષ્ઠ નેતા અને રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ રણજીત સિંહ ગિલે અકાલી દળ છોડવાની જાહેરાત કરી હતી.

સુખપાલ ખૈરાએ નિશાન સાધ્યું

અનમોલ ગગન માનના રાજીનામા પર કોંગ્રેસ ધારાસભ્ય સુખપાલ ખૈરાએ પ્રતિક્રિયા આપી છે. સુરખપાલ ખૈરાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું - અનમોલ ગગન માનનો રાજકારણ છોડવાનો નિર્ણય અરવિંદ કેજરીવાલના પૂર્ણ વિશ્વાસઘાતને દર્શાવે છે. માન આમ આદમી પાર્ટીની ઉપયોગ કરો અને ફેંકી દોની ગંદી રાજનીતિનો પહેલો ભોગ નથી બની, પરંતુ પ્રશાંત ભૂષણથી લઈને ગુરપ્રીત ઘુગ્ગી સુધીની યાદી લાંબી છે. ભગવંત માન સરકારના દિવસો ગણતરીના બાકી રહ્યા છે.        

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Embed widget