શોધખોળ કરો

PM Modi stuck: PM મોદીની સુરક્ષામાં ખામીને લઇને ભાજપે પંજાબ સરકારની કરી ટીકા

પંજાબના ફિરોઝપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજની રેલી રદ કરવામાં આવી છે. પીએમ મોદી દિલ્હી પરત ફરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ સમગ્ર મામલે પંજાબ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે

PM Modi Rally Cancelled In Punjab: પંજાબના ફિરોઝપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજની રેલી રદ કરવામાં આવી છે. પીએમ મોદી દિલ્હી પરત ફરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ સમગ્ર મામલે પંજાબ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. એગ્રીકલ્ચર એક્ટને રદ્દ કર્યા પછી પીએમ મોદીની પંજાબની આ પહેલી મુલાકાત હતી, જ્યારે તેઓ ત્યાંના લોકોને સંબોધિત કરશે. આ રેલીમાં પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહ પણ સામેલ થવાના હતા. સૂત્રોના મતે દિલ્હી પરત ફરતી વખતે વડાપ્રધાન મોદીએ ભટિંડા એરપોર્ટ પરના અધિકારીએ કહ્યુ કે તમારા મુખ્યમંત્રીનો આભાર માનશો કારણ કે હું ભટિંડા એરપોર્ટ સુધી જીવિત પરત ફર્યો છું.

ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ખામી બાદ કાફલો પરત ફર્યો હતો. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મંત્રાલયે પંજાબ સરકારને સુરક્ષામાં ચૂકને લઇને જવાબદારી નક્કી કરવા અને કડક કાર્યવાહી કરવા કહ્યું કે જે સમયે આ ઘટના બની ત્યારે વડાપ્રધાન ભટિંડાથી હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારક જઇ રહ્યા હતા.

સૂત્રોના મતે પંજાબમાં વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચૂક ફક્ત સ્થાનિક પોલીસની જ નહી પરંતુ કેન્દ્રિય જાસૂસી અને સુરક્ષા એજન્સીઓની પણ છે. શું કેન્દ્રિય એજન્સીઓને આ પ્રદર્શનને લઇને કોઇ જાણકારી નહોતી. કેન્દ્રિય ગૃહ મંત્રાલય આ અંગે ઉચ્ચસ્તરીય તપાસ કરાવી શકે છે.

ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે આજે સવારે પીએમ મોદી ભટિંડા પહોંચ્યા, જ્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા હુસૈનવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાના હતા. પરંતુ, વરસાદ અને ઓછી વિઝિબિલિટીના કારણે પીએમ મોદીએ લગભગ 20 મિનિટ રાહ જોવી પડી હતી.પરંતુ, હવામાન ચોખ્ખું ન રહેતાં તેઓ રોડ મારફતે નેશનલ મેમોરિયલની મુલાકાત લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ, તેમાં 2 કલાકથી વધુ સમય લાગ્યો હશે. પંજાબ પોલીસના ડીજીપી તરફથી જરૂરી સુરક્ષા વ્યવસ્થાની પુષ્ટિ કર્યા પછી, તેણે આગળની યાત્રા શરૂ કરી. ગૃહ મંત્રાલયે વધુમાં કહ્યું કે જ્યારે પીએમ મોદીનો કાફલો હુસૈનવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારકથી લગભગ 30 કિમી દૂર ફ્લાયઓવર પાસે પહોંચ્યો ત્યારે કેટલાક પ્રદર્શનકારીઓએ ત્યાં રસ્તો રોકી દીધો હતો.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ કહ્યું કે મતદાતાઓના હાથથી હાર મળ્યા બાદ પંજાબની કોગ્રેસ સરકારે રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કાર્યક્રમોને નિષ્ફળ કરવાના તમામ પ્રયાસો કર્યા છે. નડ્ડાએ કહ્યું કે આમ કરવામાં તેમને એ ખ્યાલ નથી કે વડાપ્રધાને ભગતસિંહ અને અન્ય શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની છે અને મહત્વના વિકાસ કાર્યોની આધારશિલા રાખવાની છે. પંજાબની કોગ્રેસ સરકારે બતાવી દીધું છે તે વિકાસ વિરોધી છે અને સ્વતંત્રતા સેનાનીઓ માટે તેમના મનમાં કોઇ સન્માન નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Embed widget