શોધખોળ કરો

Punjab :અમૃતપાલ સિંહને લઈ છેક અસમમાં હલચલ તેજ, એરફોર્સ એક્શન મોડમાં

ખાલિસ્તાની અલગતાવાદી અમૃતપાલ સિંહને લઈને પંજાબથી લઈને છેક અસમ સુધી ભારે હિલચાલ જામી છે. અમૃતપાલ સિંહને ઝડપી પાડવા પંજાબ પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે.

Indian Air Force : ખાલિસ્તાની અલગતાવાદી અમૃતપાલ સિંહને લઈને પંજાબથી લઈને છેક અસમ સુધી ભારે હિલચાલ જામી છે. અમૃતપાલ સિંહને ઝડપી પાડવા પંજાબ પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે. જ્યારે બીજી બાજુ ખાલિસ્તાની અલગતાવાદી અમૃતપાલ સિંહના ટોચના ધરપકડ કરાયેલા ચાર સહયોગીઓને ડિબ્રુગઢ લઈ જવામાં આવ્યા છે. આ માટે ભારતીય વાયુસેનાની મદદ લેવામાં આવી હોવાનું સામે આવતા અંદાજ લગાવી શકાય કે, આ મુદ્દો કેટલો ગંભીર છે.

ટોચના પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, એરફોર્સનું એક વિશેષ વિમાન અમૃતપાલ સિંહના ટોચના કાર્યકર્તાઓને સઘનસુરક્ષા ધરાવતી ડિબ્રુગઢ સેન્ટ્રલ જેલ ઉપલા આસામમાં લઈ ગયું છે. ચાર કટ્ટરપંથીઓની સાથે પંજાબ પોલીસની 30 સભ્યોની ટીમ હતી, જેમાં તેના ઇન્સ્પેક્ટર જનરલ, જેલનો પણ સમાવેશ થાય છે. તેમણે ભારતીય વાયુસેનાના AN32 વિમાનમાં અમૃતસરથી ઉડાન ભરી હતી અને જોરહાટ થઈને ડિબ્રુગઢ પહોંચ્યા હતાં. ડિબ્રુગઢ અને જોરહાટ બંને મુખ્ય એરફોર્સ બેઝ છે. અમૃતપાલ સિંહ હજુ ફરાર છે. આ મામલે કેન્દ્ર, પંજાબ અને આસામ સરકારો વચ્ચે મોટા પાયે સંકલિત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જલ્લુપુર ખૈરાની બહાર ભારે જવાનો તૈનાત

ડિબ્રુગઢ જિલ્લા કલેક્ટર અને સ્થાનિક પોલીસ અધિક્ષકે કડક સુરક્ષા વચ્ચે મોહનબારી એરપોર્ટ પર ટીમનું સ્વાગત કર્યું હતું. ડિબ્રુગઢ સેન્ટ્રલ જેલ ઉત્તરપૂર્વ ભારતની સૌથી જૂની જેલોમાંની એક છે. તે ભારે કિલ્લેબંધી ધરાવે છે અને આસામમાં ઉલ્ફા વિદ્રોહની ટોચ દરમિયાન ટોચના આતંકવાદીઓને અહીં રાખવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, પંજાબ પોલીસે અત્યાર સુધીમાં અમૃતપાલ સિંહના સંગઠન 'વારિસ પંજાબ દે'ના 78 સભ્યોની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ઘણા લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. તેના પિતાને પણ પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે અને અમૃતસરમાં તેના ગામ જલ્લુપુર ખૈરાની બહાર પોલીસ અને અર્ધલશ્કરી દળોની ભારે તૈનાત કરી દેવામાં આવ્યા છે.

ઉન્માદી વીડિયો પર થશે આકરી કાર્યવાહી

જલંધર પોલીસ કમિશનર કુલદીપ સિંહ ચહલે કહ્યું હતું કે, પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા લોકોમાં અમૃતપાલ સિંહના છથી સાત બંદૂકધારીઓનો સમાવેશ થાય છે. સ્વયંભૂ ઉપદેશકના નજીકના સાથી દલજીત સિંહ કલસીની પણ આજે સવારે હરિયાણાના ગુડગાંવમાંથી ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોનું કહેવું છે કે, પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને 2 માર્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે અમૃતપાલ સિંહની ધરપકડની યોજના પર ચર્ચા કરી હતી. અમૃતપાલ સિંહના સહાયકોએ તેમના સમર્થકોને પોલીસ દ્વારા ઘેરાયેલા ગામમાં એકઠા થવા વિનંતી કરતા ઉગ્ર વિડિયો ફરતા કર્યા બાદ શનિવારે સમગ્ર પંજાબમાં ઈન્ટરનેટ અને એસએમએસ કેટલાક સમય માટે બંધ કરી દેવામાં આવી હતી. આ કારણોસર સોમવારે બપોરે 12 વાગ્યા સુધી ઈન્ટરનેટ અને SMS પરનો પ્રતિબંધ વધુ એક દિવસ માટે લંબાવવામાં આવ્યો છે.

 
 
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget