શોધખોળ કરો

Congress: 2024ને લઈને ખડગે અને રાહુલ ગાંધી વચ્ચે થઈ સિક્રેટ મિટિંગ! CWC અને સંગઠનમાં થઈ શકે છે મોટા ફેરફાર: સૂત્ર

Congress Working Committee: કોંગ્રેસે લોકસભા ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 23 જૂને પટનામાં સામાન્ય ચૂંટણીમાં વિપક્ષી એકતા અંગે યોજાયેલી બેઠકમાં પણ પહોંચ્યા હતા.

Congress Working Committee: કોંગ્રેસે લોકસભા ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 23 જૂને પટનામાં સામાન્ય ચૂંટણીમાં વિપક્ષી એકતા અંગે યોજાયેલી બેઠકમાં પણ પહોંચ્યા હતા. આ દરમિયાન,સૂત્રોએ એબીપી ન્યૂઝને જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે (1 જુલાઈ) નવી કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) અંગે ખડગેને મળ્યા હતા. જેમાં કોંગ્રેસના સંગઠનમાં ફેરબદલની પણ ચર્ચા થઈ હતી. આ દરમિયાન પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલ પણ હાજર હતા. આવી સ્થિતિમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ખડગેના અધ્યક્ષ બન્યાના આઠ મહિના બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની રચના થઈ શકે છે.

મલ્લિકાર્જુન ખડગેને કેમ સત્તા આપવામાં આવી?
ઈન્ડિયા ટુડે મુજબ,ખડગેને આ વર્ષે છત્તીસગઢના રાયપુરમાં કોંગ્રેસના પૂર્ણ સત્ર દરમિયાન ખડગેને CWCની ચૂંટણી કરવાને બદલે સભ્યોને નોમિનેટ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. આ દરમિયાન, પાર્ટીના બંધારણમાં સુધારો કરીને, CWCમાં અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), મહિલાઓ, લઘુમતી અને અન્ય પછાત વર્ગો (OBC) ને 50 ટકા અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી હતી.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર,આ સિવાય કોંગ્રેસના ઉદયપુર ચિંતન શિવિરમાં 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને CWC સહિત સંગઠનના તમામ સ્તરે 50 ટકા પોસ્ટ્સ આપવા અને મહિલાઓને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. પછાત, એસસી, એસટી અને લઘુમતીઓને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાની વાત નક્કી કરવામાં આવી હતી.

અધ્યક્ષ બન્યા બાદ મલ્લિકાર્જુન ખડગેએ કયા ફેરફારો કર્યા?
પીટીઆઈના જણાવ્યા અનુસાર, નવી CWCની રચના કરવામાં આવી નથી, પરંતુ ખડગેએ રાજ્ય અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સ્તરે કેટલીક નિમણૂકો પણ કરી છે. ખડગેએ તાજેતરમાં રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી હતી, જ્યારે દીપક બાબરિયાને હરિયાણા અને દિલ્હી માટે AICC પ્રભારી સોંપવામાં આવ્યા હતા.પંજાબના મહાસચિવ અને પ્રભારી અને પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સુખજિન્દર સિંહ રંધાવાને તાજેતરમાં રાજ્યસભાના સભ્ય તરીકે નિયુક્ત કર્યા હતા. રાજસ્થાનના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ણિપુરમાં પીડિતોને મળ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું- હિંસાથી ઉકેલ નહી મળે

હિંસાગ્રસ્ત રાજ્ય મણિપુરની બે દિવસની મુલાકાતે પહોંચેલા રાહુલ ગાંધીએ આજે ​​પીડિતોને મળ્યા બાદ રાજ્યના લોકોને સંદેશ આપ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હિંસાથી કોઈ પણ પ્રકારનો ઉકેલ મળશે નહી, માત્ર શાંતિ જ સમાધાન છે. મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મણિપુરને શાંતિની જરૂર છે. હું રાહત શિબિરોમાં ગયો અને દરેક સમુદાયના લોકોને મળ્યો હતો. રાહત શિબિરોમાં દવાઓ અને ખોરાકની અછત છે, જેના પર સરકારે ધ્યાન આપવું જોઈએ. હું મણિપુરના દરેક વ્યક્તિને શાંતિ જાળવવાની અપીલ કરું છું. હું અહીં હાજર છું અને શાંતિ માટે મારાથી બનતું બધું કરીશ.

મણિપુરમાં પોતાના પ્રવાસના બીજા દિવસે રાહુલ ગાંધીએ બિષ્ણુપુર જિલ્લાના મોઇરાંગ શહેરમાં બે રાહત શિબિરની મુલાકાત લીધી હતી. આ પ્રવાસમાં તેઓ હિંસાથી વિસ્થાપિત થયેલા પીડિતોને મળ્યા હતા. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી સવારે લગભગ 9.30 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા મોઇરાંગ પહોંચ્યા અને અહીં અસરગ્રસ્ત લોકોને મળ્યા અને તેમની ફરિયાદો સાંભળી હતી. રાહુલ ગાંધીની સાથે મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી ઓકરામ ઈબોબી સિંહ, પાર્ટીના મહાસચિવ (સંગઠન) કે.સી. વેણુગોપાલ, પીસીસી પ્રમુખ કીશમ મેઘચંદ્ર સિંહ અને પૂર્વ સાંસદ અજય કુમાર હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
મહારાષ્ટ્રમાં 'એનાલોગ' પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, હોટલ-રેસ્ટોરન્ટને ચેતવણી, વાપરશો તો ભારે દંડ
મહારાષ્ટ્રમાં 'એનાલોગ' પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, હોટલ-રેસ્ટોરન્ટને ચેતવણી, વાપરશો તો ભારે દંડ
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે
પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Embed widget