શોધખોળ કરો

SIT એ Lakhimpur Kheri કાંડને કાવતરુ ગણાવ્યું, Rahul Gandhi બોલ્યા - મોદી જી, ફરી માફી માંગવાનો ટાઈમ આવી ગયો

Lakhimpur Kheri Case: લખીમપુર ખીરી કાંડને લઈ એસઆઈટીની તપાસમાં જે ખુલાસા થયા છે ત્યારબાદ વિપક્ષ કેંદ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.

Lakhimpur Kheri Case: લખીમપુર ખીરી કાંડને લઈ એસઆઈટીની તપાસમાં જે ખુલાસા થયા છે ત્યારબાદ વિપક્ષ કેંદ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. મામલાની તપાસ માટે બનાવાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે માન્યુ છે કે, ખેડૂતોને જીપ નીચે કચડવાની ઘટના પૂર્વયોજિત કાવતરુ હતી. આ વાત સામે આવ્યા  બાદ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પર નિશાન સાધ્યું છે.

રાહુલ ગાંધીએ લખીમપુર ખીરી કાંડની એસઆઈટી તપાસ સાથે જોડાયેલા એક સમાચારનો સ્ક્રીનશોટ શેર કરી લખ્યું, મોદી જી, ફરી માફી માંગવાનો ટાઈમ આવી ગયો છે. પરંતુ પહેલા અભિયુક્તના પિતાને મંત્રી પદ પરથી હટાવો. એસઆઈટીની તપાસને લઈ રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યું કે સત્ય સામે છે.


SIT એ Lakhimpur Kheri કાંડને કાવતરુ ગણાવ્યું, Rahul Gandhi બોલ્યા - મોદી જી, ફરી માફી માંગવાનો ટાઈમ આવી ગયો

ત્રણ ઓક્ટોબરે સર્જાયેલા આ હત્યાકાંડની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે મુખ્ય ન્યાયાધીશ સમક્ષ રજૂ કરેલી અરજીમાં આરોપીઓ સામે નવી કલમો સામેલ કરવા માટે અનુરોધ કર્યો હતો.હવે આરોપીઓ પર જાણી જોઈને પ્લાનિંગ કરીને આ ગુનો કરવા માટેની કલમોનો ઉમેરો કરાયો છે.

તપાસ અધિકારીનુ કહેવુ છે કે, ખેડૂતોની જીપ નીચે કચડવાની ઘટના પૂર્વ આયોજિત હતી અને આ કોઈ બેદરકારીનો મામલો નહોતો. હવે આરોપીઓ સામે હત્યાના પ્રયાસની કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ત્રણ ઓક્ટોબરે આ ઘટના બની હતી.જેમાં ખેડૂતો પર જીપ ચઢાવી દેવામાં આવી હતી.આ હિંસામાં ખેડૂતો તેમજ સ્થાનિક પત્રકારનુ પણ મોત થયુ હતુ.

શું છે સમગ્ર મામલો?


3 ઓક્ટોબરના રોજ યુપીના લખીમપુર ખીરીના ટિકુનિયા ખાતે ચાર ખેડૂતો પર  એક SUV કારમાં ચઢાવી દેવામાં આવી હતી, જ્યારે તેઓ કૃષિ કાયદાનો વિરોધ કરીને એક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્ય અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેની હાજર રહ્યા હતા. આ ઘટના બાદ થયેલી હિંસામાં કેટલાક લોકોના મોત પણ થયા હતા.


આ સમગ્ર ઘટના દરમિયાન સ્થાનિક પત્રકાર રમણ કશ્યપનું પણ મોત થયું હતું. ખેડૂતોનો આરોપ છે કે એસયુવી અજય મિશ્રા ટેનીની છે અને તેમાં તેમનો પુત્ર આશિષ મિશ્રા હતો. સુપ્રીમ કોર્ટમાં આ કેસની પ્રથમ સુનાવણી 8 ઓક્ટોબરે થઈ હતી. ઘણા દિવસોની હિંસા બાદ, આશિષ મિશ્રા ઉર્ફે મોનુની 9 ઓક્ટોબરે ઘણા કલાકોની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત
Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત
આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા
આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા
બંગાળના સોનારપુરમાં TMC નેતા અભિષેક બેનર્જી પર હુમલો: કહ્યું- 1 મહિનો પણ નથી થયો ત્યાં તો....
બંગાળના સોનારપુરમાં TMC નેતા અભિષેક બેનર્જી પર હુમલો: કહ્યું- 1 મહિનો પણ નથી થયો ત્યાં તો....
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આ દમ લાવશે દમ
Hun To Bolish | હું તો બોલીશ | સત્યમેવ જયતે
Hun To Bolish | હું તો બોલીશ | ક્રાઈમ કંટ્રોલ કે આઉટઓફ કંટ્રોલ ?
Diyodar Taluka Panchayat: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તા.પં.માં કોંગ્રેસની સત્તા
Ambalal Patel Rain Prediction: વરસાદ બોલાવશે ભુક્કા..: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત
Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત
આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા
આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
Embed widget