શોધખોળ કરો

Railway: રેલવે મંત્રાલયે ઈમરજન્સી ક્વોટાના નિયમોમા કર્યો ફેરફાર, સામાન્ય મુસાફરોને મળશે રાહત

છેલ્લી ઘડીએ વિનંતીઓ કરવાથી ઘણીવાર ચાર્ટ તૈયાર કરવામાં વિલંબ થાય છે અને તેની સીધી અને ખરાબ અસર વેઇટિંગ લિસ્ટમાં રહેલા મુસાફરો પર પડે છે

રેલવે મંત્રાલયે ઇમરજન્સી ક્વોટા હેઠળ મોટો ફેરફાર કર્યો છે. તાજેતરમાં રેલવેએ મુસાફરોની સુવિધા માટે ટ્રેન ઉપડવાના સમયના 8 કલાક પહેલા રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયને ધ્યાનમાં રાખીને રેલવેએ હવે ઇમરજન્સી ક્વોટા હેઠળ વિનંતીઓ દાખલ કરવાના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. રેલવે મંત્રાલયે મંગળવારે આ મામલે એક પરિપત્ર જાહેર કર્યો છે. રેલવેએ આ પરિપત્રમાં કહ્યું છે કે, "સવારે 10.00 થી બપોરે 01:00 વાગ્યા સુધી ઉપડતી બધી ટ્રેનો માટે ઇમરજન્સી ક્વોટા વિનંતીઓ મુસાફરીના એક દિવસ પહેલા બપોરે 12 વાગ્યા સુધીમાં ઇમરજન્સી સેલમાં પહોંચવી જોઈએ." બપોરે 02:01 થી રાત્રે 12:59 વાગ્યા સુધી ચાલતી ટ્રેનો માટે સમય અલગ હશે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, "બપોરે 02:01 થી રાત્રે 12:59 વાગ્યા સુધી ઉપડતી અન્ય બધી ટ્રેનો માટે ઇમરજન્સી ક્વોટા વિનંતીઓ મુસાફરીના એક દિવસ પહેલા બપોરે 04:00 વાગ્યા સુધીમાં ઇમરજન્સી સેલમાં પહોંચવી જોઈએ."

ઇમરજન્સી ક્વોટા હેઠળ VIP, રેલવે કર્મચારીઓ અને તબીબી કટોકટીવાળા મુસાફરો માટે બેઠકો અનામત રાખવામાં આવે છે. પરંતુ આ સુવિધાનો દુરુપયોગ અને છેલ્લી ઘડીએ વિનંતીઓ કરવાથી ઘણીવાર ચાર્ટ તૈયાર કરવામાં વિલંબ થાય છે અને તેની સીધી અને ખરાબ અસર વેઇટિંગ લિસ્ટમાં રહેલા મુસાફરો પર પડે છે, જેના કારણે તેમને ઘણી અસુવિધા થાય છે. પરંતુ હવે નવા નિયમો વેઇટિંગ લિસ્ટમાં રહેલા સામાન્ય મુસાફરોને મોટી રાહત આપશે.

રેલવે મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ટ્રેનના પ્રસ્થાનના દિવસે ઇમરજન્સી ક્વોટા હેઠળ મળેલી વિનંતીઓ પર સીટો આપવામાં આવશે નહીં. રવિવાર કે અન્ય કોઈપણ જાહેર રજા અંગે મંત્રાલયે કહ્યું છે કે જે ટ્રેનોમાં રવિવારે કે રવિવાર પછીની રજાઓના દિવસે ઇમરજન્સી ક્વોટા જાહેર કરવાનો હોય છે  ત્યાં સીટ મુક્ત થવાના એક દિવસ પહેલા ઓફિસ બંધ થવાના સમય પહેલા વિનંતી ફાઇલ કરવી પડશે. રેલવે મંત્રાલયે જણાવ્યું હતું કે રેલવે બોર્ડના રિઝર્વેશન સેલને VIP, રેલવે અધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય વિભાગો તરફથી મોટી સંખ્યામાં વિનંતીઓ મળે છે.

નવી જોગવાઈઓમાં ઓનલાઈન તત્કાલ બુકિંગ માટે આધાર-આધારિત વેરિફિકેશન ફરજિયાત બનાવવામાં આવી છે. એટલે કે, જે લોકો IRCTC એપ પર આધાર લિંક નથી ધરાવતા તેઓ તત્કાલ ટિકિટ બુક કરી શકશે નહીં. રેલવે મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેનો ઉદ્દેશ્ય બધા માટે તત્કાલ ટિકિટોની સમાન ઍક્સેસ સુનિશ્ચિત કરવાનો અને દુરુપયોગને રોકવાનો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
ફરી મોંઘી થઈ Maruti Suzukiની કાર, બે મહિનામાં બીજી વખત કરાયો વધારો
ફરી મોંઘી થઈ Maruti Suzukiની કાર, બે મહિનામાં બીજી વખત કરાયો વધારો
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
Embed widget