શોધખોળ કરો

Ram Nath Kovind News: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રને સંબોધિત કરશે, 24 જુલાઈએ પુરો થઇ રહ્યો છે કાર્યકાળ

President Ram Nath Kovind: રામ નાથ કોવિંદે 25 જુલાઈ 2017ના રોજ ભારતના 14મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. તેમનો કાર્યકાળ આવતીકાલે 24 જુલાઈએ પુરો થઈ રહ્યો છે.

Ram Nath Kovind News: ભારતના વિદાય લઈ રહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ આવતીકાલે એટલે કે 24 જુલાઈએ સમાપ્ત થઈ રહ્યો છે. આવતીકાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રને સંબોધન કરશે. રાષ્ટ્રપતિનું સંબોધન સાંજે 7 વાગ્યે થશે. દેશના નવા રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારોહ 25 જુલાઈએ યોજાનાર છે. આ પહેલા આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સંસદ દ્વારા વિદાય આપવામાં આવી હતી. વિદાય લેતા રાષ્ટ્રપતિ માટે બંને ગૃહો દ્વારા સંયુક્ત રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે તેમના વિદાય ભાષણ દરમિયાન રાજકીય પક્ષોને રાષ્ટ્રીય હિતમાં પક્ષપાતની રાજનીતિથી ઉપર ઊઠીને લોકોના કલ્યાણ માટે શું જરૂરી છે તે નક્કી કરવા આહ્વાન કર્યું હતું. સંસદને લોકશાહીનું મંદિર ગણાવતા, રાષ્ટ્રપતિ કોવિંદે પક્ષોને ગૃહમાં ચર્ચા દરમિયાન ગાંધીવાદી ફિલસૂફીનો ઉપયોગ કરવા વિનંતી કરી.

વિદાય લઇ રહેલા રાષ્ટ્રપતિનો આજે વિદાય સમારંભ યોજાયો હતો
રાષ્ટ્રપતિ કોવિંદને વિદાય આપવા માટે સંસદના સેન્ટ્રલ હોલમાં આયોજિત સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સહિત અનેક સાંસદોએ હાજરી આપી હતી. વિદાય લેતા રાષ્ટ્રપતિ કોવિંદે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ માટે કહ્યું, "હું દ્રૌપદી મુર્મુને આગામી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ હૃદયપૂર્વક અભિનંદન આપું છું, તેમના માર્ગદર્શનથી દેશને લાભ થશે." નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સોમવારે 25 જુલાઈના રોજ ભારતના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે.

2017માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા
ઉલ્લેખનીય છે કે, રામનાથ કોવિંદે 2017માં ભારતના 14મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. કેઆર નારાયણન પછી દલિત સમુદાયમાંથી રાષ્ટ્રપતિ તરીકે સેવા આપનારા તેઓ બીજા વ્યક્તિ છે. રાષ્ટ્રપતિ બનતા પહેલા તેમણે 2015 થી 2017 સુધી બિહારના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. આ સાથે તેઓ રાજ્યસભાના સભ્ય પણ હતા. રાજકારણમાં પ્રવેશતા પહેલા તેઓ 16 વર્ષ સુધી વકીલ હતા. તેમણે દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરી હતી.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ગુજરાતમાં અલ-કાયદા સાથે જોડાયેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ: ATS એ મોટો ખુલાસો કર્યો
ગુજરાતમાં અલ-કાયદા સાથે જોડાયેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ: ATS એ મોટો ખુલાસો કર્યો
કેજરીવાલનું ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં મોટું નિવેદન, કહ્યું - 'ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસ ગઠબંધનની સરકાર'
કેજરીવાલનું ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં મોટું નિવેદન, કહ્યું - 'ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસ ગઠબંધનની સરકાર'
Ambalal patel: ભારેથી અતિભારે વરસાદની અંબાલાલની ચેતવણી, 10 ઈંચ વરસાદ ખાબકશે
Ambalal patel: ભારેથી અતિભારે વરસાદની અંબાલાલની ચેતવણી, 10 ઈંચ વરસાદ ખાબકશે
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish: ગરીબોના નામે કોનું કલ્યાણ ?
Hun To Bolish: ખેડૂતોનો કોણે કર્યો ખેલ ?
Hun To Bolish: મંત્રીથી જનતા...રોડ અને ટોલથી ત્રસ્ત !
Kheda news: ખેડા જિલ્લામાં રઝડતુ ભવિષ્ય, ક્યારે બનશે પ્રાથમિક શાળાના ઓરડા ?
Mehsana Accident News: મહેસાણામાં ST બસ-ઈકો કાર વચ્ચે ભયંકર અકસ્માત, બેના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં અલ-કાયદા સાથે જોડાયેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ: ATS એ મોટો ખુલાસો કર્યો
ગુજરાતમાં અલ-કાયદા સાથે જોડાયેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ: ATS એ મોટો ખુલાસો કર્યો
કેજરીવાલનું ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં મોટું નિવેદન, કહ્યું - 'ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસ ગઠબંધનની સરકાર'
કેજરીવાલનું ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં મોટું નિવેદન, કહ્યું - 'ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસ ગઠબંધનની સરકાર'
Ambalal patel: ભારેથી અતિભારે વરસાદની અંબાલાલની ચેતવણી, 10 ઈંચ વરસાદ ખાબકશે
Ambalal patel: ભારેથી અતિભારે વરસાદની અંબાલાલની ચેતવણી, 10 ઈંચ વરસાદ ખાબકશે
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
ઈસુદાન ગઢવીનો ખેડૂત પશુપાલક મહાપંચાયતમા હુંકાર, કહ્યું- 'ખેડૂત અને પશુપાલકો માટે ગોળી ખાવા તૈયાર છીએ'
ઈસુદાન ગઢવીનો ખેડૂત પશુપાલક મહાપંચાયતમા હુંકાર, કહ્યું- 'ખેડૂત અને પશુપાલકો માટે ગોળી ખાવા તૈયાર છીએ'
FSSAI દ્વારા અંબાજી મંદિરને “ઈટ રાઈટ પ્રસાદ” પ્રમાણપત્રથી સન્માનીત કરવામાં આવ્યું
FSSAI દ્વારા અંબાજી મંદિરને “ઈટ રાઈટ પ્રસાદ” પ્રમાણપત્રથી સન્માનીત કરવામાં આવ્યું
Health Tips: 35 વર્ષ પછી માતા બનવું કેમ છે મુશ્કેલ,આ સમય દરમિયાન કેટલી કાળજી રાખવી જરૂરી?
Health Tips: 35 વર્ષ પછી માતા બનવું કેમ છે મુશ્કેલ,આ સમય દરમિયાન કેટલી કાળજી રાખવી જરૂરી?
'મહારાષ્ટ્રમાં કંઈક મોટું થવાનું છે, શરદ પવાર-ઉદ્ધવ જૂથ BJPના સંપર્કમાં', JDUના દાવાથી ખળભળાટ
'મહારાષ્ટ્રમાં કંઈક મોટું થવાનું છે, શરદ પવાર-ઉદ્ધવ જૂથ BJPના સંપર્કમાં', JDUના દાવાથી ખળભળાટ
Embed widget