શોધખોળ કરો

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી

Rambhadracharya On Mohan Bhagwat: જગદગુરુ રામભદ્રાચાર્યએ સંઘના વડા મોહન ભાગવતના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે દરેક મસ્જિદમાં મંદિર કેમ શોધવું?

Rambhadracharya On Mohan Bhagwat: જગદગુરુ રામભદ્રાચાર્યએ સંઘ પ્રમુખ મોહન ભાગવતના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, તેમનું (સંઘ પ્રમુખ) નિવેદન બેજવાબદારીભર્યું છે. હું હિન્દુ ધર્મનો આચાર્ય છું, હું જગદ્ગુરુ છું. તેથી હિંદુ ધર પર મારુ અનુશાસન રહેશે. તેઓ એક સંસ્થાના વડા છે. તેણે આવા નિવેદનો ન કરવા જોઈએ. એટલું જ નહીં, રામભદ્રાચાર્યએ કહ્યું કે, પહેલા સંઘ કંઈક બીજું હતું અને હવે સંગઠનમાં ઘણો બદલાવ આવ્યો છે.

રામભદ્રાચાર્યએ કહ્યું, 'અમે મંદિર શોધી રહ્યા નથી. સર્વેના આધારે જ્યાં પણ મંદિરો મળ્યા છે, અમે તે જ માંગણી કરી રહ્યા છીએ. અમે મંદિર શોધી રહ્યા નથી. તેઓએ એવું ન કહેવું જોઈએ. કોઈ મંદિર ખોવાઈ ગયું નથી. અધિકાર માંગવો એ પાપ નથી. અમે કોઈ પાપ કર્યું નથી.

મોહન ભાગવતના શબ્દો મને ચુભી ગયા - રામભદ્રાચાર્ય

જગદગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું, બીજી વાત તેણે જે કહી તે મને ઘણું દુઃખી કર્યું. રામ મંદિરના નિર્માણ બાદ કેટલાક લોકો હિંદુ મુદ્દા ઉઠાવીને નેતા બનવા માંગે છે. અમે નેતા બનવા માંગતા નથી. ન અમારે નેતા બનવું છે પરંતુ અમે અમારા અધિકારો માટે લડી રહ્યા છીએ અને કરતા રહીશું. તેણે આવી હળવી પરિભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ.

સંભલ પર રામભદ્રાચાર્યએ શું કહ્યું?

સંભલમાં પથ્થરમારાના મુદ્દે રામભદ્રાચાર્યએ કહ્યું, સંભલમાં સર્વે કરવામાં આવ્યો ત્યારે જ અમે કહ્યું હતું કે અમને મંદિર મળવું જોઈએ. બદમાશોએ પથ્થરમારો કર્યો હતો. અમે ક્યારેય તેમના મંદિરોનો નાશ કર્યો નથી. તેઓએ અમારા 30 હજાર મંદિરોનો નાશ કર્યો.

રામભદ્રાચાર્યએ કહ્યું, સર્વેમાં જ્યાં પણ મંદિરો જોવા મળશે, અમે ત્યાં દાવો કરીશું. અમે કોઈને ઉશ્કેરતા નથી. અમે સંઘર્ષ માટે બોલાવતા નથી. દરેક વ્યક્તિને સ્વરક્ષણનો અધિકાર છે. હિન્દુઓએ પણ પોતાની સુરક્ષા કરવી પડશે. હિંદુઓની બહેન-દીકરીઓ પર કેટલો અત્યાચાર થયો? હિન્દુઓએ જાગવું પડશે. આપણે આપણી જાતને પણ બચાવવાની છે.

મુસ્લિમોએ પણ ભારતમ રહે - રામભદ્રાચાર્ય

રામભદ્રાચાર્યએ કહ્યું, મુસલમાનો પણ ભારતમાં રહે. અમે ક્યારે કીધુ કે તેનો દેશ નથી? પરંતુ તેઓ હિન્દુઓનું અસ્તિત્વ ભૂંસી નાખીને જીવી શકતા નથી. મુસ્લિમોએ પણ પોતાનું મોટું દિલ બતાવવું પડશે. તેમણે અમારા મંદિરો અમને સોંપી દેવા જોઈએ.

ધર્મગુરુઓ અને સંઘ વચ્ચે વધી રહેલા વિવાદ પર જગદગુરુએ કહ્યું કે RSSમાં ઘણો બદલાવ આવી રહ્યો છે. અમે ઘણા સંઘ વડા જોયા. રજ્જુ ભૈયા સંઘના વડા હતા ત્યાં સુધી સંઘ કંઈક બીજું જ હતું. હવે આરએસએસ તુષ્ટિકરણના કારણે બદલાઈ રહ્યું છે. મોહન ભાગવતે આવું નિવેદન ન કરવું જોઈએ. જો તેઓ અમને ફોન કરશે તો તેઓ કહેશે કે તમારે આવા નિવેદનો ન કરવા જોઈએ.

આ પણ વાંચો...

Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?
Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
Embed widget