શોધખોળ કરો

Ratan Tata Death: રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન, PM મોદી સહિત અનેક દિગ્ગજોએ વ્યક્ત કર્યો શોક

Ratan Tata Death: તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. રતન ટાટા 86 વર્ષના હતા.

Ratan Tata Death: ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા (Ratan Tata) નું બુધવારે રાત્રે નિધન થયું હતું. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. રતન ટાટા 86 વર્ષના હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત નાદુરસ્ત હતી. ટાટાના નિધન બાદ દેશભરમાં શોકની લહેર છે. રાજકારણ, સિનેમા, રમતગમત, ઉદ્યોગ જગત જેવા દરેક ક્ષેત્રના દિગ્ગજોએ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર લખ્યું હતું કે, 'શ્રી રતન ટાટાજી એક દૂરદર્શી બિઝનેસ લીડર, એક દયાળુ આત્મા અને અસાધારણ માણસ હતા. તેમણે ભારતના સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસમાંના એકને સ્થિર નેતૃત્વ પૂરું પાડ્યું. વધુમાં તેમનું યોગદાન બોર્ડરૂમથી ઘણું આગળ હતું. તેમણે તેમની નમ્રતા, દયા અને આપણા સમાજને સારા બનાવવાની અતૂટ પ્રતિબદ્ધતાને કારણે ઘણા લોકોમાં પોતાનું સ્થાન મેળવ્યું હતું.

રાજનાથ સિંહે શોક વ્યક્ત કર્યો હતો

રાજનાથ સિંહે X પર લખ્યું હતું કે , ' રતન ટાટાના નિધનથી હું દુઃખી છું. તેઓ ભારતીય ઉદ્યોગના એક એવા દિગ્ગજ હતા જેઓ આપણા અર્થતંત્ર, વેપાર અને ઉદ્યોગમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે જાણીતા છે. તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે મારી ઊંડી સંવેદના. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.

રતન ટાટાનું નિધન એક અપુરતી ખોટ છેઃ સીએમ યોગી

ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે લખ્યું હતું કે ભારતના જાણીતા ઉદ્યોગપતિ, 'પદ્મ વિભૂષણ' શ્રી રતન ટાટાજીનું નિધન અત્યંત દુઃખદ છે. તેઓ ભારતીય ઉદ્યોગના મહાનનાયક હતા. તેમનું નિધન એ ઉદ્યોગ માટે અપુરતી ખોટ છે. તેમનું સમગ્ર જીવન દેશના ઔદ્યોગિક અને સામાજિક વિકાસ માટે સમર્પિત હતું. તેઓ ખરા અર્થમાં દેશના રત્ન હતા. ભગવાન શ્રી રામ દિવંગત પૂણ્યાત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે અને તેમના શોકગ્રસ્ત પરિવારના સભ્યો અને પ્રશંસકોને આ ખોટ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના છે.ઓમ શાંતિ!

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ દુઃખ વ્યક્ત કર્યું

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ એક્સ પર લખ્યું હતું કે ' રતન ટાટા સાથે ગૂગલમાં મારી છેલ્લી મુલાકાતમાં અમે વેમોની પ્રગતિ વિશે વાત કરી હતી અને તેમનું વિઝન સાંભળવું પ્રેરણાદાયક હતું. તેઓ એક અસાધારણ વ્યવસાય અને પરોપકારી વારસો છોડીને ગયા છે અને ભારતમાં આધુનિક બિઝનેસ લીડરશીપને માર્ગદર્શન આપવા અને વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેઓ ભારતને વધુ સારું બનાવવા માટે ખૂબ જ ચિંતિત હતા. તેમના સ્નેહીજનો પ્રત્યે ઊંડી સંવેદના અને શ્રી રતન ટાટા જીને શાંતિ મળે.

નીતિન ગડકરીએ કહ્યું- તેમના નિધનના સમાચારથી હું આઘાતમાં છું.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક્સ પર લખ્યું હતું કે  'દેશના ગૌરવવંતા પુત્ર રતન ટાટા જીના નિધનના સમાચાર સાંભળીને હું સ્તબ્ધ છું. ત્રણ દાયકાથી વધુ સમયથી મને તેમની સાથે એક ગાઢ અંગત અને પારિવારિક સંબંધ રાખવાનું સૌભાગ્ય મળ્યું હતું. જ્યાં મેં તેમની નમ્રતા, સાદગી અને તમામ પ્રત્યે વાસ્તવિક સન્માન જોયું પછી તેમની સ્થિતિ ભલે ગમે તે હોય.  તેમના જીવનમાં પ્રામાણિકતા અને કરુણાના મૂલ્યોને મૂર્તિમંત કર્યા, જે ઘણા લોકો માટે પ્રેરણા સ્ત્રોત હતા. ભારતના અગ્રણી ઉદ્યોગપતિ તરીકે, અર્થતંત્ર અને રોજગાર નિર્માણમાં તેમના નોંધપાત્ર યોગદાનથી અસંખ્ય લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું. તેઓ એક સમર્પિત દેશભક્ત અને સામાજિક રીતે સભાન નેતા હતા જેમણે સમાજ પર ઊંડો પ્રભાવ પાડ્યો હતો. હું તેમની પાસેથી જે શીખ્યો છું તે હંમેશા મારા જીવનમાં ગુંજતું રહેશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શોક વ્યક્ત કર્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એક્સ પર લખ્યું હતું કે  'શ્રી રતન ટાટાના નિધનથી ભારતે એક એવા આઇકનને ગુમાવ્યો છે જેણે કોર્પોરેટ વિકાસને રાષ્ટ્ર નિર્માણ અને ઉત્કૃષ્ટતાને નૈતિકતા સાથે જોડ્યા. પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણથી સન્માનિત તેમણે ટાટાના મહાન વારસાને આગળ ધપાવ્યો અને તેને વધુ પ્રભાવશાળી વૈશ્વિક હાજરી આપી. પરોપકાર અને દાનમાં તેમનું યોગદાન અમૂલ્ય છે. હું તેમના પરિવાર, ટાટા ગ્રુપની સમગ્ર ટીમ અને વિશ્વભરમાં તેમના પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
Embed widget