Red Fort blast: લાલ કિલ્લા વિસ્ફોટ પર ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન, ‘બ્લાસ્ટ i-20 કારમાં થયો હતો, દરેક એન્ગલથી તપાસ થશે’
Delhi blast probe: દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પાસે થયેલા ભયાનક વિસ્ફોટની ઘટના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દુઃખ વ્યક્ત કરતાં તાત્કાલિક કાર્યવાહીની ખાતરી આપી હતી.

Delhi car explosion: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોમવારે સાંજે (November 10, 2025) લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પર થયેલા શક્તિશાળી વિસ્ફોટ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. તેમણે પુષ્ટિ કરી કે વિસ્ફોટ Hyundai i20 કાર માં થયો હતો. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે આ ઘટનાની દરેક ખૂણેથી તપાસ કરવામાં આવશે. અત્યાર સુધીમાં વિસ્ફોટમાં 11 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. વિસ્ફોટની માહિતી મળ્યાના 10 મિનિટમાં જ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ગૃહમંત્રીએ NSG, NIA અને FSL ની ટીમોને તાત્કાલિક સંપૂર્ણ તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો છે અને આસપાસના તમામ CCTV કેમેરાની તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી છે.
ગૃહમંત્રી અમિત શાહનું સત્તાવાર નિવેદન અને વિસ્ફોટનો સમય
દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પાસે થયેલા ભયાનક વિસ્ફોટની ઘટના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દુઃખ વ્યક્ત કરતાં તાત્કાલિક કાર્યવાહીની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું કે, "આજે સાંજે લગભગ 7 વાગ્યે, દિલ્હીમાં લાલ કિલ્લા પાસે આવેલા સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પર એક Hyundai i20 કારમાં વિસ્ફોટ થયો હતો." આ વિસ્ફોટના કારણે કેટલાક રાહદારીઓ ઘાયલ થયા હતા અને નજીકના અન્ય વાહનોને પણ મોટું નુકસાન થયું હતું. પ્રારંભિક અહેવાલો મુજબ, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.
ગૃહમંત્રીએ જણાવ્યું કે વિસ્ફોટની માહિતી મળ્યાના માત્ર 10 મિનિટમાં જ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અને દિલ્હી સ્પેશિયલ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, જેણે તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું.
#WATCH | Delhi: Blast near Red Fort Metro Station | Union Home Minister Amit Shah says "This evening, around 7 pm, a blast occurred in a Hyundai i20 car at the Subhash Marg traffic signal near the Red Fort in Delhi. The blast injured some pedestrians and damaged some vehicles.… pic.twitter.com/BfRei3r3tx
— ANI (@ANI) November 10, 2025
તપાસ માટે NSG અને NIA ને આદેશ
અમિત શાહે સ્પષ્ટ કર્યું કે આ ઘટનાની તપાસમાં કોઈ કચાસ નહીં રખાય અને બધી શક્યતાઓ પર વિચાર કરીને તમામ ખૂણાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, "વિસ્ફોટકોના નિષ્ણાતો સહિતની NSG (નેશનલ સિક્યુરિટી ગાર્ડ) અને આતંકવાદી કેસોના અનુભવી તપાસકર્તાઓ સહિતની NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) ની ટીમોએ FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) સાથે મળીને હવે સંપૂર્ણ તપાસ શરૂ કરી દીધી છે."
વધુમાં, ગૃહમંત્રીએ દિલ્હી પોલીસ કમિશનર અને સ્પેશિયલ બ્રાન્ચના પ્રભારી સાથે પણ વાતચીત કરી હતી અને આસપાસના તમામ CCTV કેમેરાની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જે વિસ્ફોટ પાછળના ષડયંત્રને ઉકેલવામાં મદદરૂપ થશે.
પ્રધાનમંત્રી દ્વારા પૂછપરછ અને ઘાયલોની મુલાકાત
આ ઘટનાની ગંભીરતાને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરીને સમગ્ર પરિસ્થિતિ અને ચાલી રહેલી તપાસ અંગેની પૂછપરછ કરી હતી. બીજી તરફ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતે ઘાયલોને મળવા માટે LNJP હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઘાયલોની તબિયત વિશે પૂછપરછ કરી હતી અને તેમને તમામ જરૂરી મદદ પૂરી પાડવાની ખાતરી આપી હતી. આ ઉચ્ચ સ્તરીય સક્રિયતા દર્શાવે છે કે સરકાર આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈ રહી છે.





















