શોધખોળ કરો

આ તારીખથી ફરી નિયમિત શરુ થઈ શકે છે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ, જાણો 

કોવિડ-19 (COVID-19)ના કેસોમાં સતત ઘટાડાને જોતા, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, આરોગ્ય મંત્રાલય સાથે પરામર્શ કર્યા પછી, નિર્ધારિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરીથી શરૂ કરવાના નિર્ણય પર લગભગ પહોંચી ગયું છે.

નવી દિલ્હી: સરકારી સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે 15 માર્ચથી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ શકે છે અને આ માટે ભારતીય એરપોર્ટ પર અસરકારક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું કે, કોવિડ-19 (COVID-19)ના કેસોમાં સતત ઘટાડાને જોતા, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, આરોગ્ય મંત્રાલય સાથે પરામર્શ કર્યા પછી, નિર્ધારિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરીથી શરૂ કરવાના નિર્ણય પર લગભગ પહોંચી ગયું છે. જોકે, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ સંબંધમાં એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું કે, "નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ 15 માર્ચથી ફરી શરૂ થવાની સંભાવના છે. 14 ફેબ્રુઆરીથી અમલી આંતરરાષ્ટ્રીય આગમન માટેની માર્ગદર્શિકા, આ ફ્લાઇટ્સનાં મુસાફરો માટે એરપોર્ટ પર અનુસરવામાં આવશે."

28 ફેબ્રુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ પર પ્રતિબંધ

ભારતમાં નિર્ધારિત આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ પરનો પ્રતિબંધ 28 ફેબ્રુઆરી સુધી અમલમાં છે. કોવિડ-19 રોગચાળાને કારણે દેશમાં આવી ફ્લાઇટ્સ 23 માર્ચ, 2020 થી સ્થગિત કરવામાં આવી છે. 'એર બબલ' વ્યવસ્થા હેઠળ, જુલાઈ 2020 થી ભારત અને લગભગ 40 દેશો વચ્ચે વિશેષ પેસેન્જર ફ્લાઇટ્સ કાર્યરત છે.

નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે આગામી બે મહિનામાં, ડોમેસ્ટિક ફ્લાઈટ્સના હવાઈ મુસાફરોની સંખ્યા  કોવિડ-પૂર્વના સ્તરે પહોંચી જશે. તેમણે રાજ્યોને દેશના ઉડ્ડયન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે જેટ ફ્યુઅલ (ATF) પરનો ટેક્સ ઘટાડવાનો પણ અનુરોધ કર્યો હતો.

કોવિડ રોગચાળા પહેલા ચાર લાખ લોકો ઘરેલુ એરલાઇન્સ દ્વારા દરરોજ મુસાફરી કરતા હતા. રોગચાળાના બીજી લહેર  પછી મુસાફરોની સંખ્યામાં વધારો થયો, પરંતુ નવા સ્વરૂપ ઓમિક્રોનના આગમન પછી તેમાં ઘટાડો થવા લાગ્યો. સિંધિયાએ કહ્યું કે ક્ષમતા અને ભાડા પરની મર્યાદા એક એવું વાતાવરણ બનાવવા માટે લાદવામાં આવી હતી જેમાં તમામ ખેલાડીઓ ટકી શકે અને દરેકને થોડો બજાર હિસ્સો અને આવક મળી શકે. ઑક્ટોબર 18, 2021 થી એરલાઇન્સને સંપૂર્ણ ક્ષમતા પર કામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget