શોધખોળ કરો

ઓડિશા ટ્રેન અકસ્માત બાદ મદદ માટે આગળ આવ્યું રિલાયન્સ ફાઉન્ડેશન, સ્થળ પર મોકલી ટીમ

ઓડિશાના બાલાસોરમાં ભયાનક ત્રણ ટ્રેન અકસ્માતમાં 275 લોકોના મોત થયા છે.  લોકો અને અનેક સંસ્થાઓ ઓડિશાના બાલાસોરમાં  દુ:ખદ ટ્રેન અકસ્માતના સ્થળે દોડી આવ્યા હતા.

ઓડિશાના બાલાસોરમાં ભયાનક ત્રણ ટ્રેન અકસ્માતમાં 275 લોકોના મોત થયા છે.  લોકો અને અનેક સંસ્થાઓ ઓડિશાના બાલાસોરમાં  દુ:ખદ ટ્રેન અકસ્માતના સ્થળે દોડી આવ્યા હતા. જેથી શક્ય તેટલા લોકોના જીવ બચાવવામાં બચાવ અધિકારીઓને મદદ કરી શકાય. આ સંસ્થાઓમાં રિલાયન્સ ફાઉન્ડેશન પણ છે.  જે સક્રિય રીતે મદદ કરી રહી છે.  રિલાયન્સ ફાઉન્ડેશનની ઓન-સાઇટ ટીમો બચાવ કર્મચારીઓને પૌષ્ટિક ભોજન પૂરું પાડવા માટે  રસોડું  ચલાવીને બચાવ અને રાહત પ્રયાસોમાં મદદ કરી રહ્યા છે. તેઓ બાલાસોરના બહાનાગા ગામમાં અકસ્માત સ્થળ પર વિવિધ રીતે મદદ  કરી રહ્યા છે.

સંસ્થાએ ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીરો  શેર કરી છે.  આ તસવીરના  કેપ્શનમાં લખ્યું છે કે, ઓડિશામાં  દુ:ખદ ટ્રેન દુર્ઘટનાથી પ્રભાવિત લોકો સાથે અમે ઊભા છીએ, જમીન પર અમારી ટીમો બચાવ અને રાહત કામગીરીને સમર્થન આપી રહી છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Reliance Foundation (@reliancefoundation)

 

દુઃખના આ સમયમાં બચાવ કાર્યકરો મહત્તમ  જીવન બચાવવા માટે અથાગ પરિશ્રમ કરે છે. તેમને સમર્થન આપવા માટે અમે તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરી તેમને મદદરુપ થઈ રહ્યા છીએ. બાલાસોરના બહાનાગા ગામમાં અકસ્માત સ્થળ પર કામ કરતા કામદારો અને અધિકારીઓને ભોજન પીરસીએ છીએ અને અન્ય સહાય સાથે જરૂરી વસ્તુઓ આપીએ છીએ. અમે ઘાયલો ઝડપથી સાજા થાય તેના માટે ભગવાનને  પ્રાર્થના કરીએ છીએ. 

ઓરિસ્સાના  બાલાસોરમાં શુક્રવારે (2 જૂન) સાંજે થયેલા ભયાનક ટ્રેન દુર્ઘટના બાદ સતત રિપેરિંગ કામ ચાલી રહ્યું છે. સ્થળ પર હજુ પણ કામ ચાલુ છે અને ટૂંક સમયમાં ટ્રાફિક પૂર્વવત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 

બુલડોઝરની મદદથી ડબ્બા દૂર કરવામાં આવી રહ્યા છે

ક્ષતિગ્રસ્ત કોચને ટ્રેક પરથી હટાવવા માટે ક્રેન અને બુલડોઝરની મદદ લેવામાં આવી રહી છે. ભયાનક ટ્રેન દુર્ઘટનાને કારણે ટ્રેનના ડબ્બા જમીનમાં ધસી ગયા છે. આ સાથે પાટા પરથી કાટમાળ પણ હટાવવામાં આવી રહ્યો છે જેથી કરીને આ રેલ્વે લાઇનને ફરીથી સરળ બનાવી શકાય. હાલ અકસ્માત બાદ ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે અને ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે.

હાવડા તરફ જતી બેંગલુરુ-હાવડા એક્સપ્રેસ (વિરુદ્ધ દિશામાં) ડાઉન મેઇન લાઇન પર મુસાફરી કરી રહી હતી ત્યારે કોરોમંડલે માલસામાન ટ્રેનને ટક્કર મારી હતી. જ્યારે કોરોમંડલ માલસામાન ટ્રેન સાથે અથડાઈ ત્યારે મોટાભાગની બેંગલુરુ-હાવડા ટ્રેન અકસ્માત સ્થળને પાર કરી ચૂકી હતી. જો કે, બેંગ્લોર-હાવડા એક્સપ્રેસના કેટલાક છેલ્લા કોચ અકસ્માતનો ભોગ બન્યા હતા અને પાટા પરથી ઉતરી ગયા હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
કેરળ પહોંચ્યું ચોમાસુ! UP, બિહાર અને દિલ્હીમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો શું કહે છે IMD
કેરળ પહોંચ્યું ચોમાસુ! UP, બિહાર અને દિલ્હીમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો શું કહે છે IMD

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Embed widget