શોધખોળ કરો
Advertisement
યશ બેન્કે પીએમ રિલીફ ફંડમાં 10 કરોડ રૂપિયા આપાવાની જાહેરાત કરી, જાણો વિગતે
યશ બેન્કે પોતાના એક નિવેદનમાં કહ્યું કે, કૉવિડ-19ના કારણે દેશમાં આવેલી મુશ્કેલીઓ અને પડકારો માટે વડાપ્રધાનના આહ્વાનનુ સમર્થન કરીએ છીએ
મુંબઇઃ દેશમાં કોરોનાની લડાઇમાં હવે ખાનગી ક્ષેત્રની યશ બેન્ક પણ મેદાનમાં આવી ગઇ છે. યશ બેન્કે પીએમ રિલીફ ફંડમાં મદદ માટે 10 કરોડ રૂપિયાનુ દાન આપવાની જાહેરાત કરી છે.
યશ બેન્કે પોતાના એક નિવેદનમાં કહ્યું કે, કૉવિડ-19ના કારણે દેશમાં આવેલી મુશ્કેલીઓ અને પડકારો માટે વડાપ્રધાનના આહ્વાનનુ સમર્થન કરીએ છીએ. આને ધ્યાનમાં રાખીને પીએમ કેયર્સ ફંડમાં 10 કરોડ રૂપિયાનુ યોગદાન આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કોરોના સામેની લડાઇમાં હાલ આખો દેશ એક થઇને લડાઇ લડી રહ્યો છે, ત્યારે દેશની વિવિધ કંપનીઓ અને સેલિબ્રિટીઓ પીએમ અને સીએમ રાહત ફંડમાં દાન કરી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રાઇમ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion