શોધખોળ કરો

સંઘની જાહેરાત- જો જરૂર પડી તો રામ મંદિર માટે 1992 જેવું આંદોલન થશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહક ભૈયાજી જોશીએ શુક્રવારે કહ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઇને જો જરૂર પડી તો ફરીથી 1992ની જેમ આંદોલન કરવામાં આવશે. તેમણે કહ્યું કે, રામ મંદિરને લઇને ઘણા લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી છે. ભૈયાજી જોશીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે જે રીતે રામ મંદિર પર નિર્ણય આપ્યો તેનાથી અમે તમામ લોકો આશ્વર્યમાં પડી ગયા છીએ અને આ ટિપ્પણીથી હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે. તેમણે કહ્યું કે, રામ મંદિરને લઇને 30 વર્ષથી આંદોલન ચાલી રહ્યું છે અને કોર્ટે હિન્દુઓની ભાવનાઓનો ખ્યાલ રાખવો જોઇએ. અમને વિશ્વાસ છે કે ભવિષ્યમાં કોર્ટ હિન્દુઓની ભાવનાઓને ધ્યાનમાં રાખશે. ભૈયાજી જોશીએ કહ્યું કે, અમને આશા છે કે ભવ્ય રામ મંદિર બનશે અને કોર્ટમાં ભાવનાઓનું ધ્યાન રાખતા ચુકાદો આપશે. કોર્ટમાંથી અપેક્ષા ઘણો લાંબો સમય થઇ ચૂક્યો છે. આ કેસને સુપ્રીમ કોર્ટમાં પણ સાત વર્ષ થઇ ચૂક્યા છે. 3 જજની બેન્ચ બનાવ્યા બાદ અમને ચુકાદાની આશા હતી પરંતુ એવું થયું નહીં. તેમણે કહ્યું કે, જો જરૂર પડી તો 1992ની જેમ ફરીથી રામ મંદિરને લઇને આંદોલન કરવામાં આવશે. રામ મંદિર માટે વટહુકમ લાવવાના સવાલ પર જોશીએ કહ્યું કે, વટહુકમ જેને માંગવું હશે એ માંગશે પરંતુ આ માટેનો નિર્ણય સરકારે કરવાનો છે. તેમણે કહ્યું કે, રામ તમામના હૃદયમાં રહે છે પણ તે મંદિરો દ્ધારા પ્રગટ થાય છે. અમે ઇચ્છીએ છીએ કે મંદિર બને. જોશી ત્રણ દિવસ સુધી ચાલેલી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બેઠક બાદ મીડિયાને સંબોધિત કરી રહ્યા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે
આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: પેટ્રોલ-ડીઝલથી લઈને LPG સુધી... જાણો મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે ભારતની શું છે તૈયારી
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: પેટ્રોલ-ડીઝલથી લઈને LPG સુધી... જાણો મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે ભારતની શું છે તૈયારી
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભગવાધારીઓના પ્રપંચ!
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસની આંગળી ટ્રિગર પર!
Gujarat Assembly : ફાવતું ન હોય તો AAPમાં આવી જાવ, ઇટાલિયાના સમર્થકની કિરીટ પટેલને અપીલ
Election Dates 2026 Announcement : 4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત
Gujarat By Election 2026 : ઉમરેઠમાં પેટાચૂંટણીની જાહેરાત, 23મી માર્ચે મતદાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
આસામ ઓપિનિયન પોલ: ભાજપ ગઠબંધનને 98 બેઠકો સુધી મળવાનો અંદાજ, વિપક્ષ માત્ર 28 માં સમેટાઈ શકે
આસામ ઓપિનિયન પોલ: ભાજપ ગઠબંધનને 98 બેઠકો સુધી મળવાનો અંદાજ, વિપક્ષ માત્ર 28 માં સમેટાઈ શકે
તમિલનાડુ ઓપિનિયન પોલ: 234 બેઠકોની રેસમાં મોટો ઉલટફેર! ભાજપ ગઠબંધન આગળ, સત્તાધારી DMK પાછળ
તમિલનાડુ ઓપિનિયન પોલ: 234 બેઠકોની રેસમાં મોટો ઉલટફેર! ભાજપ ગઠબંધન આગળ, સત્તાધારી DMK પાછળ
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: પેટ્રોલ-ડીઝલથી લઈને LPG સુધી... જાણો મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે ભારતની શું છે તૈયારી
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: પેટ્રોલ-ડીઝલથી લઈને LPG સુધી... જાણો મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે ભારતની શું છે તૈયારી
ગુજરાતમાં પેટાચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ઉમરેઠ બેઠક પર 23 એપ્રિલે થશે મતદાન, 4 મેના રોજ આવશે પરિણામ
ગુજરાતમાં પેટાચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ઉમરેઠ બેઠક પર 23 એપ્રિલે થશે મતદાન, 4 મેના રોજ આવશે પરિણામ
ગોપાલ ઇટાલિયાની હાજરીમાં AAP સમર્થકે કોંગ્રેસના MLA કિરીટ પટેલને કહ્યું, 'ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાવ!'
ગોપાલ ઇટાલિયાની હાજરીમાં AAP સમર્થકે કોંગ્રેસના MLA કિરીટ પટેલને કહ્યું, 'ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાવ!'
અમરેલીમાં ફરી કૌભાંડ: ઈંગોરાળામાંથી ઝડપાયું 220 લીટર નકલી દૂધ, ફૂડ વિભાગ અને પોલીસના સપાટાથી ભેળસેળિયાઓમાં ફફડાટ
અમરેલીમાં ફરી કૌભાંડ: ઈંગોરાળામાંથી ઝડપાયું 220 લીટર નકલી દૂધ, ફૂડ વિભાગ અને પોલીસના સપાટાથી ભેળસેળિયાઓમાં ફફડાટ
Embed widget