પરિવાર સાથે PM મોદીને મળ્યા સચિન તેંડુલકર, દીકરા અર્જુનના લગ્નનું આપ્યું આમંત્રણ
Sachin Tendulkar: ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર માર્ચમાં સાનિયા ચંડોક સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે

Sachin Tendulkar: ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર માર્ચમાં સાનિયા ચંડોક સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. સચિન તેના પરિવાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને લગ્નનું આમંત્રણ આપ્યું હતું. પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં આ માહિતી શેર કરી હતી.
We were honoured to invite Hon’ble Prime Minister Shri @narendramodi ji to Arjun and Saaniya’s wedding. Thank you, Modi ji, for your blessings and thoughtful advice for the young couple. pic.twitter.com/7oxOZm3i5X
— Sachin Tendulkar (@sachin_rt) February 10, 2026
સચિન તેંડુલકર તેના પરિવાર સાથે પીએમ મોદીને મળ્યા
ક્રિકેટર સચિન તેંડુલકરે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, "અર્જુન અને સાનિયાના લગ્ન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવાનું અમને સન્માન મળ્યું. આ યુવાન દંપતીને તમારા આશીર્વાદ અને વિચારશીલ સલાહ બદલ પીએમ મોદીનો આભાર."
અર્જુન તેંડુલકર ક્યારે લગ્ન કરશે?
સાનિયા ચંડોક જાણીતા ઉદ્યોગપતિ રવિ ઘઈની પૌત્રી છે. તે એક ક્વોલિફાઈડ વેટરનરી ટેકનિશિયન પણ છે. સમાચાર એજન્સી IANS એ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે લગ્નની વિધિઓ 3 માર્ચે શરૂ થઈ શકે છે. બંન્નેના લગ્ન 5 માર્ચે યોજાશે, જે મુંબઈમાં થશે. અહેવાલો અનુસાર, ગયા વર્ષે ઓગસ્ટમાં બંન્નેની સગાઈ થઈ હતી. સમારોહમાં ફક્ત પરિવાર અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા.
અર્જુન તેંડુલકરની ક્રિકેટ કારકિર્દી
અર્જુન એક ઝડપી બોલર અને નીચલા ક્રમનો બેટ્સમેન છે જેને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં મુંબઈ ઇન્ડિયન્સથી લખનઉ સુપર જાયન્ટ્સમાં ટ્રેડ કરવામાં આવ્યો છે. તેણે 2022માં ગોવા માટે રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું. 2021માં તેને IPL હરાજીમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) દ્વારા 20 લાખની બેઝ પ્રાઈસ પર ખરીદવામાં આવ્યો હતો. જોકે, તે વર્ષે અર્જુને ઈજાને કારણે IPLમાંથી ખસી જવું પડ્યું હતું.
આ પછી મુંબઈ ઇન્ડિયન્સે 2022ની IPL હરાજીમાં ફરી એકવાર અર્જુન તેંડુલકર પર બોલી લગાવી. તેને 30 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. અર્જુને 2023માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું અને તેણે સીઝનમાં ચાર મેચ રમી હતી. પછીના વર્ષે મુંબઈ ઇન્ડિયન્સે તેને ફક્ત એક જ મેચમાં મેદાનમાં ઉતાર્યો હતો. અર્જુને અત્યાર સુધી 5 IPL મેચમાં 3 વિકેટ લીધી છે અને 13 રન બનાવ્યા છે.























