ફ્લોર ટેસ્ટમાં CM સમ્રાટ ચૌધરી પાસ, બિહાર વિધાનસભામાં જીત્યો વિશ્વાસ મત
NDA પાસે વિધાનસભામાં લગભગ 201 ધારાસભ્યોનું સમર્થન છે જ્યારે બહુમત માટે 122ના આંકડાથી જરૂરી છે.

આજે બિહારના રાજકારણમાં એક મોટો દિવસ રહ્યો હતો જ્યારે સમ્રાટ ચૌધરીના નેતૃત્વ હેઠળની NDA સરકારે વિધાનસભામાં વિશ્વાસ મત જીતી લીધો છે. સરકારે ધ્વનિ મતના આધાર પર સરકારે સરળતાથી વિધાનસભામાં વિશ્વાસ સરળતાથી જીતી લીધો છે. કારણ કે સંખ્યાબળ અગાઉથી જ તેમના પક્ષમાં હતો.
NDA પાસે વિધાનસભામાં લગભગ 201 ધારાસભ્યોનું સમર્થન છે જ્યારે બહુમત માટે 122ના આંકડાથી જરૂરી છે. આ કારણે મતદાન જરૂરી નહોતું અને ઠરાવ ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યો હતો.
VIDEO | Patna: Samrat Choudhary-led NDA government wins trust vote in 243-member Bihar assembly.
(Source: Third Party)
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/aIjgcGQngZ — Press Trust of India (@PTI_News) April 24, 2026
વિપક્ષના નેતા તેજસ્વી યાદવનો કટાક્ષ
જોકે કટાક્ષમાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે સરકારને ટેકો આપવાની જાહેરાત કરી હતી. 15 એપ્રિલના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના માત્ર નવ દિવસ પછી સમ્રાટ ચૌધરીએ ગૃહમાં બહુમતી સાબિત કરીને પોતાની સ્થિતિ મજબૂત બનાવી હતી. વિશ્વાસ મત પછી સ્પીકર પ્રેમ કુમાર સહિત ઘણા સભ્યોએ તેમને અભિનંદન આપ્યા હતા.
VIDEO | Speaking in Bihar Assembly, RJD leader Tejashwi Yadav (@yadavtejashwi) , says, "Bihar is truly a peculiar state where in five years a fifth government has been formed. Selected CM has ousted the elected CM. I would advice Samrat Choudhary to keep his 'turban' safe from… pic.twitter.com/w3QoXUz0iW
— Press Trust of India (@PTI_News) April 24, 2026
ચર્ચા દરમિયાન મુખ્યમંત્રીએ વિપક્ષ પર આકરા પ્રહારો શરૂ કર્યા હતા. લાલુ પ્રસાદ યાદવના શાસનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે જો તે સમયગાળા દરમિયાન તેમના પર અત્યાચાર ન થયો હોત તો તેઓ આજે આ પદ પર ન પહોંચ્યા હોત. તેમણે નીતિશ કુમારના નેતૃત્વ અને સિદ્ધાંતોની પણ પ્રશંસા કરી હતું કે કહ્યું કે "વિકસિત બિહાર"નું લક્ષ્ય તેમની સરકાર માટે પ્રાથમિકતા રહેશે.
STORY | BJP has sought to 'finish' off Nitish: Tejashwi in Bihar assembly
— Press Trust of India (@PTI_News) April 24, 2026
RJD working president Tejashwi Yadav on Friday alleged that JD(U) supremo Nitish Kumar was forced to give up the Bihar chief minister's post by the BJP, which wanted to "finish" him off politically.
READ:… pic.twitter.com/il8cFAuzcj
તેજસ્વી યાદવ પર કટાક્ષ કરતા સમ્રાટ ચૌધરીએ ટિપ્પણી કરતા કહ્યું, "જે પોતાના ઘરમાં બહેનનું સન્માન ન કરી શકે તે બીજાનું શું કરી શકે?" આ નિવેદનથી ગૃહમાં રાજકીય તાપમાન વધુ વધ્યું.
#WATCH | Patna, Bihar | Chief Minister Samrat Choudhary says, "... The power is not anyone's inheritance... Lalu Yadav put me in jail... If Nitish Kumar hadn't been there, would Lalu Yadav have been the Chief Minister? Nitish Kumar also made Lalu Yadav the Chief Minister... If… pic.twitter.com/NRXa6kHjNS
— ANI (@ANI) April 24, 2026
મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી કે તેમની સરકાર કોઈપણ સંજોગોમાં ક્રાઈમ, કમ્યૂનલિઝમ અને કરપ્શન સાથે સમાધાન કરશે નહીં. તેમણે કહ્યું કે NDA સરકારે મહિલા સુરક્ષા, ખેડૂતોના હિતો અને સુશાસનને પ્રાથમિકતા આપી છે અને તે દિશામાં કામ કરવાનું ચાલુ રાખશે. વિશ્વાસ મત સાથે સમ્રાટ ચૌધરીએ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો કે રાજકીય આરોપો અને પ્રતિ-આરોપ છતાં તેમની સરકાર સ્થિર અને વિકાસના એજન્ડાને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.





















