'ફરજિયાત નથી, ડિલીટ કરી શકો છો એપ', Sanchar Saathi પર વિવાદ વચ્ચે કેન્દ્રિયમંત્રીનું મોટું નિવેદન
સંચાર સાથી એપને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્પષ્ટતા જાહેર કરી છે.

સંચાર સાથી એપને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્પષ્ટતા જાહેર કરી છે. તેમણે જણાવ્યું હતું કે આ એપ મારફતે કોઈની જાસૂસી કરવામાં આવશે નહીં. કોઈના કોલનું મોનિંટરિંગ પણ કરવામાં આવશે નહીં.
#WATCH | Delhi | "... If you don't want Sanchar Sathi, you can delete it. It is optional... It is our duty to introduce this app to everyone. Keeping it in their devices or not, is upto the user...," says Union Minister for Communications Jyotiraditya Scindia. pic.twitter.com/iXzxzfrQxt
— ANI (@ANI) December 2, 2025
#WATCH | Delhi | On the debate around Sanchar Saathi app, Union Minister for Communications Jyotiraditya Scindia says, "When the opposition has no issues, and they are trying to find some, we cannot help them. Our duty is to help the consumers and ensure their safety. The Sanchar… https://t.co/Kr3juNrGFq pic.twitter.com/npwm9R1Kf2
— ANI (@ANI) December 2, 2025
સિંધિયાએ કહ્યું હતું કે, "જો તમે એપનો ઉપયોગ કરવા માંગતા હોવ તો તેને એક્ટિવ કરો. જો તમે એક્ટિવ કરવા નથી માંગતા તો કરવાની કોઈ જરૂર નથી. તે ફરજિયાત નથી. જો તમે ઈચ્છો તો તમે તેને તમારા ફોનમાંથી ડિલીટ કરી શકો છો." તેમણે ઉમેર્યું કે સરકારની જવાબદારી છે કે તે ખાતરી કરે કે આ એપ લોકો માટે સુલભ છે, કારણ કે તેનો હેતુ નાગરિકોને છેતરપિંડી, ઓનલાઈન છેતરપિંડી અને સાયબર ક્રાઈમથી બચાવવાનો છે.
પ્રિયંકા ગાંધીએ જાસૂસીનો આરોપ લગાવ્યો
અગાઉ, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મંગળવારે ટેલિકોમ્યુનિકેશન વિભાગના નિર્દેશ પર નવા મોબાઇલ હેન્ડસેટમાં "સંચાર સાથી" એપ્લિકેશન પ્રી-ઇન્સ્ટોલ કરવાની ફરજ પાડવાનો આરોપ લગાવ્યો હતો તેને "જાસૂસી એપ્લિકેશન" ગણાવી હતી અને સરકાર દેશને સરમુખત્યારશાહીમાં ફેરવવાનો પ્રયાસ કરી રહી છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગે મોબાઇલ હેન્ડસેટ ઉત્પાદકો અને આયાતકારોને નિર્દેશ આપ્યો છે કે ખાતરી કરો કે બધા નવા મોબાઇલ ડિવાઈસમાં છેતરપિંડીની ચેતવણી આપતી એપ્લિકેશન "સંચાર સાથી" પહેલાથી ઇન્સ્ટોલ કરેલી હોવી જોઈએ.
દેશને સરમુખત્યારશાહીમાં ફેરવવામાં આવી રહ્યો છે - પ્રિયંકા ગાંધી
સંસદ સંકુલમાં મીડિયા સાથે વાત કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું, "સંચાર સાથી એક જાસૂસી એપ્લિકેશન છે અને તે સ્પષ્ટપણે હાસ્યાસ્પદ છે. નાગરિકોને ગોપનીયતાનો અધિકાર છે. દરેકને સરકારની તપાસ વિના પરિવાર અને મિત્રોને મેસેજ મોકલવાનો અધિકાર હોવો જોઈએ." તેમણે દાવો કર્યો, "આ ફક્ત ટેલિફોન પર જાસૂસી કરવા વિશે નથી. તેઓ (સરકાર) આ દેશને દરેક રીતે સરમુખત્યારશાહીમાં ફેરવી રહ્યા છે." સંસદ કાર્યરત નથી કારણ કે સરકાર કોઈપણ વિષય પર ચર્ચા કરવાનો ઇનકાર કરી રહી છે. વિપક્ષને દોષ આપવો ખૂબ જ સરળ છે, પરંતુ તેઓ કોઈ ચર્ચા થવા દેતા નથી અને આ લોકશાહી નથી." તેમણે કહ્યું કે સ્વસ્થ લોકશાહીમાં ચર્ચા જરૂરી છે અને દરેકના અલગ અલગ મંતવ્યો હોય છે, જે સરકારો સાંભળે છે.





















