શોધખોળ કરો

Patra Chawl Land Case: શિવસેના સાંસદ સંજય રાઉતને રાહત નહી, કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડી ફરી વધારી

પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં શિવસેના સાંસદ સંજય રાઉતની મુશ્કેલી ખતમ થવાનું નામ નથી લઈ રહી. કોર્ટે તેમની જ્યુડિશિયલ કસ્ટડી ફરી એક વખત લંબાવી છે.

Sanjay Raut Judicial Custody Extended: પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં શિવસેના સાંસદ સંજય રાઉતની મુશ્કેલી ખતમ થવાનું નામ નથી લઈ રહી. કોર્ટે તેમની જ્યુડિશિયલ કસ્ટડી ફરી એક વખત લંબાવી છે, કોર્ટે શિવસેના સાંસદની જ્યુડિશિયલ કસ્ટડી 21 ઓક્ટોબર સુધી લંબાવી છે. કોર્ટે મંગળવારે કહ્યું કે કથિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરાયેલ શિવસેના સાંસદ સંજય રાઉતની જામીન અરજી પર 21 ઓક્ટોબરે સુનાવણી થશે.

વિશેષ ન્યાયાધીશ એમજી દેશપાંડેએ પણ રાઉતની ન્યાયિક કસ્ટડી 21 ઓક્ટોબર સુધી લંબાવી હતી જ્યારે શિવસેનાના સાંસદને તેમની ન્યાયિક કસ્ટડીની મુદત પૂરી થયા બાદ મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં, શિવસેનાના સાંસદ સંજય રાઉત એનસીપી નેતા એકનાથ ખડસેને મળ્યા હતા, જેઓ તેમની સામે ED દ્વારા નોંધાયેલા મની લોન્ડરિંગ કેસના સંબંધમાં તેમની હાજરી ચિહ્નિત કરવા કોર્ટમાં આવ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓએ વાત કરી હતી અને રાઉત ખડસેને કહેતા સાંભળવામાં આવ્યા હતા કે તેઓ ટૂંક સમયમાં જેલમાંથી બહાર આવશે.

રાઉતના વકીલ અશોક મુંદરગીએ મંગળવારે કોર્ટમાં તેમની દલીલો રજૂ કરતાં કહ્યું કે ED દ્વારા સંજય રાઉત પર લગાવવામાં આવેલા આરોપો સ્વાભાવિક રીતે અવિશ્વસનીય છે. આવા આક્ષેપો પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. કોર્ટને જણાવ્યું કે કથિત વ્યવહારો વર્ષ 2008 થી 2012 સુધીના છે. એક દાયકા થઈ ગયો અને આરોપ માત્ર રૂ. 3.85 કરોડનો છે.

બીજી તરફ, એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંઘે ED માટે હાજર રહીને મુંદરગી દ્વારા કરવામાં આવેલી કેટલીક નવી રજૂઆતોનો વિરોધ કરવા માટે વધારાનો સમય માંગ્યો હતો. આ પછી, કોર્ટે સંમતિ આપી અને વધુ સુનાવણી માટે 21 ઓક્ટોબરની તારીખ નક્કી કરી અને ત્યાં સુધી રાઉતની ન્યાયિક કસ્ટડી વધારી. રાઉતની ED દ્વારા આ વર્ષે જુલાઈમાં પાત્રા ચાલ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના સંબંધમાં મની લોન્ડરિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. સંજય રાઉત વિરુદ્ધ EDની તપાસ પાત્રા ચાલના પુનઃવિકાસમાં અનિયમિતતા અને તેની પત્ની અને સહયોગીઓ સાથે સંબંધિત નાણાકીય વ્યવહારો સાથે સંબંધિત છે.

શું છે પાત્રા ચાલ જમીન કૌભાંડ


ED અનુસાર, ગુરુ આશિષ કન્સ્ટ્રક્શનને પાત્રા ચાલના પુનઃવિકાસનું કામ સોંપવામાં આવ્યું હતું. આ કામ તેમને MHADA દ્વારા સોંપવામાં આવ્યું હતું. આ અંતર્ગત મુંબઈના ગોરેગાંવમાં 47 એકર જમીન પર પાત્રા ચાલમાં 672 ભાડૂઆતોના મકાનો રિડેવલપ કરવાના હતા. ED અનુસાર, ગુરુ આશિષ કન્સ્ટ્રક્શને MHADAને ગેરમાર્ગે દોર્યું અને ફ્લેટ બનાવ્યા વિના આ જમીન 9 બિલ્ડરોને 901.79 કરોડ રૂપિયામાં વેચી દીધી. બાદમાં ગુરુ આશિષ કન્સ્ટ્રક્શને Meadows નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો અને ઘર ખરીદનારાઓ પાસેથી ફ્લેટ માટે રૂ. 138 કરોડ એકત્ર કર્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે કન્સ્ટ્રક્શન કંપનીએ ગેરકાયદેસર રીતે રૂ. 1,034.79 કરોડથી વધુની કમાણી કરી હતી. બાદમાં તેણે આ રકમ ગેરકાયદેસર રીતે તેના સહયોગીઓને ટ્રાન્સફર કરી હતી.

ED અનુસાર, ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (HDIL) ની સિસ્ટર કંપની છે. તપાસમાં સામે આવ્યું છે કે HDILએ પ્રવીણ રાઉતના ખાતામાં લગભગ 100 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. 2010માં પ્રવીણ રાઉતની પત્ની માધુરીએ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતના ખાતામાં 83 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ રકમથી વર્ષા રાઉતે દાદરમાં ફ્લેટ ખરીદ્યો હતો. EDની તપાસ શરૂ થયા બાદ વર્ષા રાઉતે માધુરી રાઉતના ખાતામાં 55 લાખ રૂપિયા મોકલ્યા હતા.

ED અનુસાર, પ્રવીણ રાઉતે રાકેશ વાધવાન અને સારંગ વાધવન સાથે મળીને હજાર કરોડ રૂપિયાથી વધુની ગેરરીતિ કરી છે. EDએ પ્રવીણ રાઉત અને તેના નજીકના સાથી સુજીત પાટકર સાથે સંબંધિત જગ્યા પર દરોડા પાડ્યા હતા. પ્રવીણ રાઉત અને સંજય રાઉત કથિત રીતે મિત્રો છે. સાથે જ સુજીત પાટકરને પણ સંજય રાઉતના નજીકના માનવામાં આવે છે. સુજીત પાટકર પણ સંજય રાઉતની પુત્રી સાથે વાઈન ટ્રેડિંગ કંપનીમાં ભાગીદાર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget