શોધખોળ કરો

રેશનકાર્ડ ધારકો માટે સરકાર લાવી ડિજિટલ 'સાર્થક PDS' યોજના, જાણો તમને શું ફાયદો થશે

sarthak pds scheme ration card: દેશના 813.5 મિલિયન રેશનકાર્ડ ધારકોને થશે સીધો ફાયદો; રાશનની ચોરી રોકવા અને સમયસર વિતરણ માટે આગામી 5 વર્ષમાં ₹25,530 કરોડ ખર્ચાશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સાર્થક PDS યોજના દ્વારા રાશન વિતરણ વ્યવસ્થા ડિજિટલ બનશે.
  • GPS અને ઓનલાઈન ટ્રેકિંગથી ગોડાઉનથી દુકાન સુધી અનાજ પર નજર રહેશે.
  • AI આધારિત 'નિર્મલ' સિસ્ટમ દ્વારા ખોટા રેશનકાર્ડ ધારકો પકડાશે.
  • ૮૧ કરોડથી વધુ રેશનકાર્ડ ધારકોને પારદર્શક સેવાઓનો લાભ મળશે.

sarthak pds scheme ration card: જો તમારી પાસે રેશનકાર્ડ છે અને તમે સરકારી રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો, તો તમારા માટે એક બહુ જ સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે રાશન વિતરણ વ્યવસ્થાને એકદમ આધુનિક અને ડિજિટલ બનાવવા માટે 'સાર્થક PDS' (Sarthak PDS) નામની નવી યોજના શરૂ કરી છે. આ યોજનાનો મુખ્ય હેતુ રાશનની ચોરી અટકાવવાનો, કામકાજમાં પારદર્શિતા લાવવાનો અને લોકોને સમયસર રાશન પહોંચાડવાનો છે. સરકારના જણાવ્યા અનુસાર, આ નવી ટેકનોલોજીથી દેશના અંદાજે 813.5 મિલિયન (81.35 કરોડ) રેશનકાર્ડ ધારકોને સીધો ફાયદો થશે અને સરકાર આગામી 5 વર્ષમાં આ પ્રોજેક્ટ પાછળ ₹25,530 કરોડનો ખર્ચ કરશે.

શું છે આ 'સાર્થક PDS' યોજના?

આપણી જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) ને ટેકનોલોજીની મદદથી સ્માર્ટ બનાવવાનું આ એક મોટું પગલું છે. અત્યારે રાશન મળવામાં મોડું થવું, રેકોર્ડમાં ગોટાળા થવા કે પછી રાશનની ચોરી થવી જેવી ઘણી ફરિયાદો સામાન્ય છે. આ નવી સિસ્ટમથી સરકારી ગોડાઉનથી લઈને તમારા ગામ કે વિસ્તારની સસ્તા અનાજની દુકાન સુધી પહોંચતા અનાજ પર જીપીએસ (GPS) અને ઓનલાઈન ટ્રેકિંગથી સીધી નજર રાખવામાં આવશે, જેથી રસ્તામાં માલની કોઈ હેરફેર ન થઈ શકે.

સામાન્ય લોકોને શું ફાયદો થશે?

આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ થશે કે બધું કામ એકદમ પારદર્શક થઈ જશે.

તમને ક્યારે અને કેટલું રાશન મળવાપાત્ર છે તેની સાચી માહિતી સરળતાથી મળી જશે.

રાશનની ચોરી, બારોબાર વેચાણ અને રેકોર્ડની ભૂલો અટકી જશે, જેથી તમારું રાશન પૂરેપૂરું તમારા સુધી જ પહોંચશે.

જો તમને દુકાનદાર સામે કે રાશન બાબતે કોઈ પણ ફરિયાદ હશે, તો ટેકનોલોજીની મદદથી તેનો ઉકેલ પહેલાં કરતા ઘણો જલ્દી આવી જશે.

આ પણ વાંચોઃ હવે રાશનની દુકાનો પર નહીં થાય કોઈ કૌભાંડ! મોદી સરકારે ગરીબો માટે બદલી નાખ્યા આ નિયમો

ખોટા કાર્ડધારકોને પકડવા 'નિર્મલ' સિસ્ટમ

આ યોજનાનો એક બહુ મહત્વનો ભાગ 'નિર્મલ' (Nirmal) છે. આ એક AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) આધારિત સિસ્ટમ હશે. તે સરકારના અલગ-અલગ ડેટાબેઝ સાથે લિંક હશે, જેનાથી એવા લોકો તરત જ પકડાઈ જશે જેઓ ખોટી રીતે કે ડુપ્લિકેટ રેશનકાર્ડ બનાવીને મફત રાશનનો લાભ લઈ રહ્યા છે. આમ બોગસ લાભાર્થીઓ દૂર થવાથી રાશન માત્ર સાચા અને જરૂરિયાતમંદ લોકો સુધી જ પહોંચશે.

આ પણ વાંચોઃ રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: એપ્રિલ મહિનામાં મળશે સળંગ 3 મહિનાનું રાશન, દર મહિને લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટ ખતમ!

Frequently Asked Questions

સાર્થક PDS યોજના શું છે?

સાર્થક PDS એ જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) ને આધુનિક અને ડિજિટલ બનાવવા માટે શરૂ કરાયેલી યોજના છે. તેનો ઉદ્દેશ રાશનની ચોરી અટકાવવાનો અને પારદર્શિતા લાવવાનો છે.

સાર્થક PDS યોજનાથી સામાન્ય લોકોને શું ફાયદા થશે?

આ યોજનાથી રાશન વિતરણમાં પારદર્શિતા આવશે, તમને મળવાપાત્ર રાશનની સાચી માહિતી મળશે અને રાશનની ચોરી અટકશે. ફરિયાદોનો ઉકેલ પણ ઝડપથી આવશે.

નિર્મલ સિસ્ટમનો શું ઉપયોગ છે?

નિર્મલ એ AI આધારિત સિસ્ટમ છે જે ખોટા કે ડુપ્લિકેટ રેશનકાર્ડ બનાવીને લાભ લેનારા લોકોને ઓળખવામાં મદદ કરશે. આનાથી રાશન ફક્ત જરૂરિયાતમંદો સુધી જ પહોંચશે.

સાર્થક PDS યોજનાનો કેટલા લોકોને ફાયદો થશે?

આ યોજનાનો સીધો ફાયદો દેશના અંદાજે 813.5 મિલિયન (81.35 કરોડ) રેશનકાર્ડ ધારકોને થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Today Weather: દિલ્હીથી ઓડિશા સુધી 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 65 કિમીની ઝડપે ફુંકાશે પવન
Today Weather: દિલ્હીથી ઓડિશા સુધી 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 65 કિમીની ઝડપે ફુંકાશે પવન
આજે સંસદમાં રજૂ થશે પેપર લીક અંગેનું સંશોધન બિલ, લાઠીચાર્જ મુદ્દે સરકારની ઘેરાબંધી કરશે વિપક્ષ
આજે સંસદમાં રજૂ થશે પેપર લીક અંગેનું સંશોધન બિલ, લાઠીચાર્જ મુદ્દે સરકારની ઘેરાબંધી કરશે વિપક્ષ
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
આજે સંસદમાં રજૂ થશે પેપર લીક અંગેનું સંશોધન બિલ, લાઠીચાર્જ મુદ્દે સરકારની ઘેરાબંધી કરશે વિપક્ષ
આજે સંસદમાં રજૂ થશે પેપર લીક અંગેનું સંશોધન બિલ, લાઠીચાર્જ મુદ્દે સરકારની ઘેરાબંધી કરશે વિપક્ષ
ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન
ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન
'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોએ હવે નહીં ખાવા પડે પોલિસ સ્ટેશનના ધક્કા, ઘરબેઠા જ નોંધાશે E-Zero FIR
સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોએ હવે નહીં ખાવા પડે પોલિસ સ્ટેશનના ધક્કા, ઘરબેઠા જ નોંધાશે E-Zero FIR
ITR ભરનારા લોકો માટે એલર્ટ! કેવી રીતે ઓળખશો ઈન્કમટેક્સની નોટિસ અસલી છે કે નકલી
ITR ભરનારા લોકો માટે એલર્ટ! કેવી રીતે ઓળખશો ઈન્કમટેક્સની નોટિસ અસલી છે કે નકલી
Embed widget