શોધખોળ કરો

રેશનકાર્ડ ધારકો માટે સરકાર લાવી ડિજિટલ 'સાર્થક PDS' યોજના, જાણો તમને શું ફાયદો થશે

sarthak pds scheme ration card: દેશના 813.5 મિલિયન રેશનકાર્ડ ધારકોને થશે સીધો ફાયદો; રાશનની ચોરી રોકવા અને સમયસર વિતરણ માટે આગામી 5 વર્ષમાં ₹25,530 કરોડ ખર્ચાશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સાર્થક PDS યોજના દ્વારા રાશન વિતરણ વ્યવસ્થા ડિજિટલ બનશે.
  • GPS અને ઓનલાઈન ટ્રેકિંગથી ગોડાઉનથી દુકાન સુધી અનાજ પર નજર રહેશે.
  • AI આધારિત 'નિર્મલ' સિસ્ટમ દ્વારા ખોટા રેશનકાર્ડ ધારકો પકડાશે.
  • ૮૧ કરોડથી વધુ રેશનકાર્ડ ધારકોને પારદર્શક સેવાઓનો લાભ મળશે.

sarthak pds scheme ration card: જો તમારી પાસે રેશનકાર્ડ છે અને તમે સરકારી રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો, તો તમારા માટે એક બહુ જ સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે રાશન વિતરણ વ્યવસ્થાને એકદમ આધુનિક અને ડિજિટલ બનાવવા માટે 'સાર્થક PDS' (Sarthak PDS) નામની નવી યોજના શરૂ કરી છે. આ યોજનાનો મુખ્ય હેતુ રાશનની ચોરી અટકાવવાનો, કામકાજમાં પારદર્શિતા લાવવાનો અને લોકોને સમયસર રાશન પહોંચાડવાનો છે. સરકારના જણાવ્યા અનુસાર, આ નવી ટેકનોલોજીથી દેશના અંદાજે 813.5 મિલિયન (81.35 કરોડ) રેશનકાર્ડ ધારકોને સીધો ફાયદો થશે અને સરકાર આગામી 5 વર્ષમાં આ પ્રોજેક્ટ પાછળ ₹25,530 કરોડનો ખર્ચ કરશે.

શું છે આ 'સાર્થક PDS' યોજના?

આપણી જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) ને ટેકનોલોજીની મદદથી સ્માર્ટ બનાવવાનું આ એક મોટું પગલું છે. અત્યારે રાશન મળવામાં મોડું થવું, રેકોર્ડમાં ગોટાળા થવા કે પછી રાશનની ચોરી થવી જેવી ઘણી ફરિયાદો સામાન્ય છે. આ નવી સિસ્ટમથી સરકારી ગોડાઉનથી લઈને તમારા ગામ કે વિસ્તારની સસ્તા અનાજની દુકાન સુધી પહોંચતા અનાજ પર જીપીએસ (GPS) અને ઓનલાઈન ટ્રેકિંગથી સીધી નજર રાખવામાં આવશે, જેથી રસ્તામાં માલની કોઈ હેરફેર ન થઈ શકે.

સામાન્ય લોકોને શું ફાયદો થશે?

આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ થશે કે બધું કામ એકદમ પારદર્શક થઈ જશે.

તમને ક્યારે અને કેટલું રાશન મળવાપાત્ર છે તેની સાચી માહિતી સરળતાથી મળી જશે.

રાશનની ચોરી, બારોબાર વેચાણ અને રેકોર્ડની ભૂલો અટકી જશે, જેથી તમારું રાશન પૂરેપૂરું તમારા સુધી જ પહોંચશે.

જો તમને દુકાનદાર સામે કે રાશન બાબતે કોઈ પણ ફરિયાદ હશે, તો ટેકનોલોજીની મદદથી તેનો ઉકેલ પહેલાં કરતા ઘણો જલ્દી આવી જશે.

આ પણ વાંચોઃ હવે રાશનની દુકાનો પર નહીં થાય કોઈ કૌભાંડ! મોદી સરકારે ગરીબો માટે બદલી નાખ્યા આ નિયમો

ખોટા કાર્ડધારકોને પકડવા 'નિર્મલ' સિસ્ટમ

આ યોજનાનો એક બહુ મહત્વનો ભાગ 'નિર્મલ' (Nirmal) છે. આ એક AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) આધારિત સિસ્ટમ હશે. તે સરકારના અલગ-અલગ ડેટાબેઝ સાથે લિંક હશે, જેનાથી એવા લોકો તરત જ પકડાઈ જશે જેઓ ખોટી રીતે કે ડુપ્લિકેટ રેશનકાર્ડ બનાવીને મફત રાશનનો લાભ લઈ રહ્યા છે. આમ બોગસ લાભાર્થીઓ દૂર થવાથી રાશન માત્ર સાચા અને જરૂરિયાતમંદ લોકો સુધી જ પહોંચશે.

આ પણ વાંચોઃ રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: એપ્રિલ મહિનામાં મળશે સળંગ 3 મહિનાનું રાશન, દર મહિને લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટ ખતમ!

Frequently Asked Questions

સાર્થક PDS યોજના શું છે?

સાર્થક PDS એ જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) ને આધુનિક અને ડિજિટલ બનાવવા માટે શરૂ કરાયેલી યોજના છે. તેનો ઉદ્દેશ રાશનની ચોરી અટકાવવાનો અને પારદર્શિતા લાવવાનો છે.

સાર્થક PDS યોજનાથી સામાન્ય લોકોને શું ફાયદા થશે?

આ યોજનાથી રાશન વિતરણમાં પારદર્શિતા આવશે, તમને મળવાપાત્ર રાશનની સાચી માહિતી મળશે અને રાશનની ચોરી અટકશે. ફરિયાદોનો ઉકેલ પણ ઝડપથી આવશે.

નિર્મલ સિસ્ટમનો શું ઉપયોગ છે?

નિર્મલ એ AI આધારિત સિસ્ટમ છે જે ખોટા કે ડુપ્લિકેટ રેશનકાર્ડ બનાવીને લાભ લેનારા લોકોને ઓળખવામાં મદદ કરશે. આનાથી રાશન ફક્ત જરૂરિયાતમંદો સુધી જ પહોંચશે.

સાર્થક PDS યોજનાનો કેટલા લોકોને ફાયદો થશે?

આ યોજનાનો સીધો ફાયદો દેશના અંદાજે 813.5 મિલિયન (81.35 કરોડ) રેશનકાર્ડ ધારકોને થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રેશનકાર્ડ ધારકો માટે સરકાર લાવી ડિજિટલ 'સાર્થક PDS' યોજના, જાણો તમને શું ફાયદો થશે
રેશનકાર્ડ ધારકો માટે સરકાર લાવી ડિજિટલ 'સાર્થક PDS' યોજના, જાણો તમને શું ફાયદો થશે
દુનિયા પર એક્સ્ટ્રીમ અલ નીનોનો મોટો ખતરો: 80% શક્યતા, ગરમી અને પૂર મચાવશે ભારે તબાહી
દુનિયા પર એક્સ્ટ્રીમ અલ નીનોનો મોટો ખતરો: 80% શક્યતા, ગરમી અને પૂર મચાવશે ભારે તબાહી
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
'લડેંગે યા મરેંગે', બંગાળ પોલીસની સામે મમતા, અભિષેકને માર મારવાના વિરૂદ્ધમાં મંજૂરી વિના ધરણાં પર બેઠી
'લડેંગે યા મરેંગે', બંગાળ પોલીસની સામે મમતા, અભિષેકને માર મારવાના વિરૂદ્ધમાં મંજૂરી વિના ધરણાં પર બેઠી
Advertisement

વિડિઓઝ

BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન
Gujarat Mini Cyclone : ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકતા 5 લોકોના મોત
Kheda Rain : ખેડામાં પોણા 2 ઇંચ વરસાદ, અંડરપાસમાં ભરાયા પાણી
Dahod Cyclone Effect : દાહોદમાં ત્રાટક્યું વાવાઝોડું, સાઇન બોર્ડ પડતા 3ના મોત
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
Gujarat Weather: રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Weather: રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ભણતર મોંઘું થયું! સ્કૂલો ખુલતા પહેલાં વાલીઓને મોંઘવારીનો ઝટકો, ગાઈડના ભાવ ૨૫ ટકા વધ્યા
ભણતર મોંઘું થયું! સ્કૂલો ખુલતા પહેલાં વાલીઓને મોંઘવારીનો ઝટકો, ગાઈડના ભાવ ૨૫ ટકા વધ્યા
દાહોદમાં મોડીરાત્રે આંધી-વંટોળથી તારાજી, સાઇનબૉર્ડ પડતા 3 લોકોનો મોત, ઠેકઠેકાણે પતરાં ઉડ્યા
દાહોદમાં મોડીરાત્રે આંધી-વંટોળથી તારાજી, સાઇનબૉર્ડ પડતા 3 લોકોનો મોત, ઠેકઠેકાણે પતરાં ઉડ્યા
Gujarat Rain: આજથી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, 50 કિમીની ઝડપે પવનો ફૂંકાવવાનો અંદાજ
Gujarat Rain: આજથી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, 50 કિમીની ઝડપે પવનો ફૂંકાવવાનો અંદાજ
ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી એક્ટિવ, બનાસકાંઠા સહિત આ જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી એક્ટિવ, બનાસકાંઠા સહિત આ જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
Embed widget