હવે રાશનની દુકાનો પર નહીં થાય કોઈ કૌભાંડ! મોદી સરકારે ગરીબો માટે બદલી નાખ્યા આ નિયમો
sarthak pds phase 2 approval: કેબિનેટે માર્ચ 2031 સુધી યોજના લંબાવી; PM મોદી અને અમિત શાહે કહ્યું- આનાથી ગરીબોને 100% લાભ મળશે અને સિસ્ટમ પારદર્શક બનશે.

sarthak pds phase 2 approval: કેન્દ્ર સરકારે દેશની રાશન વિતરણ વ્યવસ્થા (PDS) ને વધુ આધુનિક, હાઇ-ટેક અને પારદર્શક બનાવવા માટે મોટો નિર્ણય લીધો છે. બુધવારે (27 મે, 2026) મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં "સાર્થક-PDS" યોજનાને માર્ચ 2031 સુધી એટલે કે આગામી 5 વર્ષ માટે લંબાવવાની મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ પાછળ 25,530 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ નિર્ણયથી ગરીબોને સમયસર અને પૂરેપૂરું રાશન મળશે, સાથે જ ટેકનોલોજીની મદદથી આખી સિસ્ટમમાં રહેલી ગેરરીતિઓ દૂર થશે.
આખી વ્યવસ્થા વધુ પારદર્શક બનશે: પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા જણાવ્યું કે, "આપણી સરકાર દેશના દરેક જરૂરિયાતમંદ નાગરિકને PDS દ્વારા સમયસર અનાજ પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે." તેમણે ઉમેર્યું કે સાર્થક-PDS ને વધુ આધુનિક અને અસરકારક બનાવીને ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. આનાથી રાશનની ડિલિવરી, પરિવહન અને લોજિસ્ટિક્સ સિસ્ટમ વધુ પારદર્શક અને ઝડપી બનશે. આ ઉપરાંત, લોકોની ફરિયાદોનું નિવારણ પણ જલ્દી થઈ શકશે.
ગરીબો સુધી 100% લાભ પહોંચશે: અમિત શાહ
ગૃહમંત્રી અમિત શાહે આ યોજનાના ફાયદા ગણાવતા કહ્યું કે, મોદી સરકાર ગરીબોની કલ્યાણકારી યોજનાઓને ટેકનોલોજી સાથે જોડીને વધુ પારદર્શક અને સરળ બનાવી રહી છે. સાર્થક-PDS ફેઝ-2 માટે મંજૂર થયેલા 25,530 કરોડ રૂપિયાથી આખી સિસ્ટમ બદલાશે.
નવી ટેકનોલોજીનો ઉપયોગ: આ યોજનામાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) દ્વારા લાભાર્થીઓનું રજિસ્ટર બનશે, અનાજ લઈ જતા વાહનોનું GPS ટ્રેકિંગ થશે અને QR કોડ ટેગિંગ જેવી હાઇ-ટેક સિસ્ટમ લાગુ થશે.
मोदी सरकार गरीब कल्याणकारी योजनाओं को टेक्नोलॉजी से लैस कर अधिक पारदर्शी और सुविधा संपन्न बना रही है। इसी दिशा में आज केंद्रीय कैबिनेट ने SARTHAK-PDS फेज-2 के लिए ₹25,530 करोड़ की मंजूरी दी है।
— Amit Shah (@AmitShah) May 27, 2026
AI-इनेबल्ड लाभार्थी रजिस्ट्री निर्माण, GPS ट्रैकिंग और QR कोड टैगिंग जैसे हाईटेक… pic.twitter.com/hHNKg0wm0j
100% લાભ: આ ટેકનોલોજીથી એ સુનિશ્ચિત થશે કે ગરીબોને સસ્તા અનાજ અને યોજનાઓનો 100% લાભ મળે.
આ પણ વાંચોઃ રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: એપ્રિલ મહિનામાં મળશે સળંગ 3 મહિનાનું રાશન, દર મહિને લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટ ખતમ!
ડીલરો અને રાજ્યોને પણ મળશે આર્થિક મદદ
આ નવી યોજના અંતર્ગત માત્ર લાભાર્થીઓને જ નહીં, પણ સિસ્ટમ ચલાવનારાઓને પણ ફાયદો થશે. વધતા પરિવહન (લોજિસ્ટિક્સ) ખર્ચ અને રાશનની દુકાનના ડીલરોના કમિશન (મહેનતાણા) માં વધારો કરવા માટે રાજ્યોને કેન્દ્ર તરફથી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. કેબિનેટે આંતર-રાજ્ય અનાજના પરિવહન અને વાજબી ભાવની દુકાન (FPS) ચલાવતા વિતરકોના માર્જિન માટેના નિયમોમાં સુધારાને પણ લીલી ઝંડી આપી છે.
તમને જણાવી દઈએ કે, આ નવી SARTHAK-PDS યોજનામાં અગાઉથી ચાલતી બે યોજનાઓને ભેગી કરી દેવામાં આવી છે. જેમાં પહેલી "NFSA હેઠળ રાજ્યોને અનાજના પરિવહન અને ડીલર માર્જિન માટે સહાય" અને બીજી "સ્માર્ટ PDS" યોજનાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ તમારા રાશન કાર્ડ પર કોનું નામ છે અને કેટલું રાશન મળ્યું? હવે એક ક્લિક પર જુઓ બધો જ રેકોર્ડ





















