શોધખોળ કરો

'PM મોદીના હસ્તક્ષેપ વિના વાપસી સંભવ નહોતી', ભારત પરત ફરેલા પૂર્વ નૌસૈનિકોએ 'ભારત માતા કી જય'ના નારા લગાવ્યા

Qatar Indian Navy Veterans: નૌકાદળના પૂર્વ અધિકારીએ પરત ફરતી વખતે કહ્યું કે પીએમ મોદીના હસ્તક્ષેપ વિના અમારા માટે ફરી પાછા આવવું શક્ય નહોતું.

Qatar Indian Navy Veterans:  ભારતને મોટી કૂટનીતિક જીત મળી છે. જાસૂસીના આરોપમાં કતારની જેલમાં બંધ આઠ ભૂતપૂર્વ ભારતીય નૌસૈનિકોને મુક્ત કરવામાં આવ્યા છે. હવે વિદેશ મંત્રાલયે કહ્યું કે તેઓને મુક્ત કરવામાં આવ્યા છે અને આ પૂર્વ નૌસૈનિકોમાંથી સાત ભારત પરત પાછા ફર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે કતારથી પરત ફરી રહેલા પૂર્વ સૈનિકોએ પોતાની જમીન પર પાછા ફરતા જ ભારત માતા કી જયના ​​નારા લગાવ્યા હતા.

PM મોદી વિના મુક્તિ શક્ય નહોતીઃ પૂર્વ નૌસેના અધિકારી

કતારથી ભારત પરત આવેલા નૌકાદળના પૂર્વ અધિકારીએ પરત ફરતી વખતે કહ્યું કે પીએમ મોદીના હસ્તક્ષેપ વિના અમારા માટે ફરી પાછા આવવું શક્ય નહોતું. ભારત સરકારે અમારી મુક્તિ માટે સતત પ્રયાસો કર્યા હતા. કતારથી પરત આવેલા નૌકાદળના એક પૂર્વ સૈનિકનું કહેવું છે કે, અમે ભારત પાછા આવવા માટે લગભગ 18 મહિના સુધી રાહ જોઈ. અમે પીએમના ખૂબ જ આભારી છીએ. તેમના અંગત હસ્તક્ષેપ અને કતાર સાથેના તેમના સમીકરણ વિના આ શક્ય બન્યું ન હોત. અમે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા દરેક પ્રયાસો માટે હૃદયપૂર્વક આભારી છીએ અને તે પ્રયત્નો વિના આ દિવસ શક્ય ન હોત.

વિદેશ મંત્રાલયે ખુશી વ્યક્ત કરી

ભૂતપૂર્વ સૈનિકોની મુક્તિ અંગે માહિતી આપતા વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારત સરકાર કતારમાં અટકાયતમાં આવેલા અલ દહરા ગ્લોબલ કંપની માટે કામ કરતા આઠ ભારતીય નાગરિકોની મુક્તિને આવકારે છે. તે આઠમાંથી સાત લોકો ભારત પરત ફર્યા છે. અમે કતારના અમીર શેખના આ નાગરિકોની મુક્તિ અને ઘરે પરત ફરવાના નિર્ણયની પ્રશંસા કરીએ છીએ. ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ સૈનિકોમાં કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કમાન્ડર સુગુનાકર પકાલા, કમાન્ડર સંજીવ ગુપ્તા, કમાન્ડર અમિત નાગપાલ અને નાવિક રાકેશનો સમાવેશ થાય છે. જેઓ કતારમાં અલ દાહરા ગ્લોબલ ટેક્નોલોજીસ એન્ડ કન્સલ્ટન્સીમાં કામ કરતા હતા, જે સેવાઓ અને સંરક્ષણ સેવાઓ આપતી કંપની છે.

ગયા વર્ષે ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી

નોંધનીય છે કે આ તમામ આઠ ભૂતપૂર્વ ભારતીય સૈનિકોની ઓગસ્ટ 2022માં જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને 26 ઓક્ટોબર, 2023ના રોજ કતારની એક કોર્ટે તમામને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. આ પછી ભારત સરકારે નાગરિકોની મુક્તિ માટે કાયદાકીય વિકલ્પો શોધવાનું શરૂ કર્યું. આ પછી, 1 ડિસેમ્બર, 2023 ના રોજ દુબઈમાં COP28 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ-થાની વચ્ચેની મુલાકાત પછી ભૂતપૂર્વ સૈનિકોની મોતની સજાને આજીવન કેદમાં ફેરવવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યું છે દારૂ, આખરે તેની લત કેવી રીતે લાગે છે?
વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યું છે દારૂ, આખરે તેની લત કેવી રીતે લાગે છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યું છે દારૂ, આખરે તેની લત કેવી રીતે લાગે છે?
વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યું છે દારૂ, આખરે તેની લત કેવી રીતે લાગે છે?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Embed widget