શોધખોળ કરો

પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી

PM Modi Katra Rally: રાહુલ ગાંધી પર નિશાન સાધતા PM મોદીએ કહ્યું કે મોહબ્બતની દુકાનના નામે નફરતનો સામાન વેચવાની તેમની જૂની નીતિ છે. તેમણે નેશનલ કોન્ફરન્સ પર પણ નિશાન સાધ્યું.

PM Modi Katra Rally: જમ્મુ કાશ્મીરમાં 25 સપ્ટેમ્બર 2024ના રોજ યોજાનાર બીજા તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કટરાની રેલીમાં જય કારા શેરોવાલીના જયઘોષથી પોતાનું સંબોધન શરૂ કર્યું. PM મોદીએ અહીં રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમને કોંગ્રેસનો વાયરસ ગણાવ્યા. તેમણે કહ્યું, "કોંગ્રેસ પાર્ટીના વાયરસે વિદેશમાં જઈને શું કહ્યું છે તે તમે બધાએ સાંભળ્યું હશે. તે કહે છે કે આપણા દેવી દેવતાઓ ભગવાન નથી... હિન્દુ ધર્મમાં ગામે ગામમાં દેવતાઓની પરંપરા છે. આપણે ઇષ્ટદેવોને માનનારા લોકો છીએ અને આ કોંગ્રેસવાળા કહે છે કે દેવતા ભગવાન નથી. શું આ આપણા દેવતાઓનું અપમાન નથી?"

રાહુલ ગાંધીના નિવેદનને ગણાવ્યું નક્સલી વિચારધારા

બીજા તબક્કાના મતદાન પહેલા PM મોદીએ કટરામાં કહ્યું કે કોંગ્રેસ તો થોડા મતો માટે આપણી આસ્થા અને આપણી સંસ્કૃતિને ક્યારેય પણ દાવ પર લગાવી શકે છે. PM મોદીએ અમેરિકામાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના નિવેદનનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ પર નિશાન સાધ્યું. PM બોલ્યા, "કોંગ્રેસવાળા આવી વાતો ભૂલચૂકથી નથી બોલતા, પરંતુ આ એક વિચારેલી સમજેલી ચાલ છે. આ નક્સલી વિચારધારા છે અને બીજા દેશોમાંથી આયાત કરેલી વિચારધારા છે."

'મતબેંક સિવાય કંઈ નથી જોતી કોંગ્રેસ'

બીજા તબક્કાના મતદાન પહેલા કટરામાં PM મોદીએ કહ્યું, "કોંગ્રેસ, PDP અને નેશનલ કોન્ફરન્સના જે પરિવારોએ આ વિસ્તારને વર્ષોથી ઘાવ આપ્યા, જખ્મ આપ્યા તેમની રાજકીય વારસાના સૂર્યને તમારે અસ્ત કરવો જ પડશે. આ માટે તમારે કમળના નિશાનને પસંદ કરવું પડશે. આ BJP જ છે, જે તમારા હિતોને પ્રાથમિકતા આપે છે. આ BJP જ છે જેણે તમારી સાથે દાયકાઓથી ચાલી આવતા ભેદભાવને ખતમ કર્યો."

PM મોદીએ કહ્યું, "કોંગ્રેસના નેતાએ ડોગરા વારસા પર આ હુમલો જાણીજોઈને કર્યો છે. આ મોહબ્બતની દુકાનના નામે નફરતનો સામાન વેચવાની તેમની જૂની નીતિ છે. તેમને મતબેંક સિવાય કંઈ દેખાતું નથી. તેઓ ભારતમાં ભ્રષ્ટાચારના જન્મદાતા અને પોષક પણ છે."

આ પણ વાંચોઃ

આર્ટિકલ 370 પર પાકિસ્તાનના રક્ષા મંત્રીના નિવેદન પર ભડક્યા ફારૂક અબ્દુલ્લા, કહ્યું - હું પાકિસ્તાની...

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget