શોધખોળ કરો

Exclusive: MVA ચૂંટણી જીતશે તો સુપ્રિયા સુલે બનશે મુખ્યમંત્રી ? શરદ પવારે આપ્યો ચોંકાવનારો જવાબ 

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોમાં રાજકીય ગરમાવો પણ વધી રહ્યો છે.

Maharashtra Vidhan Sabha Chunav 2024: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોમાં રાજકીય ગરમાવો પણ વધી રહ્યો છે. આ દરમિયાન એનસીપી સપાના વડા શરદ પવારે શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. મહાયુતિ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે તેમને લાગતું હતું કે તેમના ગઠબંધનને લોકસભા ચૂંટણીમાં જંગી બહુમતી મળશે પરંતુ એવું થયું નથી. હવે તેઓ લાડલી બહેન લાવ્યા.  આ બધું તેણે રાજકીય લાભ માટે કર્યું.

તેમણે કહ્યું, "લાડલી બેહન યોજનાનો અર્થ છે એક હાથે આપવું અને બીજા હાથે લેવું. મોંઘવારી વધી છે, જનતા પરેશાન છે, ભલે ગમે તેટલા પૈસા આપે, જનતા પરિવર્તન ઈચ્છે છે. તેથી જ મને લાગે છે કે ચૂંટણીમાં કંઈક બદલાશે. જેઓ આવું કરે છે તેઓ જણાવતા નથી કે છેલ્લા બે વર્ષમાં મહિલાઓ પર અત્યાચારના 63 હજાર કેસ નોંધાયા છે, જે મહારાષ્ટ્રમાં સૌથી વધુ છે.

પીએમ મોદી પર સાધ્યું નિશાન 

પીએમ મોદી દ્વારા આ વખતે તેમના પર ટિપ્પણી ન કરવા પર શરદ પવારે કહ્યું, "મારા માટે આ ચિંતાનો વિષય છે કે પીએમ મોદી આ વખતે મારા પર ટિપ્પણી નથી કરી રહ્યા. છેલ્લી ચૂંટણીમાં જ્યારે મોદીએ આવીને મારી ટીકા કરી હતી, ત્યારે અમારી સીટો વધી છે. એટલે હું  મોદીજીને મહારાષ્ટ્ર આવવાનું આમંત્રણ આપું છું અને મારા વિશે ટિપ્પણી કરે, જેથી અમારી બેઠકો વધી શકે.

"મને લાગે છે કે તેમના એક સલાહકારે તેમને મહારાષ્ટ્રમાં શરદ પવાર વિશે ટિપ્પણી ન કરવાનું કહ્યું હોવું જોઈએ. પરંતુ તેઓ દરરોજ રાહુલ ગાંધી અને અન્ય નેતાઓ પર નવા આરોપો લગાવી રહ્યા છે. જેમ આપણે વડાપ્રધાન પદનું સન્માન કરવું જોઈએ. તેવી જ રીતે, તેમણે વિપક્ષી નેતાના પદનું સન્માન કરવું જોઈએ જ્યારે મોદી આવે છે અને રાહુલ ગાંધીની ટીકા કરે છે.  તે લોકોને પસંદ નથી.

આ બેઠક અદાણીના ઘરે યોજાઈ હતી - શરદ પવાર 

શરદ પવારે  દેવેન્દ્ર ફડણવીસના નિવેદનો અંગે જણાવ્યું હતું કે, "દેવેન્દ્ર ફડણવીસ  કેમ આવું બોલી રહ્યા છે કે મને નથી ખબર, પરંતુ મને સારી રીતે યાદ છે કે અદાણીના ઘરે મીટીંગ યોજાઈ હતી પરંતુ તે મીટીંગમાં અદાણી હાજર ન હતા. જો કે બધા જાણે છે કે બેઠકમાં કોણ- કોણ હતું અને ત્યાં મીટિંગમાં શું થયું તે હું જણાવી ચૂક્યો છે. "

આ સિવાય તેમણે 2014માં ભાજપને સમર્થન આપવા પર  કહ્યું કે, "અમે માંગ્યા વગર સમર્થન નહોતું આપ્યું. શિવસેના બીજેપી સાથે હતી. અમે જોવા માંગતા હતા કે શું શિવસેના બીજેપીથી અલગ થઈ શકે છે? શું અમે તેને અલગ કરી શકીએ છીએ ? તેથી જ મેં તે સમયે રાજકીય નિવેદન આપ્યું હતું. સમર્થન આપી મદદ નહોતી કરી"

શરદ પવારે વધુમાં કહ્યું કે "તે પછી, અમે જે ઇચ્છતા હતા તે ફરીથી થયું. 2019માં સરકાર પડી અને શિવસેના અમારી સાથે આવી અને શિવસેનાના નેતૃત્વમાં અમારી સરકાર બની અને ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા." શરદ પવારે 'બટેંગે તો કટંગે' જેવા બીજેપીના સૂત્ર પર કહ્યું, "લાડલી બેહન યોજના બહુ અસરકારક સાબિત થઈ રહી ન હતી, તેથી તેઓએ 'બટેંગે તો કટંગે' લાવ્યા છે."

શું સુપ્રિયા સુલે બનશે મુખ્યમંત્રી ? 

સુપ્રિયા સુલે મુખ્યમંત્રી બનશે કે નહીં ? આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, "સુપ્રિયા સુલેને સંસદમાં રસ છે. તેઓ દેશના શ્રેષ્ઠ સંસદસભ્યોમાંના એક છે. લોકસભામાં કોઈપણ કાયદા કે બિલ પર ચર્ચા થાય તો સુપ્રિયા સુલે તેમાં ભાગ લેવાનું પસંદ કરે છે. અમે અજીતને MLC બનાવ્યા. એકવાર બે વાર નહીં પરંતુ ચાર વખત ઉપમુખ્યમંત્રી બનાવ્યા પાર્ટીની કમાન સોંપી. સુપ્રિયા આટલા વર્ષોથી સાંસદ તરીકે જ કામ કરી રહી છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં ક્યારેય સામેલ નથી થઈ તો એ કહેવુ ખોટુ છે કે સુપ્રિયાને મુખ્યમંત્રી બનાવવાની મારી ઈચ્છા હતી કે છે."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

14 રાજ્યોમાં NEET પેપર લીક કૌભાંડ: CBIની તપાસ શરૂ, જાણો 10 મુદ્દામાં આખો ઘટનાક્રમ
14 રાજ્યોમાં NEET પેપર લીક કૌભાંડ: CBIની તપાસ શરૂ, જાણો 10 મુદ્દામાં આખો ઘટનાક્રમ
આવતીકાલનું હવામાનઃ દેશના 15 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને તોફાનની IMDની આગાહી, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ દેશના 15 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને તોફાનની IMDની આગાહી, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
દેશમાં ચોમાસું સમય કરતા વહેલું આવશે, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં 7 દિવસમાં જ આ જગ્યાએ એન્ટ્રીની શક્યતા
દેશમાં ચોમાસું સમય કરતા વહેલું આવશે, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં 7 દિવસમાં જ આ જગ્યાએ એન્ટ્રીની શક્યતા
NEET Paper Leak: સુપર-30 વાળા આનંદકુમારનું મોટું નિવેદન, 'વિદ્યાર્થીઓનો વિશ્વાસ શિક્ષણ-વ્યવસ્થા પર...'
NEET Paper Leak: સુપર-30 વાળા આનંદકુમારનું મોટું નિવેદન, 'વિદ્યાર્થીઓનો વિશ્વાસ શિક્ષણ-વ્યવસ્થા પર...'

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 15 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને તોફાનની IMDની આગાહી, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ દેશના 15 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને તોફાનની IMDની આગાહી, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
14 રાજ્યોમાં NEET પેપર લીક કૌભાંડ: CBIની તપાસ શરૂ, જાણો 10 મુદ્દામાં આખો ઘટનાક્રમ
14 રાજ્યોમાં NEET પેપર લીક કૌભાંડ: CBIની તપાસ શરૂ, જાણો 10 મુદ્દામાં આખો ઘટનાક્રમ
મોંઘવારી સાતમા આસમાને: છૂટક ફુગાવો 15 મહિનાની ટોચે 3.48% પર પહોંચતા સામાન્ય ઘરનું બજેટ ખોરવાયું
મોંઘવારી સાતમા આસમાને: છૂટક ફુગાવો 15 મહિનાની ટોચે 3.48% પર પહોંચતા સામાન્ય ઘરનું બજેટ ખોરવાયું
આ સરકારી બાબુઓની જશે નોકરી, ગુજરાત સરકારે વિભાગો પાસે લિસ્ટ મંગાવ્યું, વર્ગ 1 થી 4 ના તમામ કર્મચારીઓ રડારમાં!
આ સરકારી બાબુઓની જશે નોકરી, ગુજરાત સરકારે વિભાગો પાસે લિસ્ટ મંગાવ્યું, વર્ગ 1 થી 4 ના તમામ કર્મચારીઓ રડારમાં!
ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?
ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
Embed widget