શોધખોળ કરો

Exclusive: MVA ચૂંટણી જીતશે તો સુપ્રિયા સુલે બનશે મુખ્યમંત્રી ? શરદ પવારે આપ્યો ચોંકાવનારો જવાબ 

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોમાં રાજકીય ગરમાવો પણ વધી રહ્યો છે.

Maharashtra Vidhan Sabha Chunav 2024: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોમાં રાજકીય ગરમાવો પણ વધી રહ્યો છે. આ દરમિયાન એનસીપી સપાના વડા શરદ પવારે શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. મહાયુતિ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે તેમને લાગતું હતું કે તેમના ગઠબંધનને લોકસભા ચૂંટણીમાં જંગી બહુમતી મળશે પરંતુ એવું થયું નથી. હવે તેઓ લાડલી બહેન લાવ્યા.  આ બધું તેણે રાજકીય લાભ માટે કર્યું.

તેમણે કહ્યું, "લાડલી બેહન યોજનાનો અર્થ છે એક હાથે આપવું અને બીજા હાથે લેવું. મોંઘવારી વધી છે, જનતા પરેશાન છે, ભલે ગમે તેટલા પૈસા આપે, જનતા પરિવર્તન ઈચ્છે છે. તેથી જ મને લાગે છે કે ચૂંટણીમાં કંઈક બદલાશે. જેઓ આવું કરે છે તેઓ જણાવતા નથી કે છેલ્લા બે વર્ષમાં મહિલાઓ પર અત્યાચારના 63 હજાર કેસ નોંધાયા છે, જે મહારાષ્ટ્રમાં સૌથી વધુ છે.

પીએમ મોદી પર સાધ્યું નિશાન 

પીએમ મોદી દ્વારા આ વખતે તેમના પર ટિપ્પણી ન કરવા પર શરદ પવારે કહ્યું, "મારા માટે આ ચિંતાનો વિષય છે કે પીએમ મોદી આ વખતે મારા પર ટિપ્પણી નથી કરી રહ્યા. છેલ્લી ચૂંટણીમાં જ્યારે મોદીએ આવીને મારી ટીકા કરી હતી, ત્યારે અમારી સીટો વધી છે. એટલે હું  મોદીજીને મહારાષ્ટ્ર આવવાનું આમંત્રણ આપું છું અને મારા વિશે ટિપ્પણી કરે, જેથી અમારી બેઠકો વધી શકે.

"મને લાગે છે કે તેમના એક સલાહકારે તેમને મહારાષ્ટ્રમાં શરદ પવાર વિશે ટિપ્પણી ન કરવાનું કહ્યું હોવું જોઈએ. પરંતુ તેઓ દરરોજ રાહુલ ગાંધી અને અન્ય નેતાઓ પર નવા આરોપો લગાવી રહ્યા છે. જેમ આપણે વડાપ્રધાન પદનું સન્માન કરવું જોઈએ. તેવી જ રીતે, તેમણે વિપક્ષી નેતાના પદનું સન્માન કરવું જોઈએ જ્યારે મોદી આવે છે અને રાહુલ ગાંધીની ટીકા કરે છે.  તે લોકોને પસંદ નથી.

આ બેઠક અદાણીના ઘરે યોજાઈ હતી - શરદ પવાર 

શરદ પવારે  દેવેન્દ્ર ફડણવીસના નિવેદનો અંગે જણાવ્યું હતું કે, "દેવેન્દ્ર ફડણવીસ  કેમ આવું બોલી રહ્યા છે કે મને નથી ખબર, પરંતુ મને સારી રીતે યાદ છે કે અદાણીના ઘરે મીટીંગ યોજાઈ હતી પરંતુ તે મીટીંગમાં અદાણી હાજર ન હતા. જો કે બધા જાણે છે કે બેઠકમાં કોણ- કોણ હતું અને ત્યાં મીટિંગમાં શું થયું તે હું જણાવી ચૂક્યો છે. "

આ સિવાય તેમણે 2014માં ભાજપને સમર્થન આપવા પર  કહ્યું કે, "અમે માંગ્યા વગર સમર્થન નહોતું આપ્યું. શિવસેના બીજેપી સાથે હતી. અમે જોવા માંગતા હતા કે શું શિવસેના બીજેપીથી અલગ થઈ શકે છે? શું અમે તેને અલગ કરી શકીએ છીએ ? તેથી જ મેં તે સમયે રાજકીય નિવેદન આપ્યું હતું. સમર્થન આપી મદદ નહોતી કરી"

શરદ પવારે વધુમાં કહ્યું કે "તે પછી, અમે જે ઇચ્છતા હતા તે ફરીથી થયું. 2019માં સરકાર પડી અને શિવસેના અમારી સાથે આવી અને શિવસેનાના નેતૃત્વમાં અમારી સરકાર બની અને ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા." શરદ પવારે 'બટેંગે તો કટંગે' જેવા બીજેપીના સૂત્ર પર કહ્યું, "લાડલી બેહન યોજના બહુ અસરકારક સાબિત થઈ રહી ન હતી, તેથી તેઓએ 'બટેંગે તો કટંગે' લાવ્યા છે."

શું સુપ્રિયા સુલે બનશે મુખ્યમંત્રી ? 

સુપ્રિયા સુલે મુખ્યમંત્રી બનશે કે નહીં ? આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, "સુપ્રિયા સુલેને સંસદમાં રસ છે. તેઓ દેશના શ્રેષ્ઠ સંસદસભ્યોમાંના એક છે. લોકસભામાં કોઈપણ કાયદા કે બિલ પર ચર્ચા થાય તો સુપ્રિયા સુલે તેમાં ભાગ લેવાનું પસંદ કરે છે. અમે અજીતને MLC બનાવ્યા. એકવાર બે વાર નહીં પરંતુ ચાર વખત ઉપમુખ્યમંત્રી બનાવ્યા પાર્ટીની કમાન સોંપી. સુપ્રિયા આટલા વર્ષોથી સાંસદ તરીકે જ કામ કરી રહી છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં ક્યારેય સામેલ નથી થઈ તો એ કહેવુ ખોટુ છે કે સુપ્રિયાને મુખ્યમંત્રી બનાવવાની મારી ઈચ્છા હતી કે છે."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટૂથપેસ્ટ, ખાંડથી લઈને દવાઓ સુધી: જાણો કઈ કઈ રોજિંદી વસ્તુઓમાં છુપાયેલા છે માંસાહારી ઘટકો
ટૂથપેસ્ટ, ખાંડથી લઈને દવાઓ સુધી: જાણો કઈ કઈ રોજિંદી વસ્તુઓમાં છુપાયેલા છે માંસાહારી ઘટકો
Solar Panel લગાવ્યા પછી પણ વીજળીનું બિલ કેમ આવે છે વધારે? જાણી લો આ 4 મોટા કારણો
Solar Panel લગાવ્યા પછી પણ વીજળીનું બિલ કેમ આવે છે વધારે? જાણી લો આ 4 મોટા કારણો
Ayodhya: અમિતાભ ઠાકુર બનશે રામ મંદિર ટ્રસ્ટના CEO? અરજીમાં કહ્યું- 'હું હિન્દુ છું, રામના આદર્શોમાં છે વિશ્વાસ'
Ayodhya: અમિતાભ ઠાકુર બનશે રામ મંદિર ટ્રસ્ટના CEO? અરજીમાં કહ્યું- 'હું હિન્દુ છું, રામના આદર્શોમાં છે વિશ્વાસ'
Exclusive: 'સામાન્ય કારમાલિક ખુદ નથી ચકાસી શકતા યોગ્ય માઇલેજ', E20 પેટ્રોલ વિવાદ પર બોલ્યા ગડકરી
Exclusive: 'સામાન્ય કારમાલિક ખુદ નથી ચકાસી શકતા યોગ્ય માઇલેજ', E20 પેટ્રોલ વિવાદ પર બોલ્યા ગડકરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Embed widget