શોધખોળ કરો

મમતા બેનર્જીના સમર્થનમાં આવ્યા દિગ્ગજ નેતા, BJPને લીધી આડેહાથ

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે મંગળવારે કેન્દ્રીય તપાસ એજન્સીઓના કથિત દુરુપયોગના મુદ્દે ભાજપ સામેની લડાઈમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની અપીલને સમર્થન આપ્યું હતું.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે મંગળવારે કેન્દ્રીય તપાસ એજન્સીઓના કથિત દુરુપયોગના મુદ્દે ભાજપ સામેની લડાઈમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની અપીલને સમર્થન આપ્યું હતું. તેમણે રાજકીય બદલો માટે CBI, ED જેવી કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરવાનો મુદ્દો સંસદમાં ઉઠાવવાની વાત કરી.

સીએમ મમતા બેનર્જીએ કેન્દ્રીય તપાસ એજન્સીઓના કથિત ઉપયોગને લઈને તમામ બિન-ભાજપ મુખ્યમંત્રીઓ અને વિપક્ષી નેતાઓને પત્ર લખ્યો છે. આ અંગે પૂછવામાં આવેલા એક પ્રશ્ન પર શરદ પવારે કહ્યું કે, અમે આવતીકાલે સંસદમાં આ મામલો ઉઠાવીશું. અમે જોઈશું કે આ મામલે અમે સાથે મળીને શું કરી શકીએ.

આ અગાઉ એનસીપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં શરદ પવારે ભાજપ પર રાજકીય બદલો લેવા માટે કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા વિપક્ષી નેતાઓને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો હતો. પોતાની પાર્ટીના નેતાઓ નવાબ મલિક અને અનિલ દેશમુખ પર કરવામાં આવેલી કાર્યવાહી અંગે તેમણે કહ્યું કે, જે લોકો આજે સત્તામાં છે તેઓને લાગે છે કે જેઓ તેમની વિચારધારાના નથી તેઓ તેમના દુશ્મન છે. CBI અને EDના દરોડા સામાન્ય બની ગયા છે અને તેનો ઉપયોગ રાજકીય પ્રતિશોધ માટે રાજકીય વિરોધીઓને હેરાન કરવા માટે કરવામાં આવી રહ્યો છે.

શરદ પવારે કહ્યું, એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાના દરેક નેતા વિરુદ્ધ કંઈકને કંઈક ચાલી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મગજમાં એક જ વાત છે. લોકોની ઈચ્છા ગમે તે હોય, તેઓ કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભાજપનું શાસન ઈચ્છે છે. 

મહારાષ્ટ્ર સરકારના મંત્રી આદિત્ય ઠાકરેના કાફલાની કારને નડ્યો અકસ્માત

મહારાષ્ટ્રના પ્રવાસન મંત્રી આદિત્ય ઠાકરેના કાફલાની કારને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં આદિત્ય ઠાકરે સુરક્ષિત છે. પરંતુ તેમના કાફલામાં સુરક્ષાકર્મીઓનો અકસ્માત થયો છે. આદિત્ય ઠાકરે કોંકણના પ્રવાસે છે. કહેવામાં આવી રહ્યું છે કે અચાનક બ્રેક મારવાના કારણે પાછળની કાર અને આગળની કાર અથડાઈ હતી.

શિવસેનાના ગઢ પર ભાજપ,એનસીપીની નજર

આદિત્ય ઠાકરે કોંકણની ત્રણ દિવસની મુલાકાતે છે. તેઓ બુધવારે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના ગૃહ રાજ્ય માલવાનમાં રેલીને સંબોધિત કરશે. સોમવારે, ઠાકરેએ સિંધુદુર્ગ જિલ્લામાંથી કોંકણ જિલ્લાના તેમના ત્રણ દિવસીય પ્રવાસની શરૂઆત કરી. આ પ્રવાસથી શિવસેના તેમના ગઢ કોંકણને વધુ શક્તિશાળી બનાવવા માંગે છે. શિવસેનાના આ ગઢ પર ભાજપ અને એનસીપીની નજર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
Embed widget