![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મમતા બેનર્જીના સમર્થનમાં આવ્યા દિગ્ગજ નેતા, BJPને લીધી આડેહાથ
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે મંગળવારે કેન્દ્રીય તપાસ એજન્સીઓના કથિત દુરુપયોગના મુદ્દે ભાજપ સામેની લડાઈમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની અપીલને સમર્થન આપ્યું હતું.
![મમતા બેનર્જીના સમર્થનમાં આવ્યા દિગ્ગજ નેતા, BJPને લીધી આડેહાથ Sharad Pawar issued a statement on the issue of alleged misuse of Central Investigation Agencies મમતા બેનર્જીના સમર્થનમાં આવ્યા દિગ્ગજ નેતા, BJPને લીધી આડેહાથ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/29/4b8c6c9b5009433255dc34c41b9a48da_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે મંગળવારે કેન્દ્રીય તપાસ એજન્સીઓના કથિત દુરુપયોગના મુદ્દે ભાજપ સામેની લડાઈમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની અપીલને સમર્થન આપ્યું હતું. તેમણે રાજકીય બદલો માટે CBI, ED જેવી કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરવાનો મુદ્દો સંસદમાં ઉઠાવવાની વાત કરી.
સીએમ મમતા બેનર્જીએ કેન્દ્રીય તપાસ એજન્સીઓના કથિત ઉપયોગને લઈને તમામ બિન-ભાજપ મુખ્યમંત્રીઓ અને વિપક્ષી નેતાઓને પત્ર લખ્યો છે. આ અંગે પૂછવામાં આવેલા એક પ્રશ્ન પર શરદ પવારે કહ્યું કે, અમે આવતીકાલે સંસદમાં આ મામલો ઉઠાવીશું. અમે જોઈશું કે આ મામલે અમે સાથે મળીને શું કરી શકીએ.
આ અગાઉ એનસીપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં શરદ પવારે ભાજપ પર રાજકીય બદલો લેવા માટે કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા વિપક્ષી નેતાઓને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો હતો. પોતાની પાર્ટીના નેતાઓ નવાબ મલિક અને અનિલ દેશમુખ પર કરવામાં આવેલી કાર્યવાહી અંગે તેમણે કહ્યું કે, જે લોકો આજે સત્તામાં છે તેઓને લાગે છે કે જેઓ તેમની વિચારધારાના નથી તેઓ તેમના દુશ્મન છે. CBI અને EDના દરોડા સામાન્ય બની ગયા છે અને તેનો ઉપયોગ રાજકીય પ્રતિશોધ માટે રાજકીય વિરોધીઓને હેરાન કરવા માટે કરવામાં આવી રહ્યો છે.
શરદ પવારે કહ્યું, એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાના દરેક નેતા વિરુદ્ધ કંઈકને કંઈક ચાલી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મગજમાં એક જ વાત છે. લોકોની ઈચ્છા ગમે તે હોય, તેઓ કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભાજપનું શાસન ઈચ્છે છે.
મહારાષ્ટ્ર સરકારના મંત્રી આદિત્ય ઠાકરેના કાફલાની કારને નડ્યો અકસ્માત
મહારાષ્ટ્રના પ્રવાસન મંત્રી આદિત્ય ઠાકરેના કાફલાની કારને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં આદિત્ય ઠાકરે સુરક્ષિત છે. પરંતુ તેમના કાફલામાં સુરક્ષાકર્મીઓનો અકસ્માત થયો છે. આદિત્ય ઠાકરે કોંકણના પ્રવાસે છે. કહેવામાં આવી રહ્યું છે કે અચાનક બ્રેક મારવાના કારણે પાછળની કાર અને આગળની કાર અથડાઈ હતી.
શિવસેનાના ગઢ પર ભાજપ,એનસીપીની નજર
આદિત્ય ઠાકરે કોંકણની ત્રણ દિવસની મુલાકાતે છે. તેઓ બુધવારે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના ગૃહ રાજ્ય માલવાનમાં રેલીને સંબોધિત કરશે. સોમવારે, ઠાકરેએ સિંધુદુર્ગ જિલ્લામાંથી કોંકણ જિલ્લાના તેમના ત્રણ દિવસીય પ્રવાસની શરૂઆત કરી. આ પ્રવાસથી શિવસેના તેમના ગઢ કોંકણને વધુ શક્તિશાળી બનાવવા માંગે છે. શિવસેનાના આ ગઢ પર ભાજપ અને એનસીપીની નજર છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)