શોધખોળ કરો

મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'

Sharad Pawar News: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ એવી અટકળો શરૂ થઈ હતી કે શું હવે શરદ પવાર રાજકારણમાંથી નિવૃત્તિ લેશે કે નહીં. હવે આ અંગે શરદ પવારે પોતે સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે.

Maharashtra Assembly Election Results 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં એનસીપી શરદ પવારનું ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન જોવા મળ્યું. પાર્ટીના મુખ્યની ઉંમર જોતાં એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે તેઓ હવે રાજકારણમાંથી નિવૃત્ત થઈ જશે. પરંતુ હવે આ અંગે તેમણે પોતે જવાબ આપ્યો છે.

મહારાષ્ટ્રના કરાડમાં શરદ પવારે કહ્યું, "હું અને મારા સહકર્મીઓ નક્કી કરીશું કે મારે નિવૃત્ત થવું જોઈએ કે નહીં. બીજાઓ શા માટે કહી રહ્યા છે." તેમણે એ પણ કહ્યું કે લાડલી બહેન યોજના દ્વારા મહિલાઓને કેટલીક રકમ આપવામાં આવી, અમે અભિયાન ચલાવ્યું કે જો અમે સત્તામાં નહીં રહીએ તો આ પૈસા બંધ થઈ જશે, કદાચ એટલે જ મહિલાઓએ મહાયુતિને મત આપ્યો.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીને લાગેલા ઝટકા અંગે શરદ પવારે કહ્યું કે પરિણામો અપેક્ષા મુજબ નથી આવ્યા. કારણોનો અભ્યાસ કરીશું અને લોકો પાસે જઈશું.

આ ઉપરાંત શરદ પવારે બારામતીથી પૌત્ર યુગેન્દ્ર પવારને ચૂંટણી લડાવવા અંગે પણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે અજિત પવારની સામે યુગેન્દ્ર પવારને ટિકિટ આપવી એ ખોટો નિર્ણય નહોતો. કોઈને તો ચૂંટણી લડવી જ હતી.

જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શરદ પવારની પાર્ટીએ ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. એનસીપી શરદચંદ્ર પવારને આ ચૂંટણીમાં માત્ર 10 જ બેઠકો મળી. આ પછીથી જ સવાલો ઉઠવા શરૂ થઈ ગયા હતા.

વાસ્તવમાં, શરદ પવારની ઉંમર હાલ 84 વર્ષની છે અને તેમની પાર્ટી વિધાનસભામાં ખૂબ ઓછી બેઠકો લઈને આવી. આ બંને વાતોને ધ્યાનમાં રાખીને રાજકીય વર્તુળોમાં એવી અટકળો તેજ થઈ ગઈ હતી કે શરદ પવાર હવે રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લેશે. પરંતુ હવે તેમણે તેમના વિરોધીઓ પર કડક પ્રહાર કરતા કહ્યું કે આનો નિર્ણય હું લઈશ.

મહારાષ્ટ્ર ચૂંટણી અંગે કર્ણાટકના મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા જી પરમેશ્વરે MVAની હારનું ઠીકરું શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે પર ઢોળ્યો છે. તેમણે રવિવારે (24 નવેમ્બર, 2024) કહ્યું કે મહા વિકાસ અઘાડીમાં શરદ પવારની NCP અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઓમાં યોજના મુજબ પ્રચાર કર્યો નહીં.

જી પરમેશ્વરે કહ્યું, "લાડલી બહેન યોજના તેમના (મહાયુતી) માટે ખૂબ પ્રભાવશાળી રહી. તેમણે (મહાયુતી) છેલ્લા છ મહિનાથી આ આપવાનું શરૂ કર્યું. આ બધું તેમના હાથમાં છે. અમે છેલ્લે ટિકિટની જાહેરાત કરી અને પાર્ટીમાં કન્ફ્યુઝન પેદા થઈ ગયું. શરદ પવારની NCP અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના વચ્ચે તાલમેલ યોગ્ય નહોતો. તેમણે યોજના મુજબ પ્રચાર જ કર્યો નહીં અને વિદર્ભે અમને વધુ બેઠકો આપી નહીં."

આ પણ વાંચોઃ

પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Embed widget