શોધખોળ કરો

મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'

Sharad Pawar News: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ એવી અટકળો શરૂ થઈ હતી કે શું હવે શરદ પવાર રાજકારણમાંથી નિવૃત્તિ લેશે કે નહીં. હવે આ અંગે શરદ પવારે પોતે સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે.

Maharashtra Assembly Election Results 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં એનસીપી શરદ પવારનું ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન જોવા મળ્યું. પાર્ટીના મુખ્યની ઉંમર જોતાં એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે તેઓ હવે રાજકારણમાંથી નિવૃત્ત થઈ જશે. પરંતુ હવે આ અંગે તેમણે પોતે જવાબ આપ્યો છે.

મહારાષ્ટ્રના કરાડમાં શરદ પવારે કહ્યું, "હું અને મારા સહકર્મીઓ નક્કી કરીશું કે મારે નિવૃત્ત થવું જોઈએ કે નહીં. બીજાઓ શા માટે કહી રહ્યા છે." તેમણે એ પણ કહ્યું કે લાડલી બહેન યોજના દ્વારા મહિલાઓને કેટલીક રકમ આપવામાં આવી, અમે અભિયાન ચલાવ્યું કે જો અમે સત્તામાં નહીં રહીએ તો આ પૈસા બંધ થઈ જશે, કદાચ એટલે જ મહિલાઓએ મહાયુતિને મત આપ્યો.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીને લાગેલા ઝટકા અંગે શરદ પવારે કહ્યું કે પરિણામો અપેક્ષા મુજબ નથી આવ્યા. કારણોનો અભ્યાસ કરીશું અને લોકો પાસે જઈશું.

આ ઉપરાંત શરદ પવારે બારામતીથી પૌત્ર યુગેન્દ્ર પવારને ચૂંટણી લડાવવા અંગે પણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે અજિત પવારની સામે યુગેન્દ્ર પવારને ટિકિટ આપવી એ ખોટો નિર્ણય નહોતો. કોઈને તો ચૂંટણી લડવી જ હતી.

જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શરદ પવારની પાર્ટીએ ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. એનસીપી શરદચંદ્ર પવારને આ ચૂંટણીમાં માત્ર 10 જ બેઠકો મળી. આ પછીથી જ સવાલો ઉઠવા શરૂ થઈ ગયા હતા.

વાસ્તવમાં, શરદ પવારની ઉંમર હાલ 84 વર્ષની છે અને તેમની પાર્ટી વિધાનસભામાં ખૂબ ઓછી બેઠકો લઈને આવી. આ બંને વાતોને ધ્યાનમાં રાખીને રાજકીય વર્તુળોમાં એવી અટકળો તેજ થઈ ગઈ હતી કે શરદ પવાર હવે રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લેશે. પરંતુ હવે તેમણે તેમના વિરોધીઓ પર કડક પ્રહાર કરતા કહ્યું કે આનો નિર્ણય હું લઈશ.

મહારાષ્ટ્ર ચૂંટણી અંગે કર્ણાટકના મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા જી પરમેશ્વરે MVAની હારનું ઠીકરું શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે પર ઢોળ્યો છે. તેમણે રવિવારે (24 નવેમ્બર, 2024) કહ્યું કે મહા વિકાસ અઘાડીમાં શરદ પવારની NCP અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઓમાં યોજના મુજબ પ્રચાર કર્યો નહીં.

જી પરમેશ્વરે કહ્યું, "લાડલી બહેન યોજના તેમના (મહાયુતી) માટે ખૂબ પ્રભાવશાળી રહી. તેમણે (મહાયુતી) છેલ્લા છ મહિનાથી આ આપવાનું શરૂ કર્યું. આ બધું તેમના હાથમાં છે. અમે છેલ્લે ટિકિટની જાહેરાત કરી અને પાર્ટીમાં કન્ફ્યુઝન પેદા થઈ ગયું. શરદ પવારની NCP અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના વચ્ચે તાલમેલ યોગ્ય નહોતો. તેમણે યોજના મુજબ પ્રચાર જ કર્યો નહીં અને વિદર્ભે અમને વધુ બેઠકો આપી નહીં."

આ પણ વાંચોઃ

પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
બંગાળની ખાડીમાં જ કેમ આવે છે સૌથી વધુ ચક્રવાત? કયા કયા દેશનું હવામાન બદલી દે છે આ મહાસાગર?
બંગાળની ખાડીમાં જ કેમ આવે છે સૌથી વધુ ચક્રવાત? કયા કયા દેશનું હવામાન બદલી દે છે આ મહાસાગર?
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
પત્ની સાથે મળી પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને મળશે ₹9,250; જાણો વિગતો
પત્ની સાથે મળી પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને મળશે ₹9,250; જાણો વિગતો
Maruti Dzire એ તોડ્યા વેચાણના તમામ રેકોર્ડ, બની દેશની સૌથી વધુ વેચાતી કાર, જુઓ સેલ્સ રિપોર્ટ
Maruti Dzire એ તોડ્યા વેચાણના તમામ રેકોર્ડ, બની દેશની સૌથી વધુ વેચાતી કાર, જુઓ સેલ્સ રિપોર્ટ
Embed widget