શોધખોળ કરો

મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'

Sharad Pawar News: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ એવી અટકળો શરૂ થઈ હતી કે શું હવે શરદ પવાર રાજકારણમાંથી નિવૃત્તિ લેશે કે નહીં. હવે આ અંગે શરદ પવારે પોતે સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે.

Maharashtra Assembly Election Results 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં એનસીપી શરદ પવારનું ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન જોવા મળ્યું. પાર્ટીના મુખ્યની ઉંમર જોતાં એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે તેઓ હવે રાજકારણમાંથી નિવૃત્ત થઈ જશે. પરંતુ હવે આ અંગે તેમણે પોતે જવાબ આપ્યો છે.

મહારાષ્ટ્રના કરાડમાં શરદ પવારે કહ્યું, "હું અને મારા સહકર્મીઓ નક્કી કરીશું કે મારે નિવૃત્ત થવું જોઈએ કે નહીં. બીજાઓ શા માટે કહી રહ્યા છે." તેમણે એ પણ કહ્યું કે લાડલી બહેન યોજના દ્વારા મહિલાઓને કેટલીક રકમ આપવામાં આવી, અમે અભિયાન ચલાવ્યું કે જો અમે સત્તામાં નહીં રહીએ તો આ પૈસા બંધ થઈ જશે, કદાચ એટલે જ મહિલાઓએ મહાયુતિને મત આપ્યો.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીને લાગેલા ઝટકા અંગે શરદ પવારે કહ્યું કે પરિણામો અપેક્ષા મુજબ નથી આવ્યા. કારણોનો અભ્યાસ કરીશું અને લોકો પાસે જઈશું.

આ ઉપરાંત શરદ પવારે બારામતીથી પૌત્ર યુગેન્દ્ર પવારને ચૂંટણી લડાવવા અંગે પણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે અજિત પવારની સામે યુગેન્દ્ર પવારને ટિકિટ આપવી એ ખોટો નિર્ણય નહોતો. કોઈને તો ચૂંટણી લડવી જ હતી.

જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શરદ પવારની પાર્ટીએ ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. એનસીપી શરદચંદ્ર પવારને આ ચૂંટણીમાં માત્ર 10 જ બેઠકો મળી. આ પછીથી જ સવાલો ઉઠવા શરૂ થઈ ગયા હતા.

વાસ્તવમાં, શરદ પવારની ઉંમર હાલ 84 વર્ષની છે અને તેમની પાર્ટી વિધાનસભામાં ખૂબ ઓછી બેઠકો લઈને આવી. આ બંને વાતોને ધ્યાનમાં રાખીને રાજકીય વર્તુળોમાં એવી અટકળો તેજ થઈ ગઈ હતી કે શરદ પવાર હવે રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લેશે. પરંતુ હવે તેમણે તેમના વિરોધીઓ પર કડક પ્રહાર કરતા કહ્યું કે આનો નિર્ણય હું લઈશ.

મહારાષ્ટ્ર ચૂંટણી અંગે કર્ણાટકના મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા જી પરમેશ્વરે MVAની હારનું ઠીકરું શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે પર ઢોળ્યો છે. તેમણે રવિવારે (24 નવેમ્બર, 2024) કહ્યું કે મહા વિકાસ અઘાડીમાં શરદ પવારની NCP અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઓમાં યોજના મુજબ પ્રચાર કર્યો નહીં.

જી પરમેશ્વરે કહ્યું, "લાડલી બહેન યોજના તેમના (મહાયુતી) માટે ખૂબ પ્રભાવશાળી રહી. તેમણે (મહાયુતી) છેલ્લા છ મહિનાથી આ આપવાનું શરૂ કર્યું. આ બધું તેમના હાથમાં છે. અમે છેલ્લે ટિકિટની જાહેરાત કરી અને પાર્ટીમાં કન્ફ્યુઝન પેદા થઈ ગયું. શરદ પવારની NCP અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના વચ્ચે તાલમેલ યોગ્ય નહોતો. તેમણે યોજના મુજબ પ્રચાર જ કર્યો નહીં અને વિદર્ભે અમને વધુ બેઠકો આપી નહીં."

આ પણ વાંચોઃ

પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જૂથ સામેલ થશે કે નહીં? જાણો શું છે મોટું અપડેટ?
ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જૂથ સામેલ થશે કે નહીં? જાણો શું છે મોટું અપડેટ?
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
દિલ્હી બેઠક પહેલા સંજય સિંહનો મોટો ધડાકો, ‘આપ હવે ઇન્ડિયા (INDIA) ગઠબંધનનો ભાગ નથી’
દિલ્હી બેઠક પહેલા સંજય સિંહનો મોટો ધડાકો, ‘આપ હવે ઇન્ડિયા (INDIA) ગઠબંધનનો ભાગ નથી’
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 11 રાજ્યોમાં તોફાની વરસાદ અને વીજળીનું એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 11 રાજ્યોમાં તોફાની વરસાદ અને વીજળીનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
Embed widget