શોધખોળ કરો

અમશીપોરા એન્કાઉન્ટર: સેનાએ પોતાના અધિકારીઓ અને સૈનિકોને દોષિત માન્યા, કાર્યવાહીના આપ્યા આદેશ

આ કાર્યવાહીના આદેશ ત્યારે આપવામાં આવ્યા જ્યારે આર્મી ચીફ જનરલ એમએમ નરવણે બે દિવસ કાશ્મીર પ્રવાસ પર હતા.

કાશ્મીરઃ દક્ષિણી કાશ્મીરના અમશીપોરા એન્કાઉન્ટર મામલામાં સૈન્યએ પોતાની જ રાષ્ટ્રીય રાઇફલ્સની એક યુનિટના અધિકારીઓ અને સૈનિકોને પ્રાથમિક દ્રષ્ટીએ દોષિત માનતા તેમના વિરુદ્ધ કાર્યવાહીના આદેશ આપ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ અધિકારીઓ અને સૈનિકોએ આર્મ્ડ ફોર્સ સ્પેશ્યલ પાવર એક્ટ એટલે કે આફસ્પા અંતર્ગત મળેલી સત્તાનું ઉલ્લંઘન કર્યું હતું. એટલું જ નહી સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આર્મી દ્ધારા બનાવવામાં આવેલા કાઉન્ટર ટેરરિસ્ટ ઓપરેશન માટે બનાવવામાં આવેલા ચાર્ટરનો પણ ભંગ કર્યો હતો.
આ કાર્યવાહીના આદેશ ત્યારે આપવામાં આવ્યા જ્યારે આર્મી ચીફ જનરલ એમએમ નરવણે બે દિવસ કાશ્મીર પ્રવાસ પર હતા. તે ત્યાં એલઓસી અને કાશ્મીર ઘાટીની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા માટે પહોંચ્યા હતા. શ્રીનગર સ્થિત સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ કહ્યું કે, 19 જૂલાઇના રોજ શોપિયાંના અમશીપોરામાં થયેલા એન્કાઉન્ટ મામલામાં તપાસ પૂર્ણ થઇ ગઇ છે અને તપાસકર્તાઓએ આ મામલામાં આરોપીઓ (સૈન્ય અધિકારીઓ અને સૈનિકો) વિરુદ્ધ આર્મી એક્ટ હેઠળ કાર્યવાહીના આદેશ આપ્યા છે. જોકે સૈન્યએ એ સ્પષ્ટતા નહોતી કરી કે આ મામલામાં કેટલા સૈન્ય અધિકારીઓ અને સૈનિકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે. નોંધનીય છે કે દક્ષિણ કાશ્મીરના અમશીપોરા એન્કાઉન્ટર કેસમાં છેલ્લા મહિને સૈન્યએ કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ આપ્યા હતા. જે હેઠળ રાજૌરી જિલ્લામાંથી ગુમ થયેલા ત્રણ મજૂરોના પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેથી માર્યા ગયેલા ‘આતંકીઓ’ના ડીએનએની તપાસ કરવામાં આવે. 18 જૂલાઇના રોજ શોપિયાંના અમશીપોરામાં સૈન્યએ ત્રણ આતંકીઓ માર્યાનો દાવો કર્યો હતો પરંતુ સોશિયલ મીડિયામાં આવેલા રિપોર્ટના આધાર પર સૈન્યએ આ મામલામાં કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ આપ્યા હતા.
વાસ્તવમાં સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો હતો કે જે ત્રણ ‘આતંકીઓ’ને સેનાએ ઠાર માર્યા હતા એ ત્રણેય જમ્મુ કાશ્મીરના જ રાજૌરી જિલ્લાના મજૂર હતા અને પોતાના ઘરથી ગુમ હતા. સૈન્યએ જમ્મુ કાશ્મીર પોલીસની મદદથી ગુમ થયેલા મજૂરોના પરિવારજનોના ડીએનએ સેમ્પલ કલેક્ટ કર્યા. બાદમાં કેટલાક અન્ય સાક્ષીઓના નિવેદન પણ નોંધ્યા હતા. કર્નલ રાજેશે કહ્યું કે, હજુ સુધી માર્યા ગયેલા મજૂરોના ડીએનએ રિપોર્ટ આવ્યા નથી પરંતુ એ વાતની પુષ્ટી થઇ ગઇ છે કે માર્યા ગયેલા ત્રણેય ‘આતંકી’ની ઓળખ ઇમ્તિયાઝ અહમદ, અબરાર અહમદ અને મોહમ્મદ અબરારના રૂપમાં થઇ હતી જે મૂળ રાજૌરી જિલ્લાના હતા. આ ત્રણેય યુવકોના આતંકી સંગઠનો સાથે સંબંધ હોવાની તપાસ જમ્મુ કાશ્મીર પોલીસ કરી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જૂથ સામેલ થશે કે નહીં? જાણો શું છે મોટું અપડેટ?
ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જૂથ સામેલ થશે કે નહીં? જાણો શું છે મોટું અપડેટ?
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
દિલ્હી બેઠક પહેલા સંજય સિંહનો મોટો ધડાકો, ‘આપ હવે ઇન્ડિયા (INDIA) ગઠબંધનનો ભાગ નથી’
દિલ્હી બેઠક પહેલા સંજય સિંહનો મોટો ધડાકો, ‘આપ હવે ઇન્ડિયા (INDIA) ગઠબંધનનો ભાગ નથી’
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 11 રાજ્યોમાં તોફાની વરસાદ અને વીજળીનું એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 11 રાજ્યોમાં તોફાની વરસાદ અને વીજળીનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
Embed widget