Atiq Ahmed Murder Case: અતીક અહેમદ અને અશરફ હત્યા કેસમાં SITની રચના, આ ત્રણ વરિષ્ઠ અધિકારીઓ કરશે તપાસ
અતીક અહેમદ અને અશરફ અહેમદ હત્યા કેસમાં એસઆઈટી તપાસ માટે હવે ત્રણ સભ્યોની ટીમ બનાવવામાં આવી છે.
![Atiq Ahmed Murder Case: અતીક અહેમદ અને અશરફ હત્યા કેસમાં SITની રચના, આ ત્રણ વરિષ્ઠ અધિકારીઓ કરશે તપાસ SIT constituted in Atiq Ahmed and Ashraf murder case, these three senior officers will investigate Atiq Ahmed Murder Case: અતીક અહેમદ અને અશરફ હત્યા કેસમાં SITની રચના, આ ત્રણ વરિષ્ઠ અધિકારીઓ કરશે તપાસ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/16/4f5cdcde27e9b8e613bc1c53d82e44491681619512004599_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Atiq Ahmed Murder Case: અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની હત્યા બાદ હવે જોરશોરથી કાર્યવાહી ચાલી રહી છે. પ્રથમ તપાસ માટે ત્રણ સભ્યોના ન્યાયિક તપાસ પંચની રચના કરવામાં આવી હતી. પરંતુ હવે હત્યાની તપાસ માટે ત્રણ સભ્યોની SITની રચના કરવામાં આવી છે. SIT તપાસની જવાબદારી રાજ્યના ત્રણ વરિષ્ઠ અધિકારીઓને સોંપવામાં આવી છે.
અતીક અહેમદ અને અશરફની હત્યા કેસમાં વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હત્યાની ઝીણવટભરી તપાસ માટે ત્રણ સભ્યોની SITની રચના કરવામાં આવી છે. તેની રચના પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી છે. DCP ક્રાઈમ SIT તપાસનું નેતૃત્વ કરશે. આ સિવાય ACP સતેન્દ્ર તિવારી અને ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેક્ટર ઓમ પ્રકાશ સિંહને પણ ત્રણ સભ્યોની ટીમમાં રાખવામાં આવ્યા છે. જો કે આ પહેલા રવિવારે જ ન્યાયિક તપાસ માટે કમિશનની રચના કરવામાં આવી હતી.
બે મહિનામાં રિપોર્ટ આપવાનો રહેશે
સત્તાવાર માહિતી અનુસાર અલ્હાબાદ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અરવિંદ કુમાર ત્રિપાઠી ની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોનું કમિશન બનાવવામાં આવ્યું છે. જેમાં ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક સુભેશ કુમાર સિંહ અને નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશ બ્રિજેશ કુમાર સોની પંચના સભ્યો તરીકે સામેલ છે. આ મામલાની તપાસ કર્યા બાદ કમિશને તેનો રિપોર્ટ બે મહિનામાં સરકારને સુપરત કરવાનો રહેશે. રાજ્યના ગૃહ વિભાગે કમિશન ઑફ ઈન્ક્વાયરી એક્ટ, 1952 હેઠળ કમિશનની રચના કરી છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અતિક અહેમદ અને અશરફની સનસનાટીભરી હત્યાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા હતા. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે આમાં ત્રણ સભ્યોનું ન્યાયિક તપાસ પંચ બનાવવામાં આવે અને આ મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. વિશેષ પોલીસ મહાનિર્દેશક પ્રશાંત કુમારે કહ્યું હતું કે 'મુખ્યમંત્રીએ અહેમદ અને અશરફની હત્યાની તપાસ માટે ત્રણ સભ્યોના ન્યાયિક પંચની રચના કરવાનો નિર્દેશ આપ્યો છે'.
ત્રણેય હુમલાખોરોને નૈની જેલમાં રાખવામાં આવશે
અતીક અને અશરફની હત્યા બાદ ત્રણેય હુમલાખોરોએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. પોલીસે મોડી રાત્રે ત્રણેય હુમલાખોરોની પૂછપરછ કરી હતી. ત્રણ હુમલાખોરોની ઓળખ લવલેશ તિવાર, સની અને અરુણ મૌર્ય તરીકે થઈ છે. અનેક રાઉન્ડની પૂછપરછ બાદ પોલીસ હવે ત્રણેય હુમલાખોરોને પ્રયાગરાજની નૈની જેલમાં મોકલી રહી છે. તે જ સમયે, આ હત્યાકાંડની તપાસ માટે ત્રણ સભ્યોના ન્યાયિક પંચની રચના કરવામાં આવી છે. આ કમિશન બે મહિનામાં પોતાનો રિપોર્ટ આપશે.
અતીકને ક્યાં ક્યાં વાગી હતી ગોળી?
- એક માથામાં
- એક ગળામાં
- એક છાતીમાં
- એક કમરમાં
અશરફને ક્યાં વાગી હતી ગોળીઓ?
- એક ગળાના ભાગે
-એક પીઢના ભાગે
- એક કાંડાના ભાગે
- એક પેટમાં
- એક કમરમાં
જ્યારે અશરફના શરીરની અંદરથી ત્રણ ગોળીઓ મળી હતી અને બે આર પાર નિકળે થઈ હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)