શોધખોળ કરો

'અમે વંદે માતરમ નહીં ગાઈએ...', શ્રીનગરના સાંસદ આગા સૈયદ રુહુલ્લાહનું સંસદમાં ખુલ્લું એલાન, કહ્યું- રાષ્ટ્રવાદના નામે મજબૂર ન કરો

Srinagar MP speech: લોકસભામાં ચર્ચા દરમિયાન આગા સૈયદ રુહુલ્લાહે જ્યારે પોતાનો પક્ષ મૂક્યો ત્યારે સોશિયલ મીડિયા પર તેમના ભાષણની ક્લિપ્સ વાયરલ થવા લાગી હતી.

Srinagar MP speech: વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે સંસદમાં ચાલી રહેલી ચર્ચા એક અત્યંત સંવેદનશીલ વળાંક પર આવી ગઈ છે. જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સના શ્રીનગરના સાંસદ આગા સૈયદ રુહુલ્લાહે ભરી સંસદમાં સ્પષ્ટ શબ્દોમાં 'વંદે માતરમ' ગાવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે બંધારણીય અધિકારો અને ધાર્મિક સ્વતંત્રતાનો હવાલો આપીને સરકારને ઘેરતા કહ્યું હતું કે, તમે રાષ્ટ્રવાદના નામે કોઈની પાસે બળજબરીથી પૂજા ન કરાવી શકો કે ગીતો ગવડાવીને વફાદારીનો ટેસ્ટ ન લઈ શકો.

'તમે ગાઓ, અમે આદર કરીએ છીએ, પણ ગાઈ શકતા નથી'

લોકસભામાં ચર્ચા દરમિયાન આગા સૈયદ રુહુલ્લાહે જ્યારે પોતાનો પક્ષ મૂક્યો ત્યારે સોશિયલ મીડિયા પર તેમના ભાષણની ક્લિપ્સ વાયરલ થવા લાગી હતી. તેમણે ખૂબ જ સ્પષ્ટતા સાથે કહ્યું હતું કે, "તમે વંદે માતરમ ગાઈ શકો છો, અમને તેમાં કોઈ વાંધો નથી અને અમે રાષ્ટ્રગીત તરીકે તેનો પૂરો આદર કરીએ છીએ. અમે તેના સન્માનમાં ઉભા રહી શકીએ છીએ, પરંતુ અમારી ધાર્મિક માન્યતાઓ અમને તે ગાવાની મંજૂરી આપતી નથી. તેથી, તમે અમને તે ગાવા માટે મજબૂર કરી શકતા નથી."

મુખ્ય મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાનો ખેલ?

સરકારની ઝાટકણી કાઢતા સાંસદે કહ્યું કે જ્યારે શાસકો પાસે બેરોજગારી, મોંઘવારી અને સુશાસન જેવા પાયાના પ્રશ્નોના જવાબો નથી હોતા, ત્યારે તેઓ 'ઓળખ' (Identity) ના રાજકારણનો સહારો લે છે. ગીતોને દેશભક્તિ અને વફાદારીની કસોટી બનાવી દેવામાં આવે છે. તેમણે અફસોસ વ્યક્ત કર્યો કે આજે વિનાશને જ ન્યાય માનવામાં આવે છે અને એક ચોક્કસ સમુદાયને હંમેશા શંકાના દાયરામાં રાખવામાં આવે છે.

'રાષ્ટ્રવાદના નામે પૂજાની માંગણી અયોગ્ય'

રુહુલ્લાહે પોતાના નિવેદનના બચાવમાં બંધારણીય અધિકારોનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, "ધાર્મિક સ્વતંત્રતા એ મારો મૂળભૂત અધિકાર છે. રાષ્ટ્રવાદના નામે તમે મારી પાસે કોઈ દેવીની પૂજા કરવાની માંગણી ન કરી શકો." તેમણે દલીલ કરી હતી કે વંદે માતરમ ગીત ભારત માતાને દેવી તરીકે પૂજે છે, જે તેમની માન્યતા સાથે સુસંગત નથી. નાગરિકોને આ ગીત ગાવા માટે દબાણ કરવું એ બંધારણે આપેલી ધાર્મિક આઝાદીનું સીધું ઉલ્લંઘન છે.

'સરકારો બદલાશે, પણ મારો ઈમાન નહીં'

પોતાના ભાષણમાં તેમણે એક શક્તિશાળી વાત કરી કે, "રાષ્ટ્રીયતા બદલાઈ શકે છે, સરકારો આવી શકે છે અને જઈ શકે છે, પરંતુ મારો ધાર્મિક વિશ્વાસ (ઈમાન) બદલી શકાતો નથી. અમે આ દેશની આઝાદી માટે વિદેશી તાકાતો સામે લડ્યા હતા. અને જો જરૂર પડશે તો, અમે અમારા બંધારણીય હકોના રક્ષણ માટે દેશની અંદર પણ એવા લોકો સામે લડીશું જેઓ અમને અમારા હકોથી વંચિત રાખવા માંગે છે."

ચર્ચાની સરખામણી 'બુલડોઝર ઓપરેશન' સાથે

નેશનલ કોન્ફરન્સના નેતાએ આ સમગ્ર ચર્ચાને 'બુલડોઝર ઓપરેશન' સાથે સરખાવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો ઉપયોગ કરીને મુસ્લિમ સમુદાયને જાણી જોઈને અલગ પાડી રહી છે. અસંમતિ દર્શાવનારાઓને ગદ્દાર ચિતરવામાં આવી રહ્યા છે, જેથી બેરોજગારી અને મોંઘવારી જેવા સળગતા પ્રશ્નો પરથી લોકોનું ધ્યાન ભટકાવી શકાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
Advertisement

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
Whatsapp પર આ ભૂલ કરશો તો સીધા પહોંચી જશો જેલ, જાણો કઈ કઈ બાબતોની રાખવી જોઈએ સાવધાની
Whatsapp પર આ ભૂલ કરશો તો સીધા પહોંચી જશો જેલ, જાણો કઈ કઈ બાબતોની રાખવી જોઈએ સાવધાની
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
Youtube પર ગોલ્ડન બટન મળ્યા પછી કેટલી થાય છે કમાણી, તેના પર કેટલો લાગે છે ટેક્સ?
Youtube પર ગોલ્ડન બટન મળ્યા પછી કેટલી થાય છે કમાણી, તેના પર કેટલો લાગે છે ટેક્સ?
Embed widget