![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sukhvinder Singh Sukhu Corona: હિમાચલ પ્રદેશના CM સુખવિંદર સિંહ સુખુ કોરોના પોઝિટિવ, કેબિનેટ વિસ્તરણમાં વિલંબ થઈ શકે છે
સીએમમાં લક્ષણો નથી અને સાવચેતીના ભાગરૂપે તેમણે પોતાને ક્વોરેન્ટાઈન કર્યા છે અને તેમના તમામ કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે.
![Sukhvinder Singh Sukhu Corona: હિમાચલ પ્રદેશના CM સુખવિંદર સિંહ સુખુ કોરોના પોઝિટિવ, કેબિનેટ વિસ્તરણમાં વિલંબ થઈ શકે છે Sukhvinder Singh Sukhu Corona: CM Sukhvinder Singh Sukhu Corona positive, cabinet expansion may be delayed Sukhvinder Singh Sukhu Corona: હિમાચલ પ્રદેશના CM સુખવિંદર સિંહ સુખુ કોરોના પોઝિટિવ, કેબિનેટ વિસ્તરણમાં વિલંબ થઈ શકે છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/19/ce12eb4b0b2d2fd2fafe1db644d61a441671429314279517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sukhvinder Singh Sukhu Corona: હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુને કોરોનાનો ચેપ લાગ્યો છે. સીએમ સુખુનો રિપોર્ટ રવિવારે સાંજે આવ્યો છે, જેમાં તે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. સીએમ સુખુ દિલ્હીમાં છે અને તેઓ સોમવારે શિમલા પાછા ફરવાના છે પરંતુ હવે તેમને ત્રણ દિવસ હિમાચલ સદનમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે હવે હિમાચલ પ્રદેશના કેબિનેટ વિસ્તરણમાં વિલંબ થઈ શકે છે.
સીએમ સુખવિંદર સિંહ સુખુ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના હતા. તેથી જ 18 ડિસેમ્બરે તેનું સેમ્પલ લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ મોડી સાંજે તેનો રિપોર્ટ આવ્યો હતો જેમાં તે પોઝિટિવ આવ્યો હતો. હવે તેઓ પીએમ મોદીને મળી શકશે નહીં, આ પહેલા 16 ડિસેમ્બરે સીએમ સુખવિંદર સિંહ સુખુ કોંગ્રેસના 40 ધારાસભ્યો સાથે ભારત જોડો યાત્રામાં સામેલ થયા હતા.
બીજી તરફ સીએમ સુખુના કોરોના પોઝિટિવને લઈને રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે સોમવારે દિલ્હીમાં મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે. સીએમ સુખુનો દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો કાર્યક્રમ હતો, જે મોકૂફ રાખવામાં આવ્યો છે. સીએમમાં લક્ષણો નથી અને સાવચેતીના ભાગરૂપે તેમણે પોતાને ક્વોરેન્ટાઈન કર્યા છે અને તેમના તમામ કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે.
Himachal Pradesh Chief Minister Sukhvinder Singh Sukhu tests positive for #COVID19
— ANI (@ANI) December 19, 2022
(File photo) pic.twitter.com/aF1K8pxmgI
હિમાચલમાં કોંગ્રેસની અંદર કોઈ લડાઈ નથી
હિમાચલ પ્રદેશના નવનિયુક્ત મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે રાજ્યમાં કોંગ્રેસની અંદર કોઈ ઝઘડો નથી. તેમણે કહ્યું કે રાજ્યમાં પાર્ટીની અંદર ઝઘડો માત્ર મુખ્યમંત્રી પદને લઈને હતો કારણ કે ત્યાં ત્રણ-ચાર દાવેદારો હતા. આ સાથે સીએમ સુખુએ કહ્યું કે રાજ્યમાં કોંગ્રેસનો એકપણ ધારાસભ્ય ભાજપમાં જશે નહીં અને અમારી સરકાર લોકો માટે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે અને પ્રથમ કેબિનેટ બેઠકમાં સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાનું વચન પૂરું કરશે.
આ પણ વાંચોઃ
China Covid 19 Cases: ફરી એક વખત ચીનમાં કોરોનાનો તરખાટ, અડધાથી વધુ વસ્તી સંક્રમિત થવાની ધારણા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)