શોધખોળ કરો

Supreme Court: ગર્ભપાતને લઈને સુપ્રીમ કોર્ટે કરી મહત્વની ટિપ્પણી, ફક્ત માતાના કહેવાથી પેટમાં રહેલા બાળકના ધબકારા બંધ ન કરી શકાય

Termination of Pregnancy Case In SC: સુપ્રીમ કોર્ટે ગુરુવારે (12 ઓક્ટોબર) ગર્ભમાં ઉછરી રહેલા બાળકના અધિકારો પર એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે.

Termination of Pregnancy Case In SC: સુપ્રીમ કોર્ટે ગુરુવારે (12 ઓક્ટોબર) ગર્ભમાં ઉછરી રહેલા બાળકના અધિકારો પર એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે, જ્યારે ગર્ભપાત માટેનો કાનૂની સમયગાળો પૂરો થઈ ગયો છે અને બાળક ગર્ભમાં સ્વસ્થ છે, તો પરિવારની ઈચ્છા હોવાને કારણે તેના ધબકારા રોકવા યોગ્ય નથી.

કોર્ટે 26 અઠવાડિયાની ગર્ભવતી પરિણીત મહિલાને થોડા વધુ અઠવાડિયા રાહ જોવાની અને બાળકને જન્મ આપવાની સલાહ આપી હતી. સરકાર બાળકની સારસંભાળ લેવા તૈયાર હોવાથી જન્મ બાદ તેને સરકારને સોંપી દેવું જોઈએ. આ કેસની સુનાવણી આજે (ગુરુવાર, ઓક્ટોબર 12) અધૂરી રહી હતી. શુક્રવારે (13 ઑક્ટોબર) પર ફરીથી સુનાવણી થશે. આ દરમિયાન કોર્ટે માતાપિતા, તેમના વકીલ અને કેન્દ્ર સરકારના વકીલને એકબીજા સાથે વાત કરવા અને ઉકેલ શોધવા માટે કહ્યું છે.

ડોક્ટરે શું કહ્યું?
બે બાળકોની માતાએ પોતાની માનસિક અને પારિવારિક સમસ્યાઓના કારણે ગર્ભપાતની માંગ કરી છે. 9 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટની બે જજની બેન્ચે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ને મહિલાને દાખલ કરવા અને ગર્ભપાતની પ્રક્રિયા પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ 10 ઓક્ટોબરે એઈમ્સના નિષ્ણાત ડોક્ટરે કેન્દ્ર સરકારના વકીલને ઈમેલ મોકલીને કહ્યું કે, બાળક ગર્ભમાં સામાન્ય દેખાય છે. જો તેને માતાના ગર્ભમાંથી બહાર કાઢવામાં આવે તો તે જીવિત બહાર આવવાની સંભાવના છે. આવી સ્થિતિમાં, ગર્ભપાત માટે, તેના ધબકારા પહેલા જ બંધ કરવા પડશે. ડોક્ટરે એમ પણ કહ્યું કે જો બાળકને હાલમાં બહાર કાઢીને જીવિત રાખવામાં આવે તો તે શારીરિક અને માનસિક રીતે વિકલાંગ બની શકે છે.

ડોક્ટરના આ રિપોર્ટ બાદ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને ગર્ભપાતનો આદેશ પાછો ખેંચવા વિનંતી કરી હતી. બુધવારે થયેલી સુનાવણીમાં જસ્ટિસ હિમા કોહલી અને બીવી નાગરથનાની ખંડપીઠે આ અંગે અલગ-અલગ આદેશ આપ્યા હતા. આ કારણોસર આજે આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડપીઠે કરી હતી. કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ જજો સમક્ષ નિષ્ણાત ડૉક્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી રજૂ કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે, સરકાર માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા અને જન્મ પછી બાળકને તેની સુરક્ષામાં રાખવા માટે તૈયાર છે.

એડિશનલ સોલિસિટર જનરલે એ હકીકત તરફ પણ કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે MTP એક્ટ (મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી એક્ટ) હેઠળ ગર્ભપાતને મહત્તમ 24 અઠવાડિયા સુધી જ મંજૂરી છે. ગર્ભપાતને 24 અઠવાડિયા પછીના વધુ સમય પછી ત્યારે જ મંજૂરી આપવામાં આવે છે જો કેસમાં જાતીય શોષણનો ભોગ બનેલી સગીર છોકરી અથવા બળાત્કારનો ભોગ બનેલી મહિલાનો હોય અથવા જો ગર્ભાવસ્થા માતાના જીવન માટે જોખમ ઊભું કરે. અહીં બીજા બાળકને જન્મ આપ્યા બાદ માતા ડિપ્રેશનમાં હોવાનું કહીને ગર્ભપાતની માંગ કરવામાં આવી રહી છે. તે તેના બે બાળકોને યોગ્ય રીતે ઉછેરી નથી રહી.

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના પ્રશ્નો
કેસની સુનાવણી કરતા ચીફ જસ્ટિસે અરજદારના વકીલને કહ્યું, તમે માતા-પિતા માટે હાજર થયા છો, સરકારના વકીલ પણ અહીં છે, પરંતુ શું અહીં તે બાળક માટે કોઈ વકીલ છે? શું અમે તેના ધબકારા બંઘ કરવાનો આદેશ આપી દઈએ? અથવા તેને શારીરિક અથવા માનસિક વિકલાંગતા સાથે વિશ્વમાં આવવા દો. તમારા સંજોગો એવા હોઈ શકે છે કે તમે ગર્ભપાતનો નિર્ણય મોડો લઈ શક્યા હોય. પરંતુ હવે 26 અઠવાડિયાની ગર્ભવતી છે, ઓછામાં ઓછા 2 અઠવાડિયા સુધી રાહ જોવી વધુ સારું રહેશે. આ સમયગાળા પછી , બાળક ખોડખાંપણ સાથે જન્મે તેવી શક્યતા ખતમ થઈ જશે. તમારે બધાએ સાથે મળીને વાત કરવી જોઈએ. અમે આવતીકાલે આ મામલે ફરી સુનાવણી કરીશું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80th Independence Day Live: કોઇ પણ રાષ્ટ્ર ત્યારે મહાન બને છે જ્યારે તે સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે: PM મોદી
80th Independence Day Live: કોઇ પણ રાષ્ટ્ર ત્યારે મહાન બને છે જ્યારે તે સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે: PM મોદી
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Embed widget