શોધખોળ કરો

VIDEO: ઝુંઝુનૂંમાં ચિતા પર મૂક્યા બાદ વ્યક્તિ જીવતો થતાં લોકો ડરી ગયા, ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ પણ કરી નાખ્યું હતું

ઝુંઝુનૂં જિલ્લામાં એક વ્યક્તિને ડૉક્ટરોએ મૃત જાહેર કરી દીધો હતો. ત્યારબાદ જ્યારે તેને અંતિમ સંસ્કાર માટે સ્મશાન ઘાટ લઈ જઈને ચિતા પર સુવાડવામાં આવ્યો ત્યારે તેની શ્વાસ ચાલુ થઈ ગઈ.

Rajasthan News: રાજસ્થાનના ઝુંઝુનૂં જિલ્લામાંથી એક અજબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિના મૃત્યુ બાદ તેને અંતિમ સંસ્કાર માટે સ્મશાન ઘાટ લાવવામાં આવ્યો હતો, પરંતુ ચિતા પર સુવાડતા સમયે તેના હૃદયના ધબકારા પાછા આવ્યા અને શરીરમાં હલનચલન થવા લાગી. ઘટનાસ્થળે હાજર લોકો આ દૃશ્ય જોઈને ડરી ગયા અને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

ડૉક્ટરોએ મૃત જાહેર કર્યો હતો

જૂની કહેવત છે 'જાકો રાખે સાંઈયા, માર સકે ન કોય' આ અજબ ઘટના 47 વર્ષના રોહિતાશ સાથે બની. હાલમાં રોહિતાશની સારવાર ICUમાં ચાલી રહી છે અને તેની સ્થિતિ સ્થિર જણાવવામાં આવી છે. આ સમગ્ર મામલામાં આશ્ચર્યની વાત એ છે કે રોહિતાશના મૃત્યુની પુષ્ટિ ખુદ ડૉક્ટરોએ કરી હતી અને તેને મૃત માનીને તેના શરીરને બે કલાક સુધી હોસ્પિટલના મૃતદેહગૃહમાં ડીપ ફ્રીજમાં પણ રાખવામાં આવ્યું હતું.

રોહિતાશ ઝુંઝુનૂં જિલ્લાના બગડ કસ્બામાં માં સેવા સંસ્થાનના આશ્રમમાં રહેતો હતો અને તે બોલી સાંભળી પણ શકતો નહોતો. ગુરુવારે બપોરે રોહિતાશની તબિયત બગડતાં તેને ઝુંઝુનૂંની BDK હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન બપોરે 1 વાગ્યાની આસપાસ ડૉક્ટરોએ રોહિતાશને મૃત જાહેર કરી દીધો.

ચિતા પર મૂક્યા બાદ શ્વાસ ચાલુ થયો

ત્યારબાદ રોહિતાશના શરીરને હોસ્પિટલના મૃતદેહગૃહમાં મોકલી દેવામાં આવ્યું અને લગભગ બે કલાક સુધી તેના શરીરને હોસ્પિટલના મૃતદેહગૃહના ડીપ ફ્રીજમાં રાખવામાં આવ્યું. પોલીસના આવ્યા બાદ તેનું પંચનામું સહિત અન્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવી. બપોરે 4 વાગ્યાની આસપાસ રોહિતાશના શરીરને માં સેવા સંસ્થાનના જવાબદાર અધિકારીઓને સોંપી દેવામાં આવ્યું.

સાંજે લગભગ 5 વાગ્યે રોહિતાશના શરીરને એમ્બ્યુલન્સમાં મૂકવામાં આવ્યું અને ઝુંઝુનૂંના પંચ દેવ મંદિર પાસે આવેલા સ્મશાન ઘાટ લઈ જવામાં આવ્યો. અહીં રોહિતાશના શરીરને ચિતા પર મૂકવામાં આવ્યું ત્યારે તેનો શ્વાસ ચાલુ થયો અને શરીર હલવા લાગ્યું. આ જોઈને ત્યાં હાજર લોકો ડરી ગયા. ત્યારબાદ તરત જ એમ્બ્યુલન્સ બોલાવીને રોહિતાશને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. આ ઘટનાની જાણકારી મળતાં જ વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો.

તપાસ સમિતિની રચના

જિલ્લા કલેક્ટરે તાત્કાલિક અધિકારીઓને હોસ્પિટલ પહોંચવાના નિર્દેશ આપ્યા અને ઘટનાની જાણકારી જયપુરમાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવી. વિસ્તારના તહસીલદાર મહેન્દ્ર મૂંડ, સામાજિક અધિકારિતા વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર પવન પૂનિયા પણ હોસ્પિટલ પહોંચ્યા. મામલાની ગંભીરતાને જોતાં હોસ્પિટલમાં PMO ડૉ. સંદીપ પચારની હાજરીમાં ડૉક્ટરોની કલાકો સુધી બેઠક યોજાઈ. કેસની ગંભીરતાને જોતાં જિલ્લા કલેક્ટર રામ અવતાર મીણાએ મુખ્ય તબીબી અધિકારી પાસેથી સંપૂર્ણ અહેવાલ માંગ્યો છે અને એક તપાસ સમિતિની રચના પણ કરી છે. આ બેદરકારી બદલ ત્રણ ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

ડીપ ફ્રીજમાં 2 કલાક સુધી શ્વાસ કેવી રીતે ચાલુ રહ્યો?

રોહિતાશનું ખરેખર મૃત્યુ થયું હતું કે હોસ્પિટલના ડૉક્ટરોએ તેને ભૂલથી મૃત જાહેર કર્યો હતો, તપાસ સમિતિ આ તમામ પાસાઓ પર તેનો અહેવાલ આપશે. પરંતુ, સૌથી મોટો પ્રશ્ન એ છે કે આખરે બે કલાક સુધી ડીપ ફ્રીજમાં રાખેલા શરીરને શ્વાસ કેવી રીતે મળ્યો હશે. શું રોહિતાશ ખરેખર મૃત્યુ પામ્યો હતો અને તેનો શ્વાસ ફરી પાછો આવ્યો? કદાચ તપાસ બાદ આ પ્રશ્નોના જવાબ મળી શકે કે શું ખરેખર કોઈ ચમત્કાર થયો હતો. પરંતુ સમગ્ર ઝુંઝુનૂંમાં આ ઘટના દરેકને આશ્ચર્યચકિત કરી રહી છે.

આ પણ વાંચોઃ

બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાન યુદ્ધ વચ્ચે ભારત ડોલર ચૂકવ્યા વિના આ રીતે રશિયા પાસેથી ખરીદી રહ્યું છે ઓઈલ
ઈરાન યુદ્ધ વચ્ચે ભારત ડોલર ચૂકવ્યા વિના આ રીતે રશિયા પાસેથી ખરીદી રહ્યું છે ઓઈલ
2,000 કિલોમીટર દૂરથી આ દેશે ભારત માટે ખોલ્યો 'ખજાનો' ? જહાજ ભરીને આવી રહ્યો છે LPG ગેસ
2,000 કિલોમીટર દૂરથી આ દેશે ભારત માટે ખોલ્યો 'ખજાનો' ? જહાજ ભરીને આવી રહ્યો છે LPG ગેસ
LPG પાઈપલાઈન હશે ત્યાં ફરજિયાત લેવું પડશે ગેસ કનેક્શન, સરકારે જાહેર કર્યા નવા નિયમ 
LPG પાઈપલાઈન હશે ત્યાં ફરજિયાત લેવું પડશે ગેસ કનેક્શન, સરકારે જાહેર કર્યા નવા નિયમ 
આંધ્રપ્રદેશમાં મોટો અકસ્માત, બસ ડમ્પર સાથે અથડાયા બાદ લાગી લાગી, 14 લોકો જીવતા સળગ્યાં
આંધ્રપ્રદેશમાં મોટો અકસ્માત, બસ ડમ્પર સાથે અથડાયા બાદ લાગી લાગી, 14 લોકો જીવતા સળગ્યાં

વિડિઓઝ

Navsari News : નવસારીના વાંસદાના સરા ગામમાં ધર્માંતરણની પ્રવૃતિનો આરોપ
Ahmedabad Fire Incident : અમદાવાદમાં શેલાની સોસાયટીમાં ભીષણ આગ લાગતા દોડધામ
Hun To Bolish | હું તો બોલીશ | ઢેફાના ભાવે ડુંગળી - બટાકા
Hun To Bolish | હું તો બોલીશ | નકલી ડૉક્ટરનું નેટવર્ક
Ambaji Temple: ભક્તિ, સાહસ, ખેલદિલીનો સંગમ, શક્તિપીઠ અંબાજી પહોંચ્યા 28 સ્કેટર્સ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Rule Change: LPG, ATMથી લઈને PAN કાર્ડ સુધી, 1, એપ્રિલથી થશે આ પાંચ મોટા ફેરફાર
Rule Change: LPG, ATMથી લઈને PAN કાર્ડ સુધી, 1, એપ્રિલથી થશે આ પાંચ મોટા ફેરફાર
Rajkot News: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાયસન્સ સસ્પેન્ડ, તેમના નિવેદનના કારણે ફેલાઈ હતી અફવા
Rajkot News: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાયસન્સ સસ્પેન્ડ, તેમના નિવેદનના કારણે ફેલાઈ હતી અફવા
Iran Israel War: ભારત માટે આવ્યા સારા સમાચાર, ઈરાનના વિદેશમંત્રીએ કહ્યુ- 'આ પાંચ દેશોના જહાજોને નથી રોકી રહ્યા'
Iran Israel War: ભારત માટે આવ્યા સારા સમાચાર, ઈરાનના વિદેશમંત્રીએ કહ્યુ- 'આ પાંચ દેશોના જહાજોને નથી રોકી રહ્યા'
Ahmedabad News: અમદાવાદના શેલામાં રહેણાંક એકમમાં લાગેલી આગ કાબૂમાં, એસીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ
Ahmedabad News: અમદાવાદના શેલામાં રહેણાંક એકમમાં લાગેલી આગ કાબૂમાં, એસીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ
નાયરાએ સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો, જાણો પ્રતિ લીટર કેટલો થયો વધારો?
નાયરાએ સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો, જાણો પ્રતિ લીટર કેટલો થયો વધારો?
RCB ની ડીલ બાદ વિજય માલ્યાએ આપી પહેલી પ્રતિક્રિયા; વિરાટ કોહલીનો પણ કર્યો ઉલ્લેખ
RCB ની ડીલ બાદ વિજય માલ્યાએ આપી પહેલી પ્રતિક્રિયા; વિરાટ કોહલીનો પણ કર્યો ઉલ્લેખ
બાંગ્લાદેશમાં ભયંકર બસ દુર્ધટના, ઢાકાથી પરત આવતી બસ પદ્મા નદીમાં ખાબકી, 16નાં મૃત્યુ અનેક ઇજાગ્રસ્ત
બાંગ્લાદેશમાં ભયંકર બસ દુર્ધટના, ઢાકાથી પરત આવતી બસ પદ્મા નદીમાં ખાબકી, 16નાં મૃત્યુ અનેક ઇજાગ્રસ્ત
Embed widget