હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મનો સ્વીકાર કરનારને અનુસૂચિત જાતિનો દરજ્જો નહીં મળે: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે હિન્દુ ધર્મ, શીખ ધર્મ કે બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મનો સ્વીકાર કરનાર કોઈપણ વ્યક્તિને અનુસૂચિત જાતિનો સભ્ય ગણી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટે મંગળવારે એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું કે ધર્મ પરિવર્તન કરનાર વ્યક્તિ અનુસૂચિત જાતિનો દરજ્જો સંપૂર્ણપણે ગુમાવે છે. આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના નિર્ણયને સમર્થન આપ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું કે જો કોઈ વ્યક્તિ ખ્રિસ્તી ધર્મ અપનાવે છે અને ખ્રિસ્તી ધર્મ અનુસાર જીવન જીવે છે તો તેને અનુસૂચિત જાતિના વ્યક્તિ ગણી શકાય નહીં. કોર્ટે જણાવ્યું હતું કે હિન્દુ ધર્મ, શીખ ધર્મ અને બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈપણ ધર્મનો સ્વીકાર કરનાર વ્યક્તિને અનુસૂચિત જાતિનો સદસ્ય ગણી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે બંધારણીય આદેશ, 1950 સ્પષ્ટપણે જણાવે છે કે કલમ 3 માં ઉલ્લેખિત ધર્મ સિવાયના કોઈપણ ધર્મમાં ધર્માંતરણ કરવાથી જન્મને ધ્યાનમાં લીધા વિના, અનુસૂચિત જાતિનો દરજ્જો તાત્કાલિક સમાપ્ત થઈ જાય છે.
આ ચુકાદો એક એવા વ્યક્તિના કિસ્સામાં આપવામાં આવ્યો હતો જેણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો અને હવે પાદરી તરીકે કામ કરી રહ્યો હતો પરંતુ તેણે SC/ST (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ ચોક્કસ વ્યક્તિઓ સામે કેસ દાખલ કર્યો હતો. કેસ દાખલ કરનાર વ્યક્તિએ SC/ST કાયદા હેઠળ રક્ષણની માંગ કરી હતી. જો કે, જેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો તેમણે તેને પડકાર્યો હતો અને દાવો કર્યો હતો કે પીડિતે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો.
ખ્રિસ્તી ધર્મમાં ધર્મપરિવર્તનથી અનુસૂચિત જાતીનો દરજ્જો ખતમ થશે
એક મહત્વપૂર્ણ ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જે વ્યક્તિ હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મમાં ધર્મપરિવર્તન કરે છે તેને અનુસૂચિત જાતિ (SC) નો સભ્ય ગણી શકાય નહીં અને SC/ST અધિનિયમ, 1989 હેઠળ રક્ષણનો દાવો કરી શકાતો નથી. ન્યાયાધીશ પીકે મિશ્રા અને એવી અંજારિયાની બેન્ચે આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના આદેશને સમર્થન આપ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે જે વ્યક્તિ ખ્રિસ્તી ધર્મમાં ધર્મપરિવર્તન થઈ છે અને સક્રિય રીતે તેનું પાલન કરે છે તે અનુસૂચિત જાતિ સમુદાયનો સભ્ય રહી શકતો નથી. સુપ્રીમ કોર્ટે મે 2025 ના આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના નિર્ણય સામે પાદરી ચિંથદા આનંદ દ્વારા દાખલ કરાયેલી અપીલ પર આ ચુકાદો આપ્યો હતો.
ધર્માંતરણ પછી અનુસૂચિત જાતિનો દરજ્જો સમાપ્ત થશે
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જે કોઈ પણ વ્યક્તિ હિન્દુ ધર્મ, શીખ ધર્મ અથવા બૌદ્ધ ધર્મ સિવાય અન્ય ધર્મ અપનાવે છે તેને અનુસૂચિત જાતિનો સભ્ય ગણી શકાય નહીં. બેન્ચે સ્પષ્ટ કર્યું કે અન્ય ધર્મમાં પરિવર્તન કરવાથી અનુસૂચિત જાતિનો દરજ્જો ગુમાવવો પડે છે.























