શોધખોળ કરો

કોલકાતા રેપ કાંડમાં SC એ લીધો મોટો નિર્ણય, હવે CJI ડી.વાય. ચંદ્રચૂડની બેંચ કરશે સુનાવણી

Kolkata Doctor Rape Murder Case: કોલકાતા રેપ અને મર્ડર કેસ પર સુપ્રીમ કોર્ટે સ્વયં સંજ્ઞાન લીધું છે. સીજેઆઈ ડી.વાય. ચંદ્રચૂડની આગેવાનીમાં આ મામલાની સુનાવણી થશે.

Kolkata Doctor Rape Murder Case: પશ્ચિમ બંગાળમાં આર.જી. કર મેડિકલ કૉલેજ અને હોસ્પિટલમાં મહિલા ટ્રેની ડૉક્ટર સાથે બળાત્કાર અને પછી હત્યાના વિરોધમાં દેશભરની અલગ અલગ મેડિકલ કૉલેજોના વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ મામલાને લઈને સુપ્રીમ કોર્ટે સ્વયં સંજ્ઞાન લીધું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ મુજબ ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) ડી.વાય. ચંદ્રચૂડની આગેવાનીમાં જસ્ટિસ જે.બી. પરદીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચ મંગળવારે (20 ઓગસ્ટ 2024) આ મામલાની સુનાવણી કરશે.

કલકત્તા હાઈ કોર્ટે પોલીસની કાર્યવાહીથી અસંતુષ્ટ થઈને સીબીઆઈને કેસની તપાસ પોતાના હાથમાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે મૃતકના માતા પિતા તરફથી દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી કરતા આ આદેશ પસાર કર્યો હતો.

કોલકાતા પોલીસે રવિવાર, 18 ઓગસ્ટથી 24 ઓગસ્ટ સુધી આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ નજીક પ્રતિબંધિત આદેશ લાદ્યો છે, જે હેઠળ પાંચથી વધુ લોકો એકઠા થવા પર પ્રતિબંધ રહેશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે કોલકાતા પોલીસે હોસ્પિટલની આસપાસ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 (2) લાગુ કરી છે.

कोलकाता रेप कांड का SC ने लिया संज्ञान: अब CJI डीवाई चंद्रचूड़ की बेंच करेगी सुनवाई, जानें- अब तक के बड़े अपडेट

જણાવી દઈએ કે 17 ઓગસ્ટના રોજ રાષ્ટ્રવ્યાપી આક્રોશ અને તબીબી સમુદાયની હડતાળ વચ્ચે સુપ્રીમ કોર્ટ સમક્ષ આ જ મુદ્દે પર એક અરજી દાખલ કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસને મોકલવામાં આવેલી આ પત્ર અરજીમાં સુપ્રીમ કોર્ટને 9 ઓગસ્ટે કોલકાતામાં પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેની ડોક્ટર સાથે સામૂહિક બળાત્કાર અને હત્યાની ભયાનક અને શરમજનક ઘટનાનો સ્વયં સંજ્ઞાન લેવાની વિનંતી કરવામાં આવી હતી. અરજદાર આર્મી કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સિસ, સિકંદરાબાદની બીડીએસ ડૉ. મોનિકા સિંહના વકીલ સત્યમ સિંહે અદાલતને વિનંતી કરી હતી કે 14 ઓગસ્ટે અસામાજિક તત્વો દ્વારા આરજી કર મેડિકલ કૉલેજ પર કરવામાં આવેલા હુમલાની પણ નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરવામાં આવે. પત્રમાં કેસ પેન્ડિંગ રહે ત્યાં સુધી આરજી કર મેડિકલ કૉલેજ અને તેના કર્મચારીઓની સુરક્ષા માટે કેન્દ્રીય દળોની તૈનાતીનો આદેશ આપવાની પણ અપીલ કરવામાં આવી હતી. તેમાં દલીલ કરવામાં આવી હતી કે હુમલો અને અપરાધ સ્થળે થયેલી બર્બરતાને રોકવામાં સ્થાનિક કાયદો અને અમલીકરણ એજન્સીઓની નિષ્ફળતાને જોતાં આ પગલું અત્યંત મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચોઃ UPSC ની જગ્યાએ RSS માંથી થઈ રહી છે ભરતી, છીનવાઈ રહ્યું છે આરક્ષણ', રાહુલ ગાંધીનો સરકાર પર આરોપ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cabinet Briefing:  મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Cabinet Briefing: મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
PM Modi Participates Ganpati Puja:  મહારાષ્ટ્રીયન લુકમાં CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણપતિ પૂજામાં લીધો ભાગ
PM Modi Participates Ganpati Puja: મહારાષ્ટ્રીયન લુકમાં CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણપતિ પૂજામાં લીધો ભાગ
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ  | નેતાજીનો બકવાસHun to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં લવ જેહાદની આશંકા કેમ?Ahmedabad News | પુરવઠા વિભાગની બેદરકારીથી કરોડો રૂપિયાનું સરકારી અનાજ પલળ્યું, જુઓ VIDEOAlcohol Prohibition | દારૂબંધી અંગે ગૃહ વિભાગનો આશ્ચર્યજનક પરિપત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cabinet Briefing:  મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Cabinet Briefing: મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
PM Modi Participates Ganpati Puja:  મહારાષ્ટ્રીયન લુકમાં CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણપતિ પૂજામાં લીધો ભાગ
PM Modi Participates Ganpati Puja: મહારાષ્ટ્રીયન લુકમાં CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણપતિ પૂજામાં લીધો ભાગ
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
EV સેક્ટરને પ્રોત્સાહન આપવા સરકારનો મોટો નિર્ણય, કેબિનેટે 10900 કરોડ રુપિયાની  PM E-DRIVE યોજનાને આપી મંજૂરી
EV સેક્ટરને પ્રોત્સાહન આપવા સરકારનો મોટો નિર્ણય, કેબિનેટે 10900 કરોડ રુપિયાની PM E-DRIVE યોજનાને આપી મંજૂરી
Rahul Gandhi: રાહુલ ગાંધીના ઘર બહાર બીજેપીના શીખ નેતાઓની બબાલ! અટકાયત કરી તો કહ્યું- રાજીવ ગાંધીનો સમય ભુલી ગયા?
Rahul Gandhi: રાહુલ ગાંધીના ઘર બહાર બીજેપીના શીખ નેતાઓની બબાલ! અટકાયત કરી તો કહ્યું- રાજીવ ગાંધીનો સમય ભુલી ગયા?
Gujarat Police: સાયબર સુરક્ષા હેલ્પલાઈનમાં ગુજરાત પોલીસ મોખરે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મળ્યો વિશેષ એવોર્ડ
Gujarat Police: સાયબર સુરક્ષા હેલ્પલાઈનમાં ગુજરાત પોલીસ મોખરે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મળ્યો વિશેષ એવોર્ડ
અરવિંદ કેજરીવાલને રાહત નહીં, રાઉઝ એવન્યુ કોર્ટે CBI કેસમાં 25 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડી વધારી
અરવિંદ કેજરીવાલને રાહત નહીં, રાઉઝ એવન્યુ કોર્ટે CBI કેસમાં 25 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડી વધારી
Embed widget