શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સુશાંત સિંહ રાજપૂતનું કેવી રીતે થયું હતું મોત? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું થયો મોટો ખુલાસો? જાણો
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ બાદ સોમવારે કપૂર હોસ્પિટલે રિપોર્ટ જાહેર કર્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, શ્વાસ રૂંધાવાના કારણે સુશાંતનું મોત થયું છે.
![સુશાંત સિંહ રાજપૂતનું કેવી રીતે થયું હતું મોત? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું થયો મોટો ખુલાસો? જાણો Sushant Singh Rajput Post Mortem Report સુશાંત સિંહ રાજપૂતનું કેવી રીતે થયું હતું મોત? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું થયો મોટો ખુલાસો? જાણો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/15193736/Sushant-Facebook.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ બાદ સોમવારે કપૂર હોસ્પિટલે રિપોર્ટ જાહેર કર્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, શ્વાસ રૂંધાવાના કારણે સુશાંતનું મોત થયું છે. ફાંસીથી લટકવાને કારણે તેનો શ્વાસ રૂંધાયો હતો. આ રિપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યો હતો.
સુશાંત સિંહના વિસેરા સેમ્પલને કેમિકલ એનાલિસિસ માટે રાખવામાં આવ્યા છે અને તપાસ માટે ફોરેંસિક સાયન્સ લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, ત્રણ સદસ્યોની ડોક્ટરની ટીમે તેનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. આ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ફાંસીના કારણે શ્વાસ રૂંધાયો જેના કારણે તેનું મોત નિપજ્યું છે. પરંતુ તેના પરિવારજનોનું કહેવું છે કે, સુશાંત સિંહ રાજપુત આત્મહત્યા કરી શકે નહીં.
સુશાંત સિંહ રાજપૂતના પરિવારના સદસ્યો પટનાથી મુંબઈ પહોંચ્યા હતા. આજે સુશાંતના અગ્નિ સંસ્કાર કરવામાં આવશે. સુશાંત સિંહે આત્મહત્યા કરવાનું હજુ કારણ અકબંધ છે. પોલીસને તેના ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ પણ મળી નથી. પરંતુ પોલીસે તેના જરૂરી સામાન જેવો કે મોબાઈલ અને મેડિકલ રિકોર્ડને ઈન્વેસ્ટિગેશન માટે પોતાની પાસે રાખ્યા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
શિક્ષણ
દુનિયા
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)