શોધખોળ કરો
સુશીલ મોદી હવે જશે રાજ્યસભા, બિહારથી ભાજપે બનાવ્યા ઉમેદવાર
બિહાર પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા સુશીલ મોદી હવે રાજ્યસભા મોકલવામાં આવશે.

પટના: બિહાર પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા સુશીલ મોદી હવે રાજ્યસભા મોકલવામાં આવશે. ભાજપે તેમને બિહારથી રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા છે. લોક જનશક્તિ પાર્ટી નેતા રામવિલાસ પાસવાનના નિધન બાદ બિહારની રાજ્યસભા બેઠક ખાલી થઈ હતી. રામવિલાસ પાસવાના નિધન બાદ ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણી થશે. સુશીલ મોદીએ આ વખતે નાયબ મુખ્યમંત્રી નથી બનાવાયા. ત્યારથી ચર્ચાઓ ચાલી રહી હતી કે પાર્ટી તેમને કોઈ નવી જવાબદારી આપશે.
ઉલ્લેખનીય છે કે બિહાર એનડીએ સરકારમાં નીતીશ કુમાર મંત્રિમંડળમાં મહાગઠબંધનની સરકારને બાદ કરીએ તો સુશીલ મોદી સતત નાયબ મુખ્યમંત્રીના પદ પર રહ્યા છે. તેમને નીતીશ કુમારના ખાસ ભરોસાપાત્ર સાથી માનવામાં આવતા હતા.
આ વાતને લઈ ઘણી વખત સુશીલ મોદીની પાર્ટીના નેતાઓ તરફથી આલોચના પણ કરવામાં આવતી હતી. સુશીલ મોદી પર એવો આરોપ પણ લાગ્યો કે તેમણે ક્યારેય નીતીશ કુમારના નિર્ણયનો પાર્ટીના હિતમાં પણ વિરોધ નથી કર્યો, એ પણ આરોપ લાગ્યો છે કે તેમણે બિહારમાં નીતીશ કુમાર સામે પાર્ટીનું કદ ક્યારેય મોટુ થવા નથી દિધું.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ક્રિકેટ
ગુજરાત
Advertisement