શોધખોળ કરો

Gujarat Election : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મોટી રાહત, ચૂંટણી પંચે ઠેરવ્યા 'નિર્દોષ'

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આરોપ લગાવ્યો હતો કે, ગુજરાતમાં કોંગ્રેસના શાસન દરમિયાન (1995 પહેલા) મોટા પાયે કોમી રમખાણો થતા હતા.

Gujarat Election 2022: ચૂંટણી પંચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મોટી રાહત આપી છે. ગુજરાતની ચૂંટણી રેલીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ટિપ્પણી કે 2002ની હિંસાના ગુનેગારોને "પાઠ શીખવવામાં આવ્યા હતા" આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરતું નથી તેમ ચૂંટણી પંચના સૂત્રોએ માહિતી આપી હતી. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીના અહેવાલની તપાસ કર્યા બાદ અને કાનૂની અભિપ્રાય લીધા પછી ચૂંટણી પંચે તારણ કાઢ્યું હતું કે "ભ્રષ્ટાચારીઓ" વિરુદ્ધ કાર્યવાહીનો ઉલ્લેખ ચૂંટણી સંહિતાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરતું નથી.

જાહેર છે કે, તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દમમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આરોપ લગાવ્યો હતો કે, ગુજરાતમાં કોંગ્રેસના શાસન દરમિયાન (1995 પહેલા) મોટા પાયે કોમી રમખાણો થતા હતા. કોંગ્રેસ વિવિધ સમુદાયો અને જાતિના લોકોને એકબીજા સામે લડવા માટે ઉશ્કેરતી હતી. આવા તોફાનો દ્વારા કોંગ્રેસે પોતાની વોટબેંક મજબૂત કરી અને સમાજના એક મોટા વર્ગને અન્યાય કર્યો. 

ભાજપે ગુજરાતમાં કાયમી શાંતિ સ્થાપી

અમિત શાહે દાવો કર્યો હતો કે, ગુજરાતમાં 2002ના રમખાણો એટલા માટે થયા હતા કારણ કે, કાવતરાખોરોને કોંગ્રેસના લાંબા સમયથી સમર્થનને કારણે હિંસા કરવાની આદત પડી ગઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ જંગી રેલીને સંબોધતા કહ્યું હતું કે, પરંતુ 2002માં પાઠ ભણાવવામાં આવ્યા બાદ આ તત્વોએ તે રસ્તો (હિંસાનો) છોડી દીધો હતો. તેણે 2002 થી 2022 સુધી હિંસામાં સામેલ થવાનું ટાળ્યું હતું. ભાજપે સાંપ્રદાયિક હિંસામાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરીને ગુજરાતમાં કાયમી શાંતિ સ્થાપી છે. ગુજરાતમાં 2002માં ગોધરા રેલવે સ્ટેશન પર ટ્રેનમાં આગ લાગવાની ઘટના બાદ રાજ્યના ભાગોમાં મોટા પાયે હિંસા જોવા મળી હતી.

આ મામલે ચૂંટણી પંચમાં જાણકારી આપવમાં આવી હતી. ખેડા જિલ્લાના મહુધામાં એક ચૂંટણી રેલીમાં શાહની ટિપ્પણી અંગે એક ભૂતપૂર્વ અમલદારે ગયા મહિને ચૂંટણી પંચનો સંપર્ક કર્યો હતો. જોકે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવેલુ આ નિવેદન આદર્શ આચાર સહિંતાનું ઉલ્લંઘન નથી તેમ ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું. ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીઓના અહેવાલની તપાસ કર્યા બાદ કાનૂની અભિપ્રાય પણ લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ તારણ કાઢવામાં આવ્યું હતું કે, આ નિવેદન ચૂંટણી આચાર સંહિતાની જોગવાઈઓનું ઉલ્લંઘન નથી. આમ અમિત શાહને મોટી રાહત મળી છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

80th Independence Day Live: પીએમ મોદી રાષ્ટ્રને કરી રહ્યા છે સંબોધિત, કહ્યું હર મન તિરંગો
80th Independence Day Live: પીએમ મોદી રાષ્ટ્રને કરી રહ્યા છે સંબોધિત, કહ્યું હર મન તિરંગો
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
80th Independence Day Live: 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ગૂંજશે વંદેમાતરમ્, PM મોદી 13મી વખત ફરકાવશે તિરંગો
80th Independence Day Live: 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ગૂંજશે વંદેમાતરમ્, PM મોદી 13મી વખત ફરકાવશે તિરંગો
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget